ખાલિદા ઝિયાનો ભારત સાથે કેવા રહ્યા સંબંધો? આ રીતે કરી હતી રાજકારણમાં એન્ટ્રી

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે અવસાન થયું છે. તેમને ઘણીવાર શેખ હસીના કરતાં વધુ ભારત વિરોધી બાંગ્લાદેશી નેતા માનવામાં આવતા હતા, પરંતુ તેમના ભારત સાથે ગાઢ સંબંધો હતા. બહુ ઓછા લોકો જાણે છે કે તેમનો જન્મ 1945માં જલપાઇગુડીમાં થયો હતો, જે હવે ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યનો ભાગ છે. તે સમયે, તે દિનાજપુર જિલ્લાનો ભાગ હતો, અને ભારત એક હતું. ભાગલા પડ્યા ન હતા, અને બંગાળ એક થયું હતું. ભાગલા પછી જ રાજ્યનો ભારતીય ભાગ પશ્ચિમ બંગાળ તરીકે ઓળખાવા લાગ્યો. દરમિયાન, પૂર્વ બંગાળ પાકિસ્તાનનો ભાગ બન્યું, અને પછી, 16 ડિસેમ્બર, 1971 ના રોજ સ્વતંત્રતા પછી, બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. આમ, ખાલિદા ઝિયાએ ભારત, પાકિસ્તાન અને પછી બાંગ્લાદેશના નાગરિક તરીકે પોતાનું જીવન જીવ્યું. તેઓ બાંગ્લાદેશમાં ટોચના…

બાંગ્લાદેશના ભૂતપૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બાંગ્લાદેશના ભૂતપૂર્વ PM ખાલિદા ઝિયાનું અવસાન થયું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના નેતાએ ઢાકાની એવર કેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. તેઓ 80 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ખાલિદા ઝિયાના પક્ષ, બીએનપી, એ તેમના મૃત્યુની પુષ્ટિ કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, બીએનપીએ જણાવ્યું હતું કે ડોકટરોએ તેમને થોડા સમય પહેલા મૃત જાહેર કર્યા હતા. ખાલિદા ઝિયાએ સવારે 6 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ઢાકાની એવર કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બીએનપીની સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ, પૂર્વ વડા પ્રધાન ખાલિદાની તબિયત 29-30 ડિસેમ્બરની રાત્રે બગડી ગઈ હતી. તેમની તબિયત વધુ ખરાબ થતાં, તેમને સારવાર માટે વિદેશ લઈ જવાની તૈયારીઓ ચાલી રહી હતી. કતારથી એક…

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલો: 5 ઘરોમાં આગ લગાવી દરવાજા બંધ કર્યા, જાણો વિગત

બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર તણાવ વધ્યો છે. શનિવાર, 27 ડિસેમ્બરના દિવસે પિરોજપુર જિલ્લાના દમ્રિતાલા ગામમાં હિંદુઓના 5 ઘરોના દરવાજા બહારથી બંધ કરીને આગ લગાવવામાં આવી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે ઘરના દરવાજા બંધ હોવાને કારણે આશરે 8 લોકોએ વાડ કાપીને બહાર નીકળ્યા. ઘરના અંદર રહેલું તમામ સામાન તેમજ પ્રાણીઓ બળીને ખાખ થઈ ગયા. પોલીસ અને તપાસ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાની સાચી કારણો શોધી શકાયું નથી, પરંતુ સ્થાનિક પોલીસે 5 શંકાસ્પદની ધરપકડ કરી છે. કેટલાક મીડિયારિપોર્ટ મુજબ, એક વ્યક્તિએ રૂમમાં કપડા ભરીને આગ લગાવી હતી. આગ પર સ્થાનિક લોકો દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી તીવ્ર હતી કે તેને લાંબા સમય સુધી કાબુમાં લાવી શકાઈ નહોતું. ઘટના સ્થળે…

યુક્રેન દ્વારા રશિયન રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન એટેકનો પ્રયાસ

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવએ સોમવારે દાવો કર્યો છે કે યુક્રે દ્વારા નોવગોરોડ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લાવરોવના જણાવ્યા અનુસાર, આ હુમલો 28 ડિસેમ્બરના રાત્રે 91 લાંબા અંતરના ડ્રોનથી કરવામાં આવ્યો હતો. લાવરોવએ દાવો કર્યો છે કે રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ તમામ ડ્રોનને નિષ્ફળ બનાવ્યાં. તેમણે આ પ્રકારની “બેજવાબદાર કાર્યવાહી” ને રાજ્ય-પ્રાયોજિત આતંકવાદ ગણાવ્યો અને જણાવ્યું કે રશિયન સશસ્ત્ર દળો હવે બદલો લેવા માટે લક્ષ્યો ઓળખી લીધા છે. શાંતિ વાટાઘાટો પર અસર લાવરોવના જણાવ્યા અનુસાર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુક્રેન સાથે સંભવિત શાંતિ કરાર અંગે વાટાઘાટો ચાલી રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે રશિયા વાટાઘાટોમાંથી પીછો નહીં ખેંચશે, પરંતુ વાટાઘાટોની સ્થિતિને ફરીથી સમીક્ષા કરવામાં…

ટ્રમ્પે પુતિન વિશે એવું શું કહ્યું કે ઝેલેન્સકી પણ હસવા લાગ્યા? જાણો વિગત

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ફ્લોરિડામાં મળ્યા હતા. આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ શાંતિ વાટાઘાટો અંગે ચર્ચા થઈ હતી. બેઠક બાદ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુક્રેન શાંતિ વાટાઘાટો 95% સફળ રહી છે. મુદ્દો રશિયા દ્વારા કબજે કરાયેલી જમીનનો છે. બંને દેશો હવે કરાર કરે તો સારું રહેશે. ટ્રમ્પે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કંઈક એવું કહ્યું જેનાથી ઝેલેન્સ્કી હસવા લાગ્યા. મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, “પુતિન (રશિયા) યુક્રેનને સફળ જોવા માંગે છે.” ટ્રમ્પનું નિવેદન સાંભળીને, નજીકમાં ઉભેલા યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ખડખડાટ હસી પડ્યા. આ ક્ષણનો વીડિયો વાયરલ થયો હતો અને હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઝેલેન્સકીનું નિવેદન પણ સામે આવ્યું ફ્લોરિડામાં ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ ઝેલેન્સકીએ એક નિવેદન પણ બહાર પાડ્યું.…

મેક્સિકોમાં ટ્રેન દુર્ઘટના: 13 મૃત્યુ, 98 ઘાયલ, ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

ઉત્તર અમેરિકા દેશ મેક્સિકોમાં એક ભયંકર ટ્રેન દુર્ઘટના બની છે. રિપોર્ટ્સ પ્રમાણે, ટાટા ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેના કારણે 13 મુસાફરોના મોત થયા અને 98 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે ઘટનાસ્થળે તાત્કાલિક સરકારી એજન્સીઓને મોકલવાની અને ઘાયલોને તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરવાની હિર્દયપૂર્વક આદેશ આપ્યો છે. દુર્ઘટના સ્થળે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અધિકારીઓ દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે. આ દરમિયાન, ટ્રેન માર્ગ પર મુસાફરો અને યાત્રિક સુરક્ષા માટે વધારાના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ દુર્ઘટના મેક્સિકોના ટ્રાન્સપોર્ટ વિભાગ માટે ગંભીર ચેતવણીરૂપ બની છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

‘યુક્રેન યુદ્ધ મુલતવી રાખવામાં આવ્યું છે, કોઈ સમયમર્યાદા નથી’: ઝેલેન્સકી સાથે બેઠક બાદ ટ્રમ્પનું નિવેદન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ફ્લોરિડાના માર-એ-લાગો રિસોર્ટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. આ બેઠકનો મુખ્ય હેતુ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોને આગળ વધારવાનો હતો. બેઠક પહેલા મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે યુક્રેન યુદ્ધને અટકાવવા માટેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે, પરંતુ હાલમાં કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે જો સહમતિ ન બને તો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. પુતિન સાથે પણ કરી હતી વાતચીત ટ્રમ્પે ખુલાસો કર્યો કે ઝેલેન્સકી સાથે મુલાકાત કરતા થોડા કલાકો પહેલા તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર ચર્ચા કરી હતી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પુતિન શાંતિ માટે ગંભીર છે અને યુક્રેનની સુરક્ષા માટે એક…

બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ: NCP નું જમાત-એ-ઈસ્લામી સાથે ગઠબંધન, અનેક નેતાઓએ આપ્યું રાજીનામું

બાંગ્લાદેશ: નવી બનેલી નેશનલ સિટિજન્સ પાર્ટી (NCP) આગામી સામાન્ય ચૂંટણી માટે જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વમાં ગઠબંધનમાં શામેલ થઈ રહી છે. આ ગઠબંધનનું ઔપચારીક એલાન જમાત-એ-ઈસ્લામના અમીર શફીકુર રહેમાએ કર્યું છે, જેની માહિતી બાંગ્લાદેશી મીડિયામાં પ્રગટાવવામાં આવી છે. NCPની શરૂઆત આ વર્ષે કરવામાં આવી હતી અને આ પાર્ટી વિદ્યાર્થીઓના નેતૃત્વે શરૂ કરવામાં આવી હતી, જેમણે પહેલા શેખ હસીના સરકાર વિરુદ્ધ આંદોલનો ચલાવ્યો હતો. તેમ છતાં, ઈસ્લામિક પાર્ટી સાથે ગઠબંધનનો નિર્ણય કેટલાક મોટા નેતાઓને નારાજ કરી રહ્યો છે. ખાસ કરીને મહિલા નેતાઓએ આ નિર્ણયનો વિરોધ કરતાં રાજીનામા આપવાનું શરૂ કર્યું છે. પાર્ટી પ્રમુખ ડો. તસનીમ જારા હવે NCP છોડીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. નવા ગઠબંધનના નિર્ણય બાદ કેન્દ્રિય સમિતિના ઘણા નેતાઓએ પણ પક્ષ છોડવાનો નિર્ણય કર્યો…

Thailand-Cambodia સીઝફાયર પર ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, કહ્યું ‘અમેરિકા જ વાસ્તવિક યુનાઈટેડ નેશન’

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં થાઈલેન્ડ અને કંબોડિયાની વચ્ચે શરૂ થયેલી લડાઈને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ સોશિયલ’ પર જણાવ્યું કે બંને દેશો વચ્ચે અચાનક શરૂ થયેલી લડાઈને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવશે અને તે શાંતિના માર્ગ પર પરત ફરશે. તે નિર્ણય તાજેતરમાં જ કરવામાં આવેલા સહમતીના આધારે લેવામાં આવ્યો છે. ટ્રમ્પના દાવા અનુસાર, બંને દેશોના નેતાઓએ ઝડપી અને નિષ્પક્ષ રીતે આ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે દુરદર્શિતા બતાવી. તેમણે જણાવ્યું કે આ નિર્ણય ઝડપી અને નિર્ણાયક હતો, અને આ પ્રકારની સ્થિતિમાં આવું હોવું જ જોઈએ. સંયુક્ત રાજ્ય અમેરિકાએ આ પ્રક્રિયામાં મદદ કરી છે અને તે પર ગર્વ છે. ટ્રમ્પએ ઉલ્લેખ કર્યો કે છેલ્લા 11 મહિનામાં યુદ્ધો અને સંઘર્ષોને ઉકેલવા કે…

કેનેડામાં ભારતીય યુવાનનું હોસ્પિટલમાં સારવાર ન મળતા મોત, એલોન મસ્કે હેલ્થ સિસ્ટમ પર કરી ટિપ્પણી

કેનેડામાં ભારતીય મૂળના 44 વર્ષના પ્રશાંત શ્રીકુમારની હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતા મોત નીપજ્યું છે. હોસ્પિટલમાં લગભગ આઠ કલાક સુધી રાહ જોવી પડતા છાતીમાં દુખાવાની ફરિયાદ હોવા છતાં તેમને પૂરતી તબીબી સહાયતા મળી નહોતી. ઈલોન મસ્કે X (Twitter) પર કેનેડાની હેલ્થકેર સિસ્ટમની કડી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે જ્યારે સરકાર તબીબી સેવા પૂરી પાડે છે ત્યારે તે એટલી જ કાર્યક્ષમ હોવી જોઈએ જેટલી US DMV (મોટર વાહન વિભાગ) છે, જેની ઘણી વખત બિનકાર્યક્ષમતા પર લોકોએ ટિપ્પણી કરી છે. પીડિત પરિવાર અનુસાર, શ્રીકુમારને 22 ડિસેમ્બરના બપોરે આશરે 12:15 વાગ્યે ગ્રે નન્સ કોમ્યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ લગભગ 12:20 થી 8:50 સુધી ટ્રાયજ એરિયામાં રોકાયા, જ્યાં તેમ છતાં સારવારના પૂરતા પગલાં લેવામાં આવ્યા નહોતા. છાતીમાં…