ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, સૌરાષ્ટ્ર-કચ્છમાં 30% ઘટ; પાણીની તંગીનો ખતરો
ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ ધીમી પડી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યા છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની અછત હજુ પણ ચિંતાનો વિષય બની છે. ઉપલબ્ધ આંકડાઓ અનુસાર રાજ્યમાં સિઝન દરમિયાન સરેરાશ વરસાદ સામાન્ય કરતાં આશરે 7 ટકા ઓછો છે. બીજી તરફ, ગુજરાત રીજનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની અછતનો સીધો પ્રભાવ ખેતી અને પશુપાલન પર પડી શકે છે. ખાસ કરીને ખરીફ પાક માટે વરસાદના અંતિમ તબક્કાની સ્થિતિ ખૂબ મહત્વપૂર્ણ છે. જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે તો જમીનમાં ભેજની અછત સર્જાઈ શકે છે અને પાણીના સ્ત્રોતો પર પણ દબાણ વધવાની…
ડુંગળીના ભાવ વધતા સરકારનો મોટો પ્લાન! બફર સ્ટોક બહાર આવશે, નાશિકથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ 88 હજાર ટન ડુંગળી પહોંચાડાઈ
દેશમાં ડુંગળીના ભાવમાં વધારો થતાં સામાન્ય ગ્રાહકોની ચિંતા વધી છે. ખાસ કરીને દિલ્હી, ચેન્નાઈ, કોચી અને ગુવાહાટી સહિતના શહેરોમાં ડુંગળીના ભાવમાં વધારો નોંધાતા કેન્દ્ર સરકારે બજારમાં હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે દેશમાં ડુંગળીની અછત નથી, પરંતુ મોસમી પરિબળો અને પુરવઠા વ્યવસ્થાને કારણે કેટલાક વિસ્તારોમાં ભાવમાં વધારો થયો છે. ભાવને નિયંત્રણમાં રાખવા માટે હવે બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઉતારવામાં આવશે. આ ઉપરાંત નાશિકથી દેશના મોટા શહેરો સુધી ડુંગળી પહોંચાડવા માટે રેલવે રેકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વ્યવસ્થાને ‘કાંદા એક્સપ્રેસ’ તરીકે ઓળખવામાં આવી રહી છે. એક મહિનામાં ડુંગળીના ભાવમાં વધારો છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોના છૂટક બજારોમાં ડુંગળીનો ભાવ ₹60થી ₹65 પ્રતિ કિલો સુધી…
ચોમાસાને લઈને ચિંતાજનક આગાહી: વરસાદની ઘટ વધવાની શક્યતા, દુષ્કાળનું જોખમ 70% સુધી
દેશભરમાં ચોમાસાની સ્થિતિને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરે 2026ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા અંગે પોતાની આગાહીમાં મોટો ફેરફાર કર્યો છે. સ્કાયમેટે હવે સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદ લાંબા ગાળાની સરેરાશ એટલે કે LPAના માત્ર 85 ટકા રહેવાની આગાહી કરી છે. સાથે જ દેશવ્યાપી દુષ્કાળની સંભાવના 70 ટકા સુધી હોવાનું જણાવ્યું છે. આગાહી મુજબ ચોમાસાની બાકીની સિઝનમાં વરસાદનું વિતરણ પણ અસમાન રહી શકે છે. એટલે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં લાંબા સમય સુધી વરસાદની ઘટ જોવા મળી શકે છે. આ સ્થિતિ ખેતી, પાણીના જથ્થા અને આગામી રવિ સિઝન માટે ચિંતાનું કારણ બની શકે છે. સ્કાયમેટે કેમ ઘટાડ્યું વરસાદનું અનુમાન? સ્કાયમેટના જણાવ્યા અનુસાર પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ વધુ…
વિસાવદરના હવામાનમાં અચાનક બદલાવ: બપોરે આકાશ ઘેરાયું, રાત્રે કમોસમી વરસાદ
ગુજરાતમાં હવામાનના અચાનક બદલાવના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. વિસાવદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ પડતાં ખેતી પર સીધી અસર જોવા મળી રહી છે. દિવસ દરમિયાન વાતાવરણ મિશ્ર રહ્યું, પરંતુ બપોર બાદ આકાશ ઘેરાયું અને રાત્રે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા. ફેબ્રુઆરીમાં આવો વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક બની ગયો છે, ખાસ કરીને ખેતરોમાં તૈયાર પાક માટે. પાક પર અસર હાલ રવિ સીઝનના પાક લણણીની તૈયારીમાં છે. ખાસ કરીને: – ઘઉં – ચણા – તુવેર – ધાણા – જીરા જો વરસાદ ચાલુ રહેતો રહ્યો, તો પાક પલળી જવાથી ગુણવત્તા ઘટી શકે છે, કાળો પડી શકે છે અથવા સડી જવાની શક્યતા પણ છે. ખેડૂતો મોંઘું બીજ, ખાતર અને મહેનતથી પાક તૈયાર કરે છે, અને કમોસમી વરસાદ…
ગુજરાતના ખેડૂત ખાતેદારો માટે રાહતભર્યા સમાચાર, જમીન રિ-સર્વે ક્ષતિ સુધારવા સમય મર્યાદામાં વધારો
ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદારો માટે મહત્વના અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન રિ-સર્વે સંબંધિત ક્ષતિઓ સુધારવા માટે અરજી કરવાની સમય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં રિ-સર્વે રેકોર્ડનું પ્રમોલગેશન થયા બાદ અનેક ખેડૂતો દ્વારા ખાતા નંબર, ક્ષેત્રફળ, હદબંધી, માલિકીના નામો સહિતની વિગતોમાં ભૂલો હોવાની રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોને આવી વહીવટી અને ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાથી સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિર્ણય અનુસાર હવે ખેડૂત ખાતેદારો 31 ડિસેમ્બર 2026 સુધી રિ-સર્વે બાદની ક્ષતિઓ સુધારવા અરજી કરી શકશે. અગાઉની સમય મર્યાદા પૂર્ણ થવાના કારણે અનેક ખેડૂતો અરજી કરી શક્યા નહોતા, પરંતુ હવે તેમને પૂરતો સમય મળતાં મોટી રાહત મળી છે. આ નિર્ણયથી ખાસ…
રાજ્યમાં જીરાનો ભાવ ઊંઝામાં સર્વાધિક 4280 રૂપિયા, જાણો અન્ય યાર્ડના ભાવ
ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં આજે જીરાના ભાવોમાં ભારે ફેરફાર નોંધાયો છે. રાજ્યભરના કુલ 12 માર્કેટ યાર્ડમાંથી મળેલી માહિતી મુજબ પ્રતિ 20 કિલો દીઠ જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટમાં 4280 રૂપિયા નોંધાયો હતો. બીજી તરફ, સૌથી નીચો ભાવ અમરેલી યાર્ડમાં 2025 રૂપિયા રહ્યો હતો. નીચા ભાવો પ્રતિ 20 કિલો 2025 થી 3800 રૂપિયા વચ્ચે રહ્યા, જ્યારે ઊંચા ભાવો 3396 થી 4280 રૂપિયા સુધી નોંધાયા. આજે વિવિધ યાર્ડમાં નોંધાયેલા જીરાના ભાવ (પ્રતિ 20 કિલો) માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ ઊંઝા 3575 4280 રાધનપુર 3307 4041 જામનગર 3500 4035 સાવરકુંડલા 3800 4035 ગોંડલ 2851 4031 રાજકોટ 3575 4000 જસદણ 2500 3990 જેટપુર 3351 3926 જામજોધપુર 3500 3910 અમરેલી 2025 3865 પોરબંદર 3450 3850 વિસાવદર 2964 3396 રાજ્યના…
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ઝડપી મદદ, અત્યાર સુધી રૂ. 1098 કરોડની સહાય જમા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું હતું, તેવા કપરા સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે અડીખમ ઉભા રહીને સંવેદનશીલતા અને સક્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી હતી. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી…
રવી પાક વાવણીમાં જબરદસ્ત વધારો: 20.8 મિલિયન હેક્ટરમાં વાવેતર પૂર્ણ, ઘઉં અને તેલીબિયાંમાં તેજી
રવી સિઝનની વાવણી દેશમાં પૂરજોશમાં ચાલી રહી છે, અને કૃષિ ક્ષેત્રના તાજા અહેવાલો ખેડૂતો માટે પ્રોત્સાહક સમાચાર લાવી રહ્યા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના 11 નવેમ્બર, 2025 સુધીના ડેટા અનુસાર, દેશમાં કુલ 20.8 મિલિયન હેક્ટરમાં રવી પાકોનું વાવેતર થઇ ચૂક્યું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 1.946 મિલિયન હેક્ટરનો વધારો દર્શાવે છે. મુખ્ય પાકોમાં તેજી – ઘઉં (Wheat): રવિ પાક માટે ઘઉંના વાવેતરનો વિસ્તાર 56.55 લાખ હેક્ટરથી વધીને 66.23 લાખ હેક્ટર સુધી પહોંચી ગયો છે, જે 9.68 લાખ હેક્ટરનો મોટો વધારો છે. – કઠોળ (Pulses): કઠોળના કુલ વાવેતરના વિસ્તાર 5.282 મિલિયન હેક્ટર નોંધાયા છે, જેમાં ચણાનું વાવેતર 37.43 લાખ હેક્ટર સુધી પહોંચી ગયું છે, ગયા વર્ષની તુલનામાં 3.88 લાખ હેક્ટર વધુ. – તેલીબિયાં (Oilseeds):…
વાતાવરણમાં ફેરફારથી ડુંગળીના પાકમાં રોગ ફેલાતા ખેડૂતોને આર્થિક ફટકો, જાણો વિગત
ગુજરાતમાં સતત બદલાતા હવામાનના પ્રભાવને કારણે ખેડૂતો પર ફરી એકવાર આર્થિક તાકીદ વધી છે. વીઘા દીઠ 30થી 35 હજાર રૂપિયાનું ખર્ચ કરીને ઉછેરેલા ડુંગળીના પાકમાં હમણાં “થીપ્સ” અને “ચાર્મી” નામના રોગ ફેલાયા છે, જેના કારણે પાક પીળો પડવા લાગ્યો અને સુકાવી રહ્યો છે. ખેડૂતોએ સારા ભાવની આશા સાથે ડુંગળીનું પાક વાવેતર કર્યું હતું, પરંતુ કમોસમી વરસાદ અને બાદમાં વાતાવરણમાં ફેરફારને કારણે પાકને ગંભીર નુકસાન થયું છે. હાલ બજારમાં ડુંગળીનો ભાવ 100 થી 150 રૂપિયા પ્રતિ મણ છે, જે ખેડૂતો માટે નાકાફી છે અને તેમને આર્થિક નુકશાન થવાની શક્યતા છે. વિશેષજ્ઞોએ ખેડૂતોએ પાકના રોગોમાં નિયંત્રણ માટે યોગ્ય પગલાં લેવા અને જરૂરી સારવારના ઉપાયો અમલમાં લાવવાની સલાહ આપી છે. ખેડૂતોની આર્થિક સુરક્ષા માટે સરકારની સહાય અને માર્કેટિંગ સુવિધાઓ…
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકારની મોટી રાહત, હેક્ટર દીઠ 22,000 રૂપિયા સહાય; જાણો વિગત
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે તાજેતરમાં સૌથી મોટું સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂત માટે આશરે 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ પિયત અને બિનપિયત પાકો બંનેને સમાન રીતે વળતર આપવામાં આવશે, અને દરેક હેક્ટર માટે 22,000 રૂપિયા, બે હેક્ટર સુધીની મર્યાદામાં, સહાય આપવામાં આવશે. ખેડૂત અને પાક માટેની વિગત રાજ્યના 33 જિલ્લાઓના 251 તાલુકા અને 16,500થી વધુ ગામોમાં સરવૈયા અને નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ સર્વેમાં 5,100 ટીમો કાર્યરત રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, તે સમયે ખેડૂતો માટે સૌથી વધુ અસરકારક અને ઝડપી સહાયની વ્યવસ્થા કરવી જરૂરી હતી, જેથી ખેડૂતો આ અનિયંત્રિત કુદરતી પરિસ્થિતિના સમયે નાણાકીય નુકસાનમાંથી બહાર આવી શકે.…
















