સુરતમાં ગોઝારો અકસ્માત, બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર, એકનું મોત

સુરતના હજીરા ખાતે ડમ્પર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બંને વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, બંને વાહન પલ્ટી મારી ગયા હતા. ANMS કંપનીની બસમાં 50 જેટલા કર્મચારીઓ હતા. જેમાંથી 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે 30જેટલા લોકો ઘાયલ થયા છે.

 

હજીરા વિસ્તારમાં સવારે આર્સેલર મિત્તલ કંપનીની બસ કર્મચારીઓને લઈ જઈ રહી હતી. તે દરમ્યાન ડમ્પર અને આર્સેલર મિત્તલ કંપનીની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલીક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે 30 થી વધુ લોકોને ઈજાઓ થવા પામી હતી. બસમાં 50 થી વધુ લોકો સવાર હતા.

 

મળતી માહિતી મુજબ, પુરઝડપે આવતા ડમ્પરે બસને એટલી જોરદાર ટક્કર મારી કે ટક્કર થતાંની સાથે જ બસમાંથી 3 વ્યક્તિ બહાર ફંગોળાઇ ગયા. અકસ્માતના પગલે રસ્તા પર લોકોમાં અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. બસમાં  AMNS કંપનીમાં કામ કરતા 50 જેટલા કામદારો હતા. જેમાંથી 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે 30 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 અને ખાનગી એમ્બ્યુલન્સની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Related Posts

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *