7 મેટ્રો સ્ટેશન બંધ, રસ્તાઓ પર બેરિકેડથી થયું ‘દિલ્હી જામ’
રાજધાની દિલ્હીમાં ગુરુવારે જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે સેન્ટ્રલ દિલ્હીની ટ્રાફિક વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે અનેક મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ લગાવ્યા હતા અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા 17 મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યા હતા. આ કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત કર્યા હતા અને વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે વિવિધ માર્ગો પર રોક લગાવવામાં આવી હતી. આ વ્યવસ્થાના કારણે સેન્ટ્રલ દિલ્હીના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડી ગયો હતો.…
Ahmedabad : મેટ્રો મુસાફરોની સુવિધા અને સુરક્ષા અર્થે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો વિગત
અમદાવાદ શહેરમાં કાર્યરત મેટ્રો રેલ નેટવર્ક 60 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને મેટ્રો કોરિડોર અનેક સ્થાનિક પોલીસ સ્ટેશનોની હદમાંથી પસાર થાય છે. મેટ્રો ટ્રેનની અંદર અથવા મેટ્રોની મિલકતોને લગતા ગુનાઓ કે અનિચ્છનીય ઘટનાઓ સમયે અસરકારક સંકલન અને ઝડપી પોલીસ કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951, પેટા કલમ 12ની મળેલ સત્તા હેઠળ એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, મેટ્રો રેલના અલગ-અલગ વિસ્તારોને બે સેક્ટરમાં વહેંચીને ચોક્કસ પોલીસ સ્ટેશનોને ગુના નોંધવાની જવાબદારી સોંપવામાં આવી છે જેથી વહીવટી અનુકૂળતા રહે અને સામાન્ય જનતાને સરળતા રહે. નવા જાહેરનામા અનુસાર, મેટ્રો ટ્રેનની અંદર થતી ચોરી, મારામારી, છેડતી, અશ્લીલ વર્તન જેવી ઘટનાઓ તેમજ મેટ્રોની બિલ્ડિંગ, પ્લેટફોર્મ કે વાયરને…
દિલ્હી મેટ્રોનું થશે વિસ્તરણ…… મોદી કેબિનેટે ₹12,000 કરોડથી વધુના પ્રોજેક્ટને આપી મંજૂરી
દિલ્હી મેટ્રો અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ફેઝ 5A માં દિલ્હી મેટ્રોનું વિસ્તરણ થશે, જેમાં 16 કિલોમીટર સુધી 13 નવા સ્ટેશનો હશે. મોદી કેબિનેટે દિલ્હી મેટ્રોના વિસ્તરણ માટે ₹12,015 કરોડને મંજૂરી આપી છે. દિલ્હી મેટ્રોને તુગલકાબાદથી કાલિંદી કુંજ, રામકૃષ્ણ આશ્રમથી ઇન્દ્રપ્રસ્થ અને એરોસિટીથી ટર્મિનલ 1 સુધી લંબાવવામાં આવશે. ન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે જાહેરાત કરી હતી કે કેન્દ્રીય મંત્રીમંડળે ₹12,015 કરોડના ખર્ચે દિલ્હી મેટ્રોના ફેઝ 5A ને મંજૂરી આપી છે. આનાથી મેટ્રો લાઇન 16 કિલોમીટર સુધી વિસ્તૃત થશે અને 10 ભૂગર્ભ અને ત્રણ એલિવેટેડ સ્ટેશન સહિત 13 સ્ટેશનો ઉમેરાશે. મંત્રીમંડળના નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતા વૈષ્ણવે આ ટિપ્પણી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે મેટ્રો વિસ્તરણ પ્રોજેક્ટ ત્રણ વર્ષનો સમય લેશે. નવા વિસ્તરણ સાથે, દિલ્હી…









