ગામડાનો વિકાસ હવે બનશે વધુ વેગવંતો, રાજ્ય સરકારે 15માં નાણા પંચના બીજા હપ્તા હેઠળ કરી આટલા કરોડની ફાળવણી

રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા નાગરિકોને પાયાની અને આવશ્યક સેવાઓ સતત અને સરળતાથી પ્રાપ્ત થતી રહે તે સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 15મા નાણાપંચની ભલામણો મુજબ બીજા હપ્તા હેઠળ પંચાયતી રાજ સંસ્થાઓને કુલ રૂ.741.90 કરોડની માતબર રકમની ફાળવણી કરી છે. પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે એમ, 15માં નાણાપંચ હેઠળ આ વ્યાપક ફાળવણીનો મુખ્ય હેતુ રાજ્યના ગ્રામીણ માળખાને વધુ મજબૂત બનાવવાનો અને ગ્રામીણ નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. જાણો કેટલી થઈ ફાળવણી આ કુલ ફાળવણીને પંચાયતી રાજના ત્રણેય સ્તરો વચ્ચે રેશિયો મુજબ વહેંચવામાં આવી છે. આ વહેંચણી મુજબ ગ્રામ પંચાયતોને 70 ટકા લેખે રૂ. 519.33 કરોડ, તાલુકા પંચાયતોને 20 ટકા લેખે રૂ.…