
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય રેલવે મળીને ₹439 કરોડના ખર્ચે સારંગપુર બ્રિજ અને કાલુપુર બ્રિજ બંનેના નવીનીકરણ માટે એક મોટો રિનોવેશન પ્રોજેક્ટ હાથ ધરશે. જો કે હાલની સ્થિતિએ માત્ર સારંગપુર બ્રિજ જ ટ્રાફિક માટે બંધ રહેશે.
આ બ્રિજ બંધ થવાના કારણે અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધશે. આ દરમિયાન દર્શાવ્યા મુજબ ડાયવર્ઝન આપવામાં આવશે.








