ગુજરાતમાં ખેડૂતો-પશુપાલકો માટે સરકારના મોટા નિર્ણયો: 301 ગામોમાં ઘાસચારો, 7 જિલ્લામાં 10 કલાક વીજળી
ગુજરાતમાં વરસાદની ઘટને કારણે ખેડૂતો અને પશુપાલકો સામે ઊભી થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિવિધ મહત્વપૂર્ણ પગલાં લીધા છે. પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદમાં ઘાસચારો, ખાંડનો જથ્થો, સિંચાઈનું પાણી અને ખેતીવાડી માટે વીજળી અંગે સરકારની કામગીરીની વિગતો રજૂ કરી હતી. સરકારના જણાવ્યા મુજબ ખેડૂતો અને પશુપાલકોને રાહત મળે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. 301 ગામોમાં 90 હજાર પશુધન સુધી ઘાસચારો પહોંચ્યો વરસાદની ઘટની સ્થિતિમાં પશુપાલકોને ઘાસચારાની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે વ્યવસ્થા મજબૂત કરી છે. અત્યાર સુધીમાં રાજ્યના 301 ગામોમાં આશરે 90 હજાર પશુધન સુધી ઘાસચારો પહોંચાડવામાં આવ્યો છે. કુલ 16 લાખ કિલો ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું સરકારે જણાવ્યું છે. સરકારના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ ઘાસચારાની કોઈ અછત નથી. વન…







