આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુંભમેળામાં લગાવશે આસ્થાની ડૂબકી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર, તા. 7મી ફેબ્રુઆરીએ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરવાના છે. મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે. વડાપ્રધાન મોદીએ મહાકુંભમાં લગાવી હતી આસ્થાની ડૂબકી બે દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ગયા હતા. આ પ્રસંગે, તેઓ મહાકુંભમાં પવિત્ર સંગમમાં સ્નાન કર્યું હતું અને માતા ગંગાની પૂજા કરી હતી. આ દરમિયાન મહાકુંભમાંથી પીએમ મોદીની તસવીર…
અમદાવાદ શહેરમાં આ જગ્યાએ નવા બ્રિજ બનાવવાનું આયોજન, જાણો અહીં….
70 લાખથી વધુ વસ્તી ધરાવતા અમદાવાદ શહેરનો સમાવેશ ભારતના મેગાસિટીમાં થાય છે. શહેરની વસ્તી પણ વધી રહી છે. વસ્તી વધવાની સાથે જ શહેરમાં ટ્રાફિક પણ વધી રહ્યો છે. ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે અને શહેરના વિકાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયત્નશીલ રહ્યું છે. ત્યારે આ જ ક્રમમાં શહેરમાં 5 નવા બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે નવા ઓવરબ્રિજ, અંડરપાસ કે માઇનોર બ્રિજ બનાવવાનું આયોજન છે. એના સિવાય અન્ય 7 સ્થળો પર મોટા ફ્લાય ઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની શકયતા પણ તપાસવામાં આવશે. અમદાવાદમાં જે સ્થળો પર નવા બ્રિજ બનાવવાનું આયોજન છે, જેમાં ઇસ્કોન જંક્શન, ચાંદલોડિયા સિલ્વર સ્ટાર ચાર રસ્તા, રાજપથ રંગોલી…
સુરતમાં ગોઝારો અકસ્માત, બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર, એકનું મોત
સુરતના હજીરા ખાતે ડમ્પર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બંને વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, બંને વાહન પલ્ટી મારી ગયા હતા. ANMS કંપનીની બસમાં 50 જેટલા કર્મચારીઓ હતા. જેમાંથી 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે 30જેટલા લોકો ઘાયલ થયા છે. હજીરા વિસ્તારમાં સવારે આર્સેલર મિત્તલ કંપનીની બસ કર્મચારીઓને લઈ જઈ રહી હતી. તે દરમ્યાન ડમ્પર અને આર્સેલર મિત્તલ કંપનીની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલીક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે 30 થી વધુ લોકોને ઈજાઓ થવા પામી હતી. બસમાં 50 થી વધુ લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ, પુરઝડપે આવતા ડમ્પરે…
ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખે કહ્યું મેં જીવનમાં પ્રથમવાર ભાજપને મત આપ્યો છે
દિલ્હી વિધાનસભા ચૂંટણી બુધવારે સમાપ્ત થઈ, હવે મતગણતરી 8 ફેબ્રુઆરી, શનિવારના રોજ થશે. આ દરમિયાન, ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશન (AIIA) ના પ્રમુખ સાજિદ રશીદીએ ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમના જીવનમાં પહેલીવાર તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મતદાન કર્યું છે. મુસ્લિમોએ પણ મોટા પાયે ભાજપને ટેકો આપવાનું શરૂ કર્યું. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં લખ્યું હતું કે, ‘ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના સાજિદ રશીદી કહે છે કે તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત આપ્યો હતો. આ કોઈ એકલો કિસ્સો નથી, અને જો મુસ્લિમો પણ મોટી સંખ્યામાં ભાજપને ટેકો આપવાનું શરૂ કરે તો કહેવાતા ‘ધર્મનિરપેક્ષ’ પક્ષોએ ચિંતા કરવી જોઈએ. શું દિલ્હીના મુસ્લિમો ગુસ્સે…
ટ્રમ્પની બાયઆઉટ ઓફર સ્વીકારી અમેરિકાના 40 હજાર કર્મચારીઓએ લીધો રાજીનામું આપવાનો નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે, ત્યારથી દેશની અંદર અને બહાર ઉથલપાથલ મચી ગઈ છે. ટ્રમ્પે ફેડરલ સરકારમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ અંતર્ગત, તેમના દ્વારા કર્મચારીઓને આપવામાં આવેલી બાયઆઉટ ઓફર સ્વીકારવામાં આવી છે. ટ્રમ્પની બાયઆઉટ ઓફર સ્વીકારીને, લગભગ 40 હજાર કર્મચારીઓએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે ફેડરલ કર્મચારીઓને બાયઆઉટની ઓફર કરી હતી, એટલે કે, પોતાની નોકરી જાતે છોડી દેવાનો વિકલ્પ. આ માટે 6 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો. કર્મચારી વિભાગ દ્વારા મોકલવામાં આવેલા ઈમેલમાં, ઘરેથી કામ કરતા કર્મચારીઓને ઓફિસમાં પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું. આ કર્મચારીઓએ અઠવાડિયામાં 5 દિવસ ઓફિસમાંથી કામ કરવું પડશે. નોકરીમાંથી રાજીનામાના બદલામાં, સંઘીય કર્મચારીઓને આઠ મહિનાનો પગાર અને નિશ્ચિત ભથ્થું…
ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, ટ્રાન્સજેન્ડર્સને મહિલા રમતોમાં ભાગ લેવા પર પ્રતિબંધ
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ હવે મહિલા રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે નહીં. આ આદેશ ફેડરલ એજન્સીઓને એ સુનિશ્ચિત કરવાનો અધિકાર આપે છે કે લિંગને જન્મ સમયે સોંપાયેલ લિંગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે. ટ્રમ્પે આને મહિલા રમતોના રક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. ટ્રમ્પે 5 ફેબ્રુઆરીએ એક આદેશ બહાર પાડ્યો, જેમાં ટ્રાન્સજેન્ડર છોકરીઓ અને મહિલાઓને મહિલા રમત ટીમોમાં જોડાવાથી રોકવાની વાત કહેવામાં આવી છે. આ આદેશ લાંબા સમયથી ચાલતા કાનૂની વિવાદ વચ્ચે આવ્યો છે, જેમાં ઘણા રાજ્યો પહેલાથી જ સમાન પ્રતિબંધો લાગુ કરી ચૂક્યા છે. અગાઉ, ટ્રમ્પે ટ્રાન્સજેન્ડર લોકો અંગે બીજો એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો હતો, જેમાં સંરક્ષણ સચિવ પીટ હેગસેથને ટ્રાન્સજેન્ડર સૈનિકો પર…
વડોદરાની પોદ્દાર સ્કૂલમાં હોબાળો, વિદ્યાર્થીઓને કાઢી મૂકતા વાલીઓમાં રોષ
વડોદરાની પોદ્દાર સ્કૂલમાં હોબાળો મચ્યો છે. વિદ્યાર્થીઓને કાઢી મૂકવા ઉપરાંત શાળા સંચાલકોએ TC આપવાની ધમકી આપતા રોષે ભરાયેલા વાલીઓ ડીઈઓને રજૂઆત કરવા પહોચ્યા હતાં. વિદ્યાર્થીઓએ તેમણે પહેરલ શાળા યુનિફોર્મમાં સ્કૂલનો લોગો ના લગાવ્યો હોવાથી તેમને કાઢી મૂકાયા હોવાનો સંચાલકો દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને હાકી કાઢવાની ઘટનામાં વાલીઓએ પોદાર શાળા અને સંચાલકો પર ગંભીર આરોપ લગાવ્યા. વાલીઓએ આક્ષેપ કર્યો કે પોદ્દાર સ્કૂલ ફક્ત ઓનલાઇન ડ્રેસ વેચે છે. અને શાળા દ્વારા વેચાતા કપડાં બહુ મોંઘા હોય છે. બે બાળકોના ડ્રેસની કિંમત રૂ.28 હજાર જેટલી થતી હોય છે. આથી જેમના બે બાળકો હોય તેમના માથે વધારે ખર્ચ આવે છે. સ્કૂલમાં મોંઘા કપડાં હોવાથી તેમણે બહારની દુકાનમાંથી કપડાં લીધા. શાળા દ્વારા અપાતા કપડાં મોંઘા હોવાથી તેમને આર્થિક રીતે…
ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડ્યો, આ સ્ટાર ખેલાડીએ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા નિવૃત્તિની જાહેરાત કરી
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે આશ્ચર્યજનક રીતે તાત્કાલિક અસરથી વનડેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, અને તેની 50 ઓવરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 74 મેચ સુધી મર્યાદિત કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ ગુરુવારે જણાવ્યું હતું કે, સ્ટોઇનિસ T20I માં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે, અને ઉમેર્યું હતું કે 50 ઓવરના ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો તેમનો નિર્ણય T20 ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે છે. સ્ટોઇનિસની ODIમાંથી નિવૃત્તિનો અર્થ એ પણ છે કે CA તેની જગ્યાએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં અન્ય ખેલાડીને સ્થાન આપશે. સ્ટોઇનિસે નિવૃત્તિ અંગે નિવેદન આપ્યું “ઓસ્ટ્રેલિયા માટે ODI ક્રિકેટ રમવું એ એક અદ્ભુત સફર રહી છે અને હું લીલા અને સુવર્ણ વાતાવરણમાં વિતાવેલી દરેક ક્ષણ માટે આભારી છું. ઉચ્ચ સ્તરે મારા દેશનું પ્રતિનિધિત્વ…
હવે આ ભારતીય દિગ્ગજો પાકિસ્તાન નહીં જાય, તેઓ ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીમાં આ જવાબદારી નિભાવી રહ્યા છે
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરી રહ્યા છે. શુભમન ગિલને આ ICC ટુર્નામેન્ટ માટે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગિલને ટીમ ઈન્ડિયાનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અગાઉ, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનના પ્રવાસે જવા અંગે ઘણા દિવસોથી અટકળો ચાલી રહી હતી, પરંતુ અંતે, બીસીસીઆઈના પાકિસ્તાન ન જવાના નિર્ણયને કારણે આઈસીસીએ ભારતની બધી મેચ દુબઈમાં યોજવાનો નિર્ણય લીધો છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જ સમાચાર આવ્યા છે કે મેચ રેફરી જવાગલ શ્રીનાથ અને અમ્પાયર નીતિન મેનન પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ભાગ નહીં રહે, ભૂતપૂર્વ ભારતીય બોલર અને હવે મેચ રેફરી જવાગલ શ્રીનાથ અને અમ્પાયર નીતિન મેનન – 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન પાકિસ્તાન અને દુબઈમાં યોજાનારી ICC…
















