‘ખાલી ટ્વિટ કરવાથી યુદ્ધ નહીં અટકે’, ઈરાનના નેતા અલી લારિજાનીની ટ્રમ્પને કડક ચેતવણી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ વચ્ચે ઈરાને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારિજાનીએ સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ શરૂ કરવું સરળ હોઈ શકે છે, પરંતુ તેને માત્ર થોડા ટ્વિટ્સ કરીને સમાપ્ત કરી શકાતું નથી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કરેલી પોસ્ટમાં લારિજાનીએ ટ્રમ્પના યુદ્ધ વિરામ સંબંધિત દાવાઓને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી ટ્રમ્પ પોતાની ભૂલનો સ્વીકાર નહીં કરે અને તેની કિંમત ચૂકવે નહીં, ત્યાં સુધી ઈરાન કોઈપણ સંજોગોમાં પાછળ હટવાનું નથી.

ટ્રમ્પ અને લારિજાની વચ્ચે વધ્યો વાકયુદ્ધ
આ વિવાદ ત્યારે વધ્યો જ્યારે ટ્રમ્પે એક નિવેદનમાં દાવો કર્યો કે અમેરિકા દ્વારા ઈરાન પર એટલા મોટા પાયે હુમલા કરવામાં આવ્યા છે કે હવે ત્યાં નિશાન બનાવવા માટે કંઈ ખાસ બાકી રહ્યું નથી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનના લશ્કરી અને વ્યૂહાત્મક ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને અમેરિકા ઈચ્છે ત્યારે આ યુદ્ધનો અંત લાવી શકે છે.

પરંતુ લારિજાનીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઈરાન આ સંઘર્ષમાં પાછળ હટવાની તૈયારીમાં નથી અને તે અમેરિકા પર દબાણ વધારવાની વ્યૂહરચના અપનાવી રહ્યું છે.

સંઘર્ષ લાંબો ચાલવાના સંકેત
નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીથી ઈરાન, ઈઝરાયલ અને અમેરિકાની વચ્ચેનો સંઘર્ષ સતત તેજ બનતો જઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ જંગમાં સેંકડો લોકોના મોત થયા છે અને અનેક સૈન્ય તેમજ ઊર્જા સંબંધી ઠેકાણાઓને ભારે નુકસાન થયું છે.

તાજેતરના હવાઈ હુમલાઓમાં ઈરાનના મહત્વના ઓઈલ ડેપોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલશે તો તેની સીધી અસર વૈશ્વિક તેલ પુરવઠા અને મિડલ ઈસ્ટની અર્થવ્યવસ્થા પર પડી શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    રાજ્યસભામાં MSME સુધારા બિલ 2026 પસાર, નાના વેપારીઓને લેટ પેમેન્ટની સમસ્યામાં મળશે રાહત

    રાજ્યસભાએ સોમવારે માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસ ડેવલપમેન્ટ (સુધારા) બિલ, 2026ને મંજૂરી આપી છે. આ બિલનો મુખ્ય હેતુ માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME)ને સમયસર ચુકવણી સુનિશ્ચિત કરવાનો, વિલંબિત પેમેન્ટ સંબંધિત વિવાદોનો ઝડપથી ઉકેલ લાવવાનો અને નાના ઉદ્યોગોના કેશ ફ્લોને મજબૂત બનાવવાનો છે. બિલ પસાર થયા બાદ રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. રાજ્યસભામાં સરકારનું માનવું છે કે આ સુધારા કાયદાથી લાખો નાના વેપારીઓ અને ઉદ્યોગકારોને વ્યવસાય ચલાવવામાં સરળતા મળશે અને લાંબા સમયથી લંબાતી ચુકવણીની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. લેટ પેમેન્ટ સામે મળશે કાનૂની સુરક્ષા રાજ્યસભામાં નવા સુધારા મુજબ જો કોઈ ખરીદદાર MSME સપ્લાયરને ચુકવણી સંબંધિત આદેશને પડકારતી અરજી કરે અને તે અરજી છ મહિનાથી વધુ સમય સુધી કોર્ટમાં પેન્ડિંગ રહે, તો કોર્ટ…