ઊંઝા માર્કેટ યાર્ડમાં હવામાનની અનિશ્ચિતતાએ જીરાના ભાવમાં અણધાર્યો ઉછાળો, જાણો વિગત
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હવામાનની અનિશ્ચિતતાએ કૃષિ બજારમાં હલચલ મચાવી છે. ખાસ કરીને ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં અચાનક વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, કમોસમી વરસાદ અને અનિશ્ચિત વાતાવરણના કારણે 20 કિલો દીઠ ₹300થી વધુનો ઉછાળો નોંધાયો છે. હવામાનની અસર માત્ર પાક પર જ નહીં, પરંતુ ખેડૂતોના નિર્ણય પર પણ પડી રહી છે. વેપારીઓનું કહેવું છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતો રવિ પાકનું વાવેતર ખાસ કરીને જીરાનું મોડું કે ઓછું કરી શકે છે. આ કારણે સપ્લાયમાં ઘટાડો થવાની શક્યતા છે, જે સીધો પ્રભાવ ભાવ પર પડી રહ્યો છે. હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક 14,000 થી 15,000 બોરી જીરાની આવક થઈ રહી છે. જો વાતાવરણ અનુકૂળ નહીં રહે તો જીરાના ભાવમાં વધુ વધારો થવાની…
ખેડૂતો માટે રાહતના સમાચાર: સરકાર રૂ. 8060 પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવે કરશે કપાસની ખરીદી
ગુજરાતના કપાસ ઉગાડતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં રાજ્યમાં કપાસની ટેકાના ભાવે ખરીદી સુનિશ્ચિત કરવા માટે મહત્વના નિર્ણયો લેવાયા છે. ભારત સરકાર દ્વારા 2025-26 માટે કપાસનો ટેકાનો ભાવ રૂ. 8060 પ્રતિ ક્વિન્ટલ (અથવા રૂ. 1612 પ્રતિ મણ) નક્કી કરવામાં આવ્યો છે. હાલમાં કપાસનો બજાર ભાવ ટેકાના ભાવે કરતાં રૂ. 800 થી 1000 ઓછો છે, જેના પગલે મોટી સંખ્યામાં ખેડૂતો ટેકાના ભાવે કપાસ વેચવા ઇચ્છુક છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના સૂચનો: – CCI દ્વારા તમામ પાત્ર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી સુનિશ્ચિત કરવી. – જ્યાં જરૂરી હોય ત્યાં નોંધણીની સમયમર્યાદા લંબાવવા. – ખરીદી કેન્દ્રોની ઉપલબ્ધતા…








