અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદે ભારે અસર પેદા કરી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે વિવિધ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. 24 જુલાઈએ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગની આગાહી મુજબ 24 જુલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે…
અમદાવાદ જિલ્લામાં પાણીમાં ફસાયેલા 300થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર
અમદાવાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અને કેટલાક સ્થળોએ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતાં વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના સાણંદ, વિરમગામ, દસક્રોઈ અને ધોળકા સહિતના તાલુકાઓમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્થાનિક પ્રાંત કચેરી, તાલુકા વહીવટીતંત્ર અને અન્ય વિભાગોની ટીમો દ્વારા અસરગ્રસ્ત લોકો માટે રહેઠાણ, ભોજન અને પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સાણંદના વાસણામાં 110 લોકોનું સ્થળાંતર સાણંદ તાલુકાના વાસણા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે…
રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આજે સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી માટે રાજ્યના 15 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, છોટા ઉદેપુર અને સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ થાય છે. વાતાવરણમાં ભેજ અને નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા હવામાન વિભાગે આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આવતીકાલે મંગળવારે (4 નવેમ્બર) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે લોકોને ચેતવણી આપી છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવી.…
કચ્છ: રાપર આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં વ્યાપી ચિંતા
કચ્છ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક ફેરફાર થતા રાપર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. બપોરના આશરે ત્રણ વાગ્યાના સમયગાળામાં વરસાદની શરૂઆત થતા ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાપર શહેરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું, અને બપોર પછી અચાનક પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી ઉકળાટનો સામનો કરી રહેલા લોકોએ આ ઝાપટાંને “પ્રકૃતિનો તાજગીભર્યો આશીર્વાદ” ગણાવ્યો હતો. વરસાદ એટલો જોરદાર હતો કે શહેરના મુખ્ય બજાર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો જોવા મળ્યા હતા. પાણીના પ્રવાહને કારણે વાહનચાલકો અને રાહદારીઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કમોસમી વરસાદ ખેડૂતો માટે મિશ્ર પ્રતિક્રિયા લાવનાર સાબિત થયો છે. જ્યાં એક તરફ તાપમાનમાં ઘટાડો થવાથી રાહત…
સુરેન્દ્રનગરમાં ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ, જાણો વિગત
સુરેન્દ્રનગર જિલ્લાના ટોકરાળા ગામ નજીકથી પસાર થતી ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ વ્યક્ત થઈ રહી છે. કેનાલની દીવાલમાં તિરાડો પડી જતા અને માળખું નબળું થવાને કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદાની મુખ્ય કેનાલની દીવાલ તૂટી પડવાની ભીતિ ટોકરાળા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલનો એક ભાગ અત્યંત નબળો પડી ગયો છે. દીવાલમાં સ્પષ્ટ તિરાડો દેખાઈ રહી છે અને આખું માળખું જર્જરિત અવસ્થામાં છે. જો તાત્કાલિક સમારકામ નહીં થાય તો કેનાલની દીવાલ કોઈપણ સમયે તૂટી શકે છે. જો આવું બનશે તો લાખો લીટર નર્મદાનું પાણી આસપાસના ખેતરોમાં ફાટી નીકળશે, જેના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થશે અને ખેતરો બેટ (Flood Zone)માં ફેરવાઈ જશે. આ ઉપરાંત આસપાસની…
ગુજરાત : માવઠાથી થયેલા પાક નુકસાનનો અહેવાલ ત્રણ દિવસમાં સરકારને આપવા આદેશ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિદાએ તમામ જિલ્લાઓના અધિકારીઓને ત્રણ દિવસની અંદર પાક નુકસાનીનો વિગતવાર અહેવાલ સરકારને સુપરત કરવાની સૂચના આપી છે. મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લામાં મેદાની સ્તરે સર્વેની કામગીરી તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે. ખેતીવાડી વિભાગ, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર, અને ખેતીવાડી અધિકારીઓને સહયોગથી આ કામગીરી પૂર્ણ કરવાની સુચના અપાઈ છે જેથી ખેડૂતોને વહેલી તકે સહાય મળી શકે. ખેડા જિલ્લામાં થયેલા ભારે માવઠા અને પાક નુકસાન અંગે મંત્રી મહિડાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, “ખેડૂતોની પરિસ્થિતિ સરકારને સમજાય છે. તેમની મુશ્કેલીઓને હળવી કરવા દરેક સ્તરે…
અમરેલી : કમોસમી વરસાદને લઈ ખાંભા-સાવરકુંડલામાં માવઠાનો પ્રકોપ, ધાતરવડી-2 ડેમ છલકાયો
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો ત્રાટકો યથાવત રહ્યો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જાફરાબાદ અને રાજુલા બાદ હવે ખાંભા તેમજ સાવરકુંડલામાં માવઠાનો પ્રકોપ વધ્યો છે. જાફરાબાદ અને રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યા બાદ પીપાવાવ પોર્ટ અને બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. હવે ખાંભા અને સાવરકુંડલા તાલુકાઓમાં વરસાદનો રાઉન્ડ શરૂ થતાં તળાવ-નાળાં છલકાયા છે. સાવરકુંડલા, પીઠવડી, મોટા ભમોદરા, વંડા, ઝીંઝુડા, શેલણા સહિતના ગામોમાં વરસાદ ખાબકતા ગામજનોમાં હર્ષ અને ચિંતા બંને ભાવનાઓ જોવા મળી રહી છે. ખાંભા ગીર વિસ્તારમાં સતત છ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્રાકુડા, શ્યામગઢ, મોટા બારમણ, નિંગાળામાં સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસતાં શ્યામગઢની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભારે…
કમોસમી વરસાદના પગલે યાત્રિકોની ગિરનારની લીલી પરિક્રમા- 2025નું આયોજન થઇ શકશે નહીં, જાણો વિગત
ગિરનાર લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ જાણકારી આપતા જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના પગલે યાત્રિકો માટે ગિરનાર લીલી પરિક્રમા- 2025 મોકૂફ રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટરએ વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર લીલી પરિક્રમા માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર કાદવ કિચડ થવાની સાથે રસ્તાનું ધોવાણ પણ થયું છે. આ ઉપરાંત સીડી ભાગમાં સેવાળ થવાના લીધે, લપસી જવાની સાથે ઈજા પણ થઈ શકે છે, તેમજ અકસ્માત પણ થઈ શકે છે. આ સ્થિતિનું આજે મહંત ઇન્દ્રભારતી બાપુ, મહેશ ગીરીબાપુ સહિતના સાધુ સંતો, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ઉતારા- અન્નક્ષેત્રના ભાવેશભાઈ વેકરીયા સહિતના પ્રતિનિધિઓ , કલેકટર સહિતના…














