મહિસાગરમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો, SOGની ટીમે વધુ એક બોગસ તબીબ ઝડપાયો

B india મહિસાગર :- એક બાદ એક બોગસ ડોકટરો પર મહિસાગર SOG દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધુ એક બોગસ તબબિનો પર્દાફાશ થયો છે. બાલાસિનોરના અંતરિયાળ વિસ્તારમાં બોગસ ડોકટર ઝડપાયો છે. SOGએ ગરીબ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર વધું એક બોગસ ડોકટર ઝડપી પાડવામાં આવ્યો છે. મહિસાગર જિલ્લાથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે. ગરીબ લોકોના સ્વસ્થ સાથે ચેડા કરનાર બોગસ ડોકટર બાલાસિનોર ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપાયો છે. SOGની ટીમે બોગસ ડોકટર અને કમ્પાઉડરની ધરપકડ કરી છે. આમ મહિસાગર SOGની ટીમે એનેક બોગસ તબીબોની પોલ ખુલ્લા પાડીને કાર્યવાહી કરી છે. SOGની ટીમ દ્વારા બાતનીના આધારે રેડ કરતા બાલાસિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં બીમાર લોકોની સારવાર કરતા ડિગ્રી વગરના ડૉકટર રાજેન્દ્ર ઝાલાની અટકાયત કરાઈ છે. SOGની ટીમ દ્વારા…

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, હવે કાનૂની પ્રક્રિયા બનશે મજબૂત

B india અમદાવાદ :- ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ની કલમ-૮ હેઠળ ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવશે. સાથો સાથ આ નકલ પક્ષકારોને રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા પણ મોકલવામાં આવશે. કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી હુકમોના માત્ર સારાંશની નકલ મોકલવામાં આવતી હતી, પરંતુ હાલની કાનૂની જરૂરિયાતોને અનુલક્ષીને હવેથી સમગ્ર હુકમની નકલ રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા વિનામૂલ્યે મોકલવામાં આવશે. આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યો છે. આ પહેલના અમલીથી ચેરીટીતંત્રના વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેમજ પક્ષકારો માટે ન્યાયની સુલભતા સુનિશ્ચિત થશે. પોતાના કેસની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી નાગરિકોનો…

મહા કુંભ 2025થી યૂપીની અર્થવ્યવસ્થાને મળશે બુસ્ટર ડોઝ, આટલા કરોડની આવકનો અંદાજ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં મહાકુંભ2025 ની તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે, હવે બસ મહાકુંભની શરૂઆત થવાની રાહ જોવાઇ રહી છે. સંગમ નગરી વિશ્વભરના ભક્તોનું સંપૂર્ણ ઉત્સાહ સાથે સ્વાગત કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે આ વખતે પ્રયાગરાજ મહાકુંભમાં 40 કરોડથી વધુ ભક્તો આવવાની અપેક્ષા છે. આ કારણોસર, યુપીની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. -> UP કેટલી કમાણી કરશે? :- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક પરિષદને સંબોધિત કરતી વખતે ખુલાસો કર્યો હતો કે મહાકુંભમાં 40 કરોડ શ્રદ્ધાળુઓ હાજરી આપે તેવી અપેક્ષા છે અને તેનાથી ઉત્તર પ્રદેશને બે લાખ કરોડ રૂપિયા સુધીનો આર્થિક વેગ મળવાની અપેક્ષા છે. સીએમ યોગીએ કહ્યું છે કે મહાકુંભ એ ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક…

બાંગ્લાદેશની યુનુસ સરકારે બળતામાં ઘી હોમ્યું, ભારતના આમંત્રણને નકારી કાઢયું

હવામાન વિભાગના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભારતમાં આયોજિત સેમિનારમાં બાંગ્લાદેશી અધિકારીઓ હાજરી આપશે નહીં. યુનુસ સરકારના બાંગ્લાદેશના અધિકારીઓએ સરકારી ખર્ચે બિન-આવશ્યક વિદેશ યાત્રા પર પ્રતિબંધ હોવાનો ઉલ્લેખ કરીને ભારત સરકારના આમંત્રણને નકારી કાઢ્યું.સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આઇએમડીના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દિલ્હીમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૪ જાન્યુઆરીએ દિલ્હીના મંડપમ ખાતે યોજાનાર આ સેમિનાર માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત અવિભાજિત ભારતનો ભાગ રહેલા પડોશી દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાને પણ પોતાની ભાગીદારીની પુષ્ટિ કરી છે. જોકે, બાંગ્લાદેશે તેમાં જોડાવાનો ઇનકાર કર્યો છે -> આમંત્રણ 1 મહિના પહેલા મળ્યું – બાંગ્લાદેશ :- બાંગ્લાદેશ હવામાન વિભાગ (BMD) ના કાર્યકારી નિર્દેશક મોમિનુલ ઇસ્લામે એક મહિના પહેલા IMD તરફથી આમંત્રણ મળવાની પુષ્ટિ કરી…

અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને 1 વર્ષ પુરુ થવા પર આજથી ત્રણ દિવસ થશે ભવ્ય ઉજવણી

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાની મૂર્તિની આજથી (એટલે કે શનિવાર, ૧૧ જાન્યુઆરી) ત્રણ દિવસીય ઉજવણી શરૂ થવા જઈ રહી છે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ભવ્ય અને દિવ્ય મંદિરમાં રામલલાનો રાજ્યાભિષેક થયો. તે વર્ષના શુભ મુહૂર્ત મુજબ, આ વખતે પ્રતિષ્ઠા દ્વાદશીનો તહેવાર ૧૧ જાન્યુઆરીએ એટલે કે આજે ઉજવવાનો થાય છે. આ સંદર્ભે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ૧૧ થી ૧૩ જાન્યુઆરી સુધી ત્રણ દિવસીય મહોત્સવની જાહેરાત કરી છે. પહેલા દિવસથી જ સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થશે. આમાં, સંગીત, કલા અને સાહિત્યની દુનિયાની ઘણી પ્રખ્યાત હસ્તીઓ પોતાનું પ્રદર્શન આપશે. -> મંદિર પરિસરને 50 ક્વિન્ટલથી વધુ ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે :- ટ્રસ્ટ દ્વારા પ્રથમ વર્ષગાંઠના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, ત્રણ દિવસ માટે તમામ પ્રકારના પાસ બંધ…

ગોપાલનાં પડીકા ખાવાની આદત હોય તો ચેતી જજો, ગાંઠીયાના પેકેટમાંથી નીકળ્યો મરેલો ઉંદર

B india અમદાવાદ :- ગોપાલ કંપનીના નમકીન પેકેટમાંથી મરેલો ઉંદર નીકળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રેમપુર ગામની છે. જ્યાં બાળકી આરામથી નમકીન ખાતી હતી. આ દરમિયાન અંદરથી મરેલો ઉંદર નીકળ્યો. એવું કહેવાય છે કે, બાળકીને આ પેકેટનું નમકીન ખાવાનું ભારે પડી ગયું. કારણ કે હવે તેને ડાયેરિયા થઈ ગયો છે. બાળકીના પિતાના જણાવ્યાં મુજબ, તેની પત્ની તેની પુત્રીને નમકીનનું પેકેટ ખવડાવી રહી હતી. બાળકીને અચાનક ઝાડા ઉલ્ટી થવા લાગ્યા અને તપાસ કરવામાં આવતા પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો. બાળકી બીમાર પડી ગઈ અને તેને સારવાર માટે દાવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પરિવારે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ્સને બેદરકારી બદલ નમકીન કંપની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી છે. આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ…

ગુજરાતમાં વાદળો મંડરાયા, હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠામાં પડ્યા છાંટા

B india અમદાવાદ :-  ગુજરાતનાં વાતાવરણ સતત પલટો થઈ રહ્યો છે. ઠંડીની આવજા ચાલુ છે. આ વચ્ચે હવે ગુજરાતમાં વાદળો મંડરાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજથી ગુજરાતમાં સંકટના વાદળો છવાશે. તેમજ કમોસમી વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં વરસાદી છાંટા પડ્યા છે. -> બનાસકાંઠાનાં ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ આવ્યો ? :- ગુજરાતમાં ઠંડીનો પારો ઉંચોનીચો થઈ રહ્યો છે. શુક્રવાર સુધી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી હતી. પરંતું શનિવારથી અચાનક રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ છે. જેથી લોકોને રાહત અનુભવાઈ રહી છે. અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યભરમાં ઠંડીનો પારો નીચે ગયો છે. તો બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. વાતાવરણમાં પલટા બાદ પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા આવ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતાઓ…

અમદાવાદનાં થલતેજમાં વિદ્યાર્થિનીનું મોત, સીડી ચડતા આવ્યો હતો હાર્ટ એટેક

B india અમદાવાદ :- અમદાવાદના થલતેજમાં વિદ્યાર્થિનીનું મોત નિપજતા શાળામાં શોકનો માહોલ છવાયો છે. થલતેજની ઝેબર શાળામાં અભ્યાસ કરતી ધોરણ 3ની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સીડી ચડાતા સમયે છાતીમાં દુખાવો થયો હતો. ઝેબર શાળામાં સીડી પર જ વિદ્યાર્થિની ઢળી પડી હતી. જો કે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. સંચાલકોના જણાવ્યા અનુસાર શાળામાં પ્રવેશ લેતા તમામ વિદ્યાર્થીઓની મેડિકલ હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે. પરંતુ આ વિદ્યાર્થિનીની આ પ્રકારની કોઈ મેડિકલ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસે શાળાએ પહોંચી હતી. અને…

અમાદાવાદ : હવે પ્રી-વેડિંગ ફ્લાવર શોમાં પણ કરી શકાશે, અહીં જાણો તમામ વિગતો

B india અમાદાવાદ :- અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં હવે પ્રી-વેડિંગ શૂટ પણ કરી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્તવપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 2 દિવસ માટે પ્રી- વેડિંગ અને એડવર્ટાઇઝ શૂટ કરી શકાશે. જેના માટે સવાર અને સાંજ એમ બે સ્લોટ નક્કી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રિ-વેડિંગ શૂટિંગ માટે એક કલાકની રૂપિયા 25 હજાર અને એડવર્ટાઈઝિંગ કે ફિલ્મના શૂટિંગ માટે 3 કલાકની રૂપિયા 1 લાખ ફી નક્કી કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને 3 જાન્યુઆરીથી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં…

વડોદરામાં Zomato ડિલીવરી બોયે કરી છેડતી! મહિલાનો હાથ પકડી કહ્યું, તું મને બહુ જ ગમે

B india વડોદરા :-  વડોદરાનાં ન્યૂ અલકાપુરીમાં ઓનલાઈન ફ્રુડ મંગાવતી મહિલાને કડવો અનુભવ થયો છે. ડિલિવરી બોય મહંમદ અકમલ સિરાજવાલાએ ઓનલાઈન ફુડ મંગાવનાર મહિલાની છેડતી કરી હતી. ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડી લીધો હતો. તેણે મહિલાનો હાથ પકડી કહ્યું કે, ‘તું મને બહુ ગમે છે.’ મહિલાએ પરિવારને વાત કરી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે ફુડ ડિલિવરી બોય મહંમદ અકમલની પોલીસે ધરપકડ કરી હતી. વડોદરાના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલાએ ઝોમેટોમાંથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યું હતું. બપોરના સમયે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જેના બાદ 19 વર્ષીય યુવક મહિલાના ઘરે પહોંચ્યો હતો. મહિલાએ ફૂડ પેકેટ લેવા દરવાજો ખોલતા જ ફુડ ડિલીવરી બોયે મહિલાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો તો…