ન્યૂયોર્કમાં ભારે હિમવર્ષા: 3000 થી વધુ ફ્લાઇટ્સ રદ, 20 ઇંચ બરફ સાથે જનજીવન ઠપ્પ

શહેરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે હિમવર્ષાને કારણે ન્યૂયોર્ક અને આસપાસના વિસ્તારોમાં સંકટ સર્જાઈ ગયો છે. અંદાજે 20 ઇંચ જેટલો બરફ ખાબકતા જનજીવન ઠપ્પ થઈ ગયું છે. પરિવહન અને એરપોર્ટ્સ પર મોટી સમસ્યાઓ જોવા મળી રહી છે. એરપોર્ટ્સ પર સ્થિતિ: JFK એરપોર્ટ: 1087 ફ્લાઇટ્સ રદ, એરટ્રેન સેવા પણ અટકી. લાગાર્ડિયા એરપોર્ટ: 1025 ફ્લાઇટ્સ રદ. નેવાર્ક એરપોર્ટ (ન્યૂજર્સી): 861 ફ્લાઇટ્સ રદ. શહેરમાં પગલાં અને સલાહ: – ન્યૂયોર્ક પ્રશાસન દ્વારા બિન-જરૂરી મુસાફરી પર પ્રતિબંધ (Travel Ban) લાગુ. – બરફ હટાવવા મશીનો અને રાહત ટીમો કામગીરીમાં લાગેલા, પરંતુ સતત બરફને કારણે મુશ્કેલી. – નાગરિકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવાની અપીલ. નાગરિકોને સલાહ: માર્ગ પર જતાં સમયે ખૂબ જ સાવધાન રહેવું, ફરજિયાત હોમ સ્ટેનું પાલન કરવું, અને જરૂરી હોય તો…

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ મુહમ્મદ યુનુસ પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું

બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ પછી, તારિક રહેમાનના નેતૃત્વ હેઠળની નવી સરકારે સત્તા સંભાળી છે. નવી સરકારની રચનાના થોડા દિવસો પછી, રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને ભૂતપૂર્વ મુખ્ય સલાહકાર અને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ વિશે મોટા દાવા કર્યા છે. રાષ્ટ્રપતિ શહાબુદ્દીને યુનુસ પર ગેરબંધારણીય રીતે તેમને પદ પરથી દૂર કરવાનું કાવતરું ઘડવાના ગંભીર આરોપો લગાવ્યા છે. રાષ્ટ્રપતિએ ઢાકાના રાષ્ટ્રપતિ મહેલ બંગભવનમાં બાંગ્લાદેશી દૈનિક અખબાર કાલેર કંથોને આપેલા ઇન્ટરવ્યુમાં આ દાવો કર્યો છે. મોહમ્મદ શહાબુદ્દીને કહ્યું કે યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારના દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન, બાંગ્લાદેશને અસ્થિર કરવા અને બંધારણીય કટોકટી ઊભી કરવાના અસંખ્ય પ્રયાસો કરવામાં આવ્યા હતા. “તે દોઢ વર્ષ દરમિયાન, મને કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં સામેલ કરવામાં આવ્યો ન હતો. મારી વિરુદ્ધ વિવિધ કાવતરાં ઘડવામાં આવ્યા…

Donald Trumpના Mar-a-Lago બહાર સુરક્ષા ભંગ : શોટગન અને પેટ્રોલ કેન સાથે યુવક ઘુસ્યો, ગોળીબારમાં મોત

અમેરિકાના ફ્લોરિડા રાજ્યના વેસ્ટ પામ બીચ વિસ્તારમાં સ્થિત માર-એ-લાગો નિવાસસ્થાન બહાર ગંભીર સુરક્ષા ભંગની ઘટના સામે આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ ભવ્ય નિવાસસ્થાન તરફ એક 20 વર્ષીય યુવકે પેટ્રોલ ભરેલું ડબ્બું અને શોટગન સાથે ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોની તાત્કાલિક કાર્યવાહી દરમિયાન ગોળીબારમાં તેનો મોત નિપજ્યો. માહિતી અનુસાર, સંદિગ્ધ યુવક પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની હરકતો શંકાસ્પદ જણાઈ. તેની પાસે ફ્યૂલ કેન અને હથિયાર જોવા મળતાં જ United States Secret Service અને Palm Beach County Sheriff’s Officeના અધિકારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિ તંગ બનતાં ગોળીબારી કરવામાં આવી અને સ્થળ પર જ યુવકનું મોત થયું. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, પરિસરની સુરક્ષા માટે જોખમ ઊભું થતું જણાતાં તાત્કાલિક પ્રતિસાદ આપવો જરૂરી…

લેબનોનમાં ઇઝરાયલના ભીષણ હવાઈ હુમલા : હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર સહિત 12ના મોત

લેબનોનના પૂર્વી અને દક્ષિણ વિસ્તારોમાં રવિવારે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડર સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત નીપજ્યા હોવાનું અહેવાલો જણાવે છે. હુમલાઓને કારણે પ્રદેશમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે દાવો કર્યો છે કે બેકા ખીણના બાલબેક વિસ્તારમાં સ્થિત હિઝબુલ્લાહના ત્રણ મહત્વપૂર્ણ કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સૈન્યના જણાવ્યા મુજબ, આ સેન્ટરોનો ઉપયોગ ઇઝરાયેલ વિરુદ્ધ રોકેટ હુમલા અને અન્ય સશસ્ત્ર ગતિવિધિઓના આયોજન માટે થતો હતો. નવેમ્બર 2024ના યુદ્ધવિરામ બાદ આ સૌથી ઘાતક હુમલો ગણાઈ રહ્યો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતકોમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર હુસૈન મોહમ્મદ યાઘીનો સમાવેશ થાય છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે હુમલામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં…

બાંગ્લાદેશે ભારતીયો માટે વિઝા સેવાઓ પુનઃસ્થાપિત કરી, તારિક રહેમાનના આગમન બાદ સુધારા થયા

બાંગ્લાદેશના નવા વડા પ્રધાન તરીકે રહેમાન ના સત્તામાં આવતાની સાથે જ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવગ્રસ્ત સંબંધોમાં સુધારા માટે પહેલ થઈ છે. શુક્રવારે નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઇ કમિશને ભારતીય નાગરિકો માટે તમામ વિઝા સેવાઓ ફરી શરૂ કરી, ડિસેમ્બર 2025 થી લાગૂ થયેલા પ્રતિબંધને હટાવી દીધું. કોન્સ્યુલર સેવાઓ ફરી શરૂ – બાંગ્લાદેશ હાઇ કમિશન શુક્રવારે સવારે થી તમામ વિઝા સેવાઓ પુનઃસ્થાપિત. – હવે પ્રવાસી, મેડિકલ, વ્યવસાય અને કાર્ય વિઝા સહિત તમામ કેટેગરીઝ ઉપલબ્ધ. – BNP નેતૃત્વ હેઠળ તાજેતરના પગલાં સાથે ભારત સાથે સંબંધોને ઝડપથી સામાન્ય કરવા માટે ઇચ્છા દર્શાવવામાં આવી. ભારત તરફથી સકારાત્મક સંકેતો ભારતીય વરિષ્ઠ કોન્સ્યુલર અધિકારી અનિરુદ્ધ દાસએ જણાવ્યું કે ભારત પણ ટૂંક સમયમાં બાંગ્લાદેશી નાગરિકો માટે તમામ વિઝા સેવાઓ પુનઃસ્થાપિત કરશે. ડિસેમ્બરમાં થયેલા વિરોધ…

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ હથિયાર પર જાણો કોને અલ્ટીમેટમ આપ્યું, જાણો વિગત

અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યાર સુધીમાં બે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ચૂકી છે – ઓમાન અને જિનેવા ખાતે. બંને બેઠકમાંથી કોઈ સ્પષ્ટ પરિણામ નિકળ્યું નથી. તાજેતરમાં વૉશિન્ગટન ડીસીમાં બોર્ડ ઓફ પીસના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ટ્રમ્પે ફરી ઈરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પનો મેસેજ Donald Trumpએ કહ્યું કે ઈરાન સાથે પરમાણુ હથિયાર મુદ્દે કોઈ સ્થાયી અને સાર્થક સમાધાન લાવવું અનિવાર્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાનને પરમાણુ હથિયાર બનાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. ટ્રમ્પે જણાવ્યું કે આ અંગેની વાત અમેરિકાએ ઈરાનને પહેલા જ સ્પષ્ટ કરી દીધી છે. તે મુજબ, પરમાણુ હથિયારના મુદ્દે કરેલી વાતચીત સકારાત્મક છે, પરંતુ અમુક જરૂરી પગલાં લીધા વિના કોઈ સમાધાન શક્ય નથી. આગામી તબક્કો ટ્રમ્પે જણાવ્યું કે આગામી 10 દિવસમાં સ્થિતિ પર વધુ સ્પષ્ટતા આવશે.…

રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટો અચાનક સમાપ્ત થતાં ઝેલેન્સકી ટ્રમ્પ પર થયા ગુસ્સે ! જાણો શું થયું

બુધવારે સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવામાં રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા અચાનક સમાપ્ત થઈ ગઈ. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયા સાથેની શાંતિ મંત્રણાને અત્યંત મુશ્કેલ અને તંગ ગણાવી, પુતિન અને યુએસ પ્રમુખ ટ્રમ્પની ટીકા કરી. ઝેલેન્સકીએ રશિયા પર ચાર વર્ષ જૂના યુદ્ધને સમાપ્ત કરવા માટે કરાર પર પહોંચવાની પ્રક્રિયાને જાણી જોઈને લંબાવવાનો આરોપ લગાવ્યો. હકીકતમાં, યુએસ મધ્યસ્થી હેઠળ સ્વિટ્ઝર્લૅન્ડમાં આ વાટાઘાટો ચાલી રહી છે, યુએસ પ્રમુખ ટ્રમ્પે તાજેતરના દિવસોમાં બે વાર કહ્યું છે કે યુક્રેન અને ઝેલેન્સકીએ વાટાઘાટો સફળ થાય તે સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવા જોઈએ. ઝેલેન્સકીએ હવે કહ્યું છે કે રશિયા સાથેની તાજેતરની મુલાકાત ખરેખર મુશ્કેલ હતી, અને રશિયા એવી વાટાઘાટોને વિલંબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જે તેમના અંતિમ તબક્કામાં પહોંચી શકે છે. ઝેલેન્સકીના નિવેદનના…

Iran-United States પરમાણુ વાટાઘાટો જીનીવામાં અનિર્ણિત; હોર્મુઝ સ્ટ્રેટમાં લશ્કરી તણાવ વધ્યો

ઈરાન અને અમેરિકાની વચ્ચે પરમાણુ કાર્યક્રમ મુદ્દે યોજાયેલ નવી મંત્રણા સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવામાં ત્રણ કલાક સુધી ચાલી, પરંતુ કોઈ ઠોસ પરિણામ પર પહોંચ્યા વગર સમાપ્ત થઈ. બંને દેશો વચ્ચેનો આ બીજો રાઉન્ડ હતો, જે પશ્ચિમ એશિયામાં વધતા લશ્કરી તણાવની વચ્ચે યોજાયો હતો. વાટાઘાટો દરમિયાન ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં ફાયરિંગ કવાયત હાથ ધરી અને મિસાઈલો છોડીને પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું. પર્સિયન ખાડી અને ઓમાન ખાડી વચ્ચે આવેલો હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના લગભગ 20 ટકા તેલ પરિવહન માટે મહત્વપૂર્ણ જળમાર્ગ માનવામાં આવે છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવેલી આ કવાયતને અમેરિકાની વધતી લશ્કરી હાજરી સામેની ચેતવણી તરીકે જોવામાં આવી રહી છે. અમેરિકાએ પણ આ વિસ્તારમાં બે વિમાનવાહક જહાજો તૈનાત કર્યા છે, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની છે.…

તારિક રહેમાન બનશે બાંગ્લાદેશના નવા પ્રધાનમંત્રી, મોહમ્મદ યુનુસે શપથ પહેલા રાજીનામું આપ્યું

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે નવી સરકાર સત્તા સંભાળે તે પહેલાં રાજીનામું આપી દીધું છે. યુનસે મુખ્ય સલાહકાર તરીકે સેવા આપી હતી અને વિદાય સંબોધનમાં આ જાહેરાત કરી. મંગળવાર બાંગ્લાદેશ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે, જ્યારે બીએનપી પ્રમુખ તારિક રહેમાન વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન સાંજે 4 વાગ્યે શપથ ગ્રહણ કરાવશે. ભારતીય પ્રતીનિધિ તરીકે ઓમ બિરલા શપથ સમારોહમાં ભાગ લેશે. બાંગ્લાદેશની 13મી સંસદીય ચૂંટણીમાં વિજયી થયા બાદ, બીએનપીના અધ્યક્ષ તારિક રહેમાન મંગળવારે નવા વડા પ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ પરંપરાગત બંગભવનની જગ્યાએ રાષ્ટ્રીય સંસદના દક્ષિણ પ્લાઝા ખાતે યોજાશે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

અમેરિકામાં ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થી સાકેતનું મોત, 6 દિવસ બાદ મળ્યો મૃતદેહ

અમેરિકાના બર્કલેમાં ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ છ દિવસ પછી મળી આવ્યો છે. 22 વર્ષીય સાકેત શ્રીનિવાસૈયા કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં અનુસ્નાતકનો વિદ્યાર્થી હતો અને 9 ફેબ્રુઆરીના રોજ અચાનક ગુમ થઈ ગયો હતો. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટે તેના મૃતદેહની શોધની પુષ્ટિ કરી છે. મિશનએ કહ્યું, “અમને ખૂબ જ દુઃખ છે કે પોલીસે અમને જાણ કરી છે કે સાકેત શ્રીનિવાસૈયાનું અવસાન થયું છે અને તેમનો મૃતદેહ મળી આવ્યો છે. અમે સાકેતના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.” ભારતીય મિશને કહ્યું, “અમે સાકેતના પરિવારને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે તૈયાર છીએ. સ્થાનિક અધિકારીઓ સાથે સંકલનમાં રહીને, અમે સાકેતના મૃતદેહને ભારત પરત મોકલવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. અમારું કાર્યાલય પરિવાર સાથે સીધા સંપર્કમાં છે અને બધી ઔપચારિકતાઓમાં તેમની સાથે…