અમદાવાદમાં હુક્કાબાર સામે પોલીસની મોટી કાર્યવાહી: સંચાલક સહિત અનેકની અટકાયત

અમદાવાદ શહેરમાં ગેરકાયદે હુક્કાબાર સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાબરમતી પોલીસે એસ.પી. રિંગ રોડ પર આવેલા એક કેફેમાં દરોડો પાડી ગેરકાયદે રીતે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે. કેફેની આડમાં ગ્રાહકોને હુક્કાની સુવિધા આપવામાં આવતી હતી અને હર્બલ ફ્લેવરના નામે નિકોટીન યુક્ત ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ શહેરમાં પોલીસની કાર્યવાહી દરમિયાન હુક્કાબારના સંચાલક સહિત હુક્કાની મજા માણી રહેલા કેટલાક ગ્રાહકોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી હુક્કા અને અન્ય સામગ્રી કબજે કરીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળી હતી ચોક્કસ બાતમી અમદાવાદ શહેરમાં સાબરમતી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રિના સમયે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એસ.પી.…

અમદાવાદ: ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના, ફાયર અને AMCના અધિકારીઓનો સમાવેશ નહીં

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ ગામની સીમમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. જોકે, SITમાં માત્ર પોલીસ અધિકારીઓને જ સ્થાન અપાતા અનેક સવાલો ઊભા થયા છે. શનિવારે (18 જુલાઈ) મહેમદપુરા વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ તંત્રે કાર્યવાહી કરતાં ફેક્ટરીનું જેસીબીથી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સાથે જ આસપાસ પરવાનગી વિના ચાલતી અન્ય બે ફેક્ટરીઓને પણ સીલ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનરે SITની રચના કરી છે. પોલીસ અધિકારીઓની SIT આ સમગ્ર ઘટનાની તપાસ માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. ટીમમાં રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સંબંધિત એસીપી અને ડીસીપી સહિત…

21 વર્ષથી ફરાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, હત્યાના ગુનામાં ગયો હતો જેલમાં

ઇમરાન કુરૈશી, અમદાવાદ/ અમદાવાદ પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. 21 વર્ષથી હત્યાના ગુનામાં ફરાર થયેલ પાકા કામના કેદીને ઝડપી પાડ્યો છે. અમદાવાદ મધ્યસ્થ જેલ સાબરમતી ખાતે શાહીબાગ પોલીસ સ્ટેશન મુજબ મર્ડરના ગુનાના કામે સાબરમતી જેલમાં કેદ રહેલ પાકા કામનો કેદી છેલ્લા 21 વર્ષથી ફર્લો રજા પર છુટી ફરાર થઇ ગયેલ હતો. જે ફર્લો ફરારી પાકા કેદી ઈનાયતભાઈ કાલુમીયા ગવલી રહે-કેમ્પ સદર બજાર શાહીબાગ અમદાવાદ શહેરને શાહીબાગ આગળથી ઝડપી પાડી ડીટેઈન કરી અમદાવાદ મધ્યસ્થ જેલ સાબરમતી ખાતે મોકલવા તજવીજ કરેલ છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

સારંગપુર બ્રિજ જાન્યુઆરી 2025થી 2.5 વર્ષ માટે બંધ રહેશે

B India અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશન નજીક સારંગપુર બ્રિજ અઢી વર્ષ સુધી ટ્રાફિકની અવરજવર માટે બંધ રહેવાનો છે. સારંગપુર બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બનાવવામાં આવશે, જેથી શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ 2 જાન્યુઆરી 2025થી 30 જૂન 2026 સુધી બ્રિજના બંને છેડા વાહનની અવરજવર માટે 24 કલાક બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય રેલવે મળીને ₹439 કરોડના ખર્ચે સારંગપુર બ્રિજ અને કાલુપુર બ્રિજ બંનેના નવીનીકરણ માટે એક મોટો રિનોવેશન પ્રોજેક્ટ હાથ ધરશે. જો કે હાલની સ્થિતિએ માત્ર સારંગપુર બ્રિજ જ ટ્રાફિક માટે બંધ રહેશે. આ બ્રિજ બંધ થવાના કારણે અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધશે. આ દરમિયાન દર્શાવ્યા મુજબ ડાયવર્ઝન આપવામાં આવશે.

ACB ગુજરાતે ડિકોય ટ્રેપ બાદ લાંચ કેસમાં હેડ કોન્સ્ટેબલ અને TRB જવાન સામે ગુનો નોંધ્યો

B India અમદાવાદ : ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આજે અમદાવાદ શહેરના “એમ” ટ્રાફિક ડિવિઝનના બે કર્મચારીઓ સામે 21 ડિસેમ્બર, 2024ના રોજ હાથ ધરવામાં આવેલા ડેકોય ઓપરેશન દરમિયાન રૂ.200ની લાંચ સ્વીકારવા બદલ ગુનો નોંધ્યો હતો.નારોલ-સરખેજ રોડ પર શાસ્ત્રી બ્રિજ પાસે હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ રામલાલ પટણી અને ટીઆરબી જવાન અશોકકુમાર ચતુરભાઈ પગી તરીકે ઓળખાતા આ આરોપીઓને રાખવામાં આવ્યા હતા. બાતમીના આધારે કાર્યવાહી કરતાં ટ્રાફિકના જવાનો લાયસન્સ ચેક, સીટબેલ્ટના ભંગ અને પીયુસી પાલન સહિતના વિવિધ બહાના હેઠળ વાહનો રોકી રહ્યા હોવાની અને મેમો આપવાથી બચવા માટે ₹100થી ₹2000 સુધીની લાંચની માગણી કરતા હોવાની ફરિયાદો મળ્યા બાદ એસીબીની ટીમે ડિકોય ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ટીઆરબી જવાન અશોકકુમાર પગી ડેકોયમાંથી 200 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો…

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, 2 લોકો ઈજાગ્રસ્ત

B India અમદાવાદ : શહેરના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં ડિલિવરી મેન અને રિસિવર સહિત બે લોકો ઘાયલ થયા હતા.સાબરમતીના શિવમ રો હાઉસમાં આજે સવારે આ ઘટના બની હતી જ્યારે એક ડિલિવરી મેનએ એક બળદેવ ભાઈ માટે બનાવાયેલ પાર્સલ પહોંચાડ્યું હતું. કિરીટ સુખૈડા એ વ્યક્તિ છે જે ઘાયલ થઈ હતી. પાર્સલની અંદરની બેટરી ફાટતાં જોરદાર ધડાકા સાથે અચાનક ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો, જેના કારણે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. ઇજાગ્રસ્તોના પરિવારના સભ્ય કમલ સુખૈડાએ જણાવ્યું હતું કે, “હું કામ પર હતો ત્યારે મારી માતાએ ફોન કર્યો હતો અને કહ્યું હતું…