AIMPLBએ વકફ સુધારા વિધેયક પર વ્યક્ત કર્યો વાંધો, રાષ્ટ્રપતિ પાસે કરી આ માંગ

વકફ સંશોધન બિલ 2025 સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે, પરંતુ તેની સામે મુસ્લિમ સંગઠનોનો વિરોધ તેજ થયો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) સહિત અનેક સંસ્થાઓએ તેને ગેરબંધારણીય ગણાવ્યું છે. શુક્રવારે દેશના વિવિધ મોટા શહેરોમાં પણ આ બિલના વિરોધમાં દેખાવો થયા હતા.AIMPLBએ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તાત્કાલિક બેઠકની માંગ કરી છે. બોર્ડ ઈચ્છે છે કે બિલને મંજૂરી આપતા પહેલા રાષ્ટ્રપતિ તેમની ચિંતાઓ સાંભળે. AIMPLBના પ્રવક્તા ડૉ. SQR ઇલ્યાસે જણાવ્યું હતું કે બોર્ડના મહાસચિવ મૌલાના ફઝલુર રહીમ મુજદાદીના સત્તાવાર પત્ર દ્વારા આ માંગણી કરવામાં આવી છે. બોર્ડે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી બોર્ડે પત્રમાં કહ્યું છે કે બિલમાં કરાયેલા સુધારા વકફ સંસ્થાઓની સ્વાયત્તતા અને વહીવટને અસર કરે છે. AIMPLB અનુસાર, આ…