ખુબ સરસ:અમદાવાદમાં ગેરકાયદેસર પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી
અમદાવાદમાં ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરવાંમાં આવી સાથે સાથે ગેરકાયદેસર પાર્ક કરાયેલા ૧૦ હજાર વાહનોને દંડ પણ ફટકારાયો.એસ્ટેટ વિભાગ દ્વારા દંડ વસુલ કરવામાં આવેલ છે.
આવતી કાલે થશે જુનાગઢ જિલ્લા પંચાયતનાં પ્રમુખની પસંદગી
રવિવારે ભાજપ નક્કી કરશે જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ, પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય બેઠક પરથી ચૂંટાયેલા મહિલાને સોંપશે સુકાન. કોના પર ઢોળાશે પસંદગીનો કળશ અને કોણ હશે નવા મહિલા સુકાની
ગરમીમાં હાઇડ્રેટેડ રહેવા માટે ઉનાળાનાં આ ઇન્સ્ટન્ટ પીણાં રાખો તમારી સાથે
ઉનાળો શરૂ થતાં જ ડિહાઇડ્રેશનની સમસ્યા વધી જાય છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે, લોકો વિવિધ પ્રકારના પીણાં પીવાનું શરૂ કરે છે. ઘણીવાર, તેઓ રસ્તાની બાજુના સ્ટોલ અથવા દુકાનોમાંથી પીણાં ખરીદે છે, જે ઘણીવાર પાચન સમસ્યાઓમાં વધારો કરે છે. આ સમસ્યાને ઉકેલવા માટે, ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ્સે કેટલાક ખાસ ઇન્સ્ટન્ટ પીણાંની ભલામણ કરી છે જે તમે બહાર જાઓ ત્યારે તમારી બેગમાં રાખી શકો છો અને જ્યારે પણ તમને તરસ લાગે ત્યારે તૈયાર કરી શકો છો અને પી શકો છો. ઉનાળાનાં તડકાથી પોતાને બચાવવા અને ઇલેક્ટ્રોલાઇટ ભંડાર ભરવા માટે, લોકો ઘણીવાર રસ્તાની બાજુના સ્ટોલ પરથી શેરડીનો રસ, લીંબુ-ફૂદીનાનું પાણી અને સત્તુ વગેરે પીવે છે. જો કે, આ પીણાં ઘણીવાર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ પીણાંમાં ભેળવેલું પાણી ઘણીવાર…
OMG! લ્યો ફરી આવ્યું ટેન્શન; અંબાલાલ પટેલે ફરી કરી છે મોટી આગાહી
ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ યથાવત છે બલકે કહી શકાય કે અતિ જેટલું છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ ગરમ અને સૂકું રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા આંકડા મુજબ, 42.4 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. સાથે સાથે સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેતા લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે.
ભારે ગંભીર બાબત : “પૂનમ ભરવા અંબાજી આવેલા શ્રદ્ધાળુઓની કાર પર પથ્થરમારો”
પૂનમ ના દિવસે અંબાજી મંદિર બાર શ્રદ્ધાળુઓની કાર ઉપર પથ્થરમારો કરવાં માં આવ્યો છે.અમદાવાદ થી અંબાજી પૂનમ ભરવા આવેલા શ્રદ્ધાળુઓની કાર પર પથ્થરમારો કરવાં માં આવ્યો છે
અધધધ કરોડનો દારૂ જપ્ત, પણ ગુજરાતમાં હાલ ચાલી રહ્યા છે “બુટલેગરોનાં અચ્છે દિન”
ગુજરાતમાં આમતો અચ્છે દિન તમામનાં આવ્યા છે તેવો જો કે દાવો છે. કદાચ સાચો પણ હશે કારણ કે ટાંકણીથી માંડીને ટેકનોલોજી સુધીનાં ભાવમાં અચ્છે દિન દેખાય જ છે. પેટ્રોલ-ડિઝલ હોય કે શાકભાજીનાં ભાવ અચ્છે દિનનાં ગવાહ છે. પણ હાલનાં સમયમાં ગુજરાતમાં બુટલેગરોનાં પણ અચ્છે દિન આવ્યા જેવો ક્યાસ જોવામાં આવી રહ્યો છે.
સુરતમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ: મુખ્યમંત્રીએ એક્ઝીબિશનનું કર્યું ઉદ્ઘાટન
સુરત: ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓરો યુનિવર્સિટી કેમ્પસ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝીબિશનનું વિધિવત ઉદ્ઘાટન કરીને પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું. વિકાસનું પ્રતિબિંબ: પ્રદર્શનના મુખ્ય આકર્ષણો આ પ્રદર્શન રાજ્યના સર્વાંગી વિકાસના ચાર મુખ્ય સ્તંભો – ઔદ્યોગિક વિકાસ, ગ્રીન એનર્જી, કૃષિ અને સેવા ક્ષેત્ર પર આધારિત છે. મુખ્યમંત્રીએ વિવિધ પેવેલિયન અને સ્ટોલની મુલાકાત લઈ ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. ગ્રીન એનર્જી: સોલાર અને વિન્ડ એનર્જી સંબંધિત પ્રોજેક્ટ્સ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. કૃષિ અને મેન્ગો ફેસ્ટિવલ: દક્ષિણ ગુજરાતની ઓળખ સમાન વિવિધ કેરીની જાતો પ્રદર્શિત કરતો ‘મેન્ગો ફેસ્ટિવલ’ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સેક્ટરલ વિભાજન:…
આત્મનિર્ભરતા તરફ આગેકૂચ: ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ
આત્મનિર્ભરતા તરફ આગેકૂચ: ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ ** VGRC સુરત 2026: ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન માટે નવા દ્વાર ખુલશે ** અમદાવાદ-મુંબઇ પ્રોજેક્ટ માટે ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ અને સંલગ્ન કામગીરી સ્વદેશી કંપની દ્વારા થાય તેવું આયોજન ** ગાંધીનગર, 30 એપ્રિલ 2026: ગુજરાતના ઔદ્યોગિક અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપતા આગામી 1 અને 2 મે 2026ના રોજ સુરત સ્થિત ઑરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન અને આધુનિક ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં રાજ્યની પ્રગતિ અને રોકાણની તકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી માર્ગદર્શન હેઠળ અત્યારે ભારતમાં પ્રથમ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ અમદાવાદ અને…
સુરતના ખેડૂતે લખી નવી કહાની: ‘ઘનજીવામૃત’થી જૈવિક ખાતરમાં આત્મનિર્ભર ભારત તરફ પગલું
સુરત: સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર જઇ રહ્યો છે એવા સમયે સુરતનાં માંગરોળિયા ગામમાં કમલેશ પટેલનાં ખેતરમાં 20થી વધુ મજૂરો ખરિફ સીઝન પહેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ‘ઘનજીવામૃત’ બનાવવામાં વ્યસ્ત છે. સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં અંભેટી ગામનાં ખેડૂત કમલેશ પટેલ પ્રાકૃતિક ખેતી કરે છે. એટલુ જ નહીં, પણ દેશને રાસાયણિક ખાતરની આયાત ઘટે અને તેના મજબૂત વિકલ્પ તરીકે ઘનજીવમૃત લાખો ખેડૂતો સુંધી પહોંચે તે સંકલ્પ સાથે ઘનજીવામૃત મોટા પાયે તૈયાર કરે છે. કૃષિ વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરવા માટે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે અને માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવે છે. કમલેશ પટેલ પણ માસ્ટર ટ્રેઇનર છે અને અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરણા આપે છે. રાજ્યમાં હાલ 8 લાખથી વધુ…
સત્તાનું સિંહાસન | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 | B INDIA | OPEN WATCH LIVE VIDEO
સત્તાનું સિંહાસન | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 | B INDIA https://youtube.com/live/l2q2wLMZ4Hs?feature=share તમામ 15 મહાનગરપાલિકામાં BJPનો ભગવો લહેરાયો 34માંથી 32 જિલ્લા પંચાયતોમાં પર BJPનો કબજો અમદાવાદમાં જિલ્લા પંચાયતોમાં BJPની ક્લીન સ્વીપ અમદાવાદના ખાડિયામાં ઐતિહાસિક ફેરફાર ભાજપના ગઢમાં કોંગ્રેસનો ધમાકેદાર પ્રવેશ વર્ષ 1972 બાદ ખાડિયામાં કોંગ્રેસનો વિજય ખાડિયામાં ભાજપને સૌથી મોટો ઝટકો કોંગ્રેસની પેનલ ખાડિયામાં વિજેતા બની ખાડિયામાં સૌથી મોટું રાજકીય અપસેટ રાજકોટમાં વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ગઢમાં ગાબડું ભાજપના ઉમેદવાર નિલેશ હેરભાનો થયો વિજય 25 વર્ષથી કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડ્યું ગાબડું સોનગઢ તાલુકા પંચાયતમાં 18 બેઠક પર ટાઈ ભાજપે 9 અને કોંગ્રેસે 9 બેઠકો જીતી વડોદરા મનપાના વોર્ડ 15ની પેનલ તૂટી, 1 બેઠક પર કોંગ્રેસની જીત દાણીલીમડામાં શહેજાદખાન પઠાણ સહિત કોંગ્રેસની પેનલની જીત જામનગરમાં આપ-કોંગ્રેસના જેલમાં બંધ…
















