રાજ્યમાં 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કમોસમી વરસાદની શક્યતા, જાણો હવામાન વિષે

ગુજરાત રાજ્યમાં વર્ષના અંતે અને નવા વર્ષની શરૂઆત સાથે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. આ સાથે 2025ની વિદાય અને નવા વર્ષની શરૂઆત વરસાદી માહોલ સાથે થવાની સંભાવના છે.

પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર કચ્છના તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં માવઠાની શક્યતા છે. દરિયાકાંઠાના ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથમાં હળવા ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ તેમજ વાવ-થરાદ વિસ્તારમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું
રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. તાપમાનના પારા ગગડતા લોકો ઠંડીનો વધુ અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાક દરમિયાન ઠંડીમાં હજુ વધારો થવાની શક્યતા છે. હાલમાં 10.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. દાહોદમાં 11.1 ડિગ્રી અને ડાંગમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગર અને ડીસામાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 14.8 ડિગ્રી અને વડોદરામાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અંબાલાલ પટેલની અગાઉની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 27 ડિસેમ્બરના રોજ આગાહી કરી હતી કે રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન કડકડતી ઠંડી પડશે. ભારે પવન સાથે ઠંડા પવનો ફૂંકાશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડા પવનોનો પ્રભાવ રહેશે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીમાં ઘટાડો થશે, પરંતુ 10 જાન્યુઆરી બાદ ફરી પવન ફૂંકાવા સાથે ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. ઉત્તરાયણ દરમિયાન પણ ઠંડી સાથે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…