₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં? પોલીસ કમિશ્નરના પરિપત્ર સામે હાઇકોર્ટમાં PIL

– પરિપત્રથી ફરિયાદ નોંધવામાં વિલંબ થાય છે, તેથી રદ કરવાની PILમાં માંગ
– ₹20 લાખથી વધુના ફ્રોડ કેસમાં સીધી FIR નહીં, પહેલા કમિશ્નરની મંજૂરી જરૂરી

પંકજ મકવાણા – અમદાવાદ: શહેરમાં ₹20 લાખથી વધુની છેતરપિંડી અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસોમાં સીધી FIR નોંધવાની પ્રક્રિયા અંગે કાનૂની વિવાદ ઊભો થયો છે. અમદાવાદના પોલીસ કમિશ્નર દ્વારા વર્ષ 2020માં બહાર પાડવામાં આવેલા પરિપત્રને પડકારતી જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. અરજદારનો આક્ષેપ છે કે પરિપત્રના કારણે મોટા ફ્રોડ કેસોમાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા વધુ લાંબી બની જાય છે અને નાગરિકોને ન્યાય મેળવવામાં અનાવશ્યક વિલંબ થાય છે.

અરજી મુજબ, ₹20 લાખથી વધુના ચિટીંગ અથવા મિલકત સંબંધિત ફ્રોડ કેસમાં પોલીસ સ્ટેશન સીધી FIR નોંધતું નથી. પહેલા ફરિયાદને ઉચ્ચ અધિકારીઓ સુધી મોકલવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ કમિશ્નરની ઓફિસમાંથી મંજૂરી મળ્યા પછી જ FIR નોંધાય છે. અરજદારનું કહેવું છે કે આવી પ્રક્રિયા સામાન્ય નાગરિક માટે મુશ્કેલી ઊભી કરે છે અને તેને રદ કરવાની જરૂર છે.

સુનાવણી દરમિયાન હાઇકોર્ટએ અરજદારને સવાલ કર્યો કે 2020માં બહાર પાડાયેલા પરિપત્રને લગભગ છ વર્ષ બાદ શા માટે પડકારવામાં આવ્યો છે. અરજદારે દલીલ કરી કે મુદ્દો જાહેર હિતનો હોવાથી અરજી કરવામાં આવી છે. કોર્ટે અરજદારને પોતાની વિશ્વસનીયતા સાબિત કરવા અને સર્ક્યુલર હજુ અમલમાં હોવાનું સોગંદનામા દ્વારા દર્શાવવા કહ્યું છે. કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરાશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગરમી પહેલાં એસી ખરીદવાથી લાખો રૂપિયાની બચત, જાણો 7 મોટા ફાયદા

ગરમી શરૂ થાય તે પહેલાં એસી (એર કંડિશનર) ખરીદવું કેટલાંક કારણોસર વધુ લાભદાયક સાબિત થઈ શકે છે. અહીં એસી પહેલા ખરીદવાના 7 મહત્વપૂર્ણ ફાયદા જાણવા મળ્યા છે: 1. કાચા માલના…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સુરત ઇકોનોમિક રિજિયન માટે મોટો નિર્ણય: 1185 કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોને મંજૂરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવા માટે સુરત ઇકોનોમિક રિજિયન (SER) માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા 1185 કરોડ રૂપિયાના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના…