માધવપુર ઘેડ મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો ધમાકો, 650થી વધુ ખેલાડીઓ તૈયાર

પોરબંદર: ભગવાન કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સાંસ્કૃતિક ઉજવણીના ભાગરૂપે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મેળાના આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ માધવપુરના નયનરમ્ય બીચ પર વિવિધ રમતોનો આનંદ માણી શકે તે હેતુસર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના દરિયા કિનારે તા. 27-03-2026 થી તા. 30-03-2026 દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 650 થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લેવા આવી રહ્યા છે. આ ફેસ્ટિવલ અંતર્ગત બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, 100 મીટર દોડ, નાળીયેલ ફેંક તેમજ પરંપરાગત અખાડા કુસ્તી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા…

ગુજરાતમાં હવામાનમાં આવશે પલટો: તાપમાન ઘટશે, પવન અને વરસાદની આગાહી

ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે હવામાનમાં તાજેતરમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. કચ્છમાં હળવા કરા પડ્યા, જ્યારે આગલા દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને પવનનો માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી ગુજરાતના હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. લઘુત્તમ તાપમાન આગામી સાત દિવસ સુધી સ્થિર રહેશે. હાલ રાજ્યમાં અમરેલીમાં મહત્તમ 37.3°C અને અમરેલી-કેશોદમાં લઘુત્તમ 20.8°C નોંધાયું છે. પશ્ચિમી વિક્ષેપ અને વરસાદ ભારતીય હવામાન વિભાગ મુજબ, ઉત્તર પશ્ચિમ ભારતમાં બે પશ્ચિમી વિક્ષેપ 26 માર્ચ અને 28 માર્ચથી સક્રિય થવાના છે. આ સાથે સાઇક્લોનિક સર્ક્યુલેશન અને…

ગુરુને ગુરુદક્ષિણામાં મળ્યો દગો: પંકજ દેસાઈના પુત્રની શરમજનક કરતૂત!

પંકજ મકવાણા – અમદાવાદ, રાજકોટ: ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્યના સંબંધને પવિત્ર માનવામાં આવે છે, પણ રાજકોટમાં એક કળયુગી શિષ્યએ આ મર્યાદાના લીરેલીરા ઉડાવ્યા છે. જે હાથે ક્યારેક પાટી-પેન પકડાવી હતી, એ જ હાથોમાં આજે પોલીસની હથકડી પહેરાવવાનો વારો આવ્યો છે. પોતાની જ પૂર્વ શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવી, દોઢ વર્ષ સુધી પત્નીની જેમ રાખી, લાખો રૂપિયા પડાવીને છેલ્લે “તમે કોણ છો?” કહી તરછોડી દેનાર ધ્રુવલ પંકજભાઈ દેસાઈની કરતૂત જાણીને તમે પણ ફીટકાર વર્ષાવશો. સોશિયલ મીડિયાથી શરૂ થઈ ‘શિકાર’ કરવાની રમત! વાતની શરૂઆત થાય છે જૂન 2024માં. 2012માં ધોરણ 10માં અભ્યાસ કરતો ધ્રુવલ દેસાઈ અચાનક ફેસબુક પર પોતાની પૂર્વ શિક્ષિકાનો સંપર્ક કરે છે. શિક્ષિકા ડિવોર્સી છે અને એકલી રહે છે તેની જાણ થતા જ ધ્રુવલે ‘લગ્નની લાલચ’નું એવું…

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: ત્રણ જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે (25 માર્ચ, 2026) એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં રાજ્યના ત્રણ IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો આપવામાં આવ્યા છે. રાજ્યપાલના હુકમથી અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા દ્વારા આ આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ ફેરફારો હેઠળ જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લામાં નવા કલેક્ટરોની વરણી કરવામાં આવી છે, જે વહીવટી વ્યવસ્થામાં મહત્વપૂર્ણ બદલાવ તરીકે જોવામાં આવી રહી છે. મુખ્ય નિમણૂકો: 1. પી. બી. પંડ્યા (IAS 2013) હાલમાં અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે સેવા આપી રહેલા પી. બી. પંડ્યાને હવે જામનગરના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 31 માર્ચ, 2026ના રોજ નિવૃત્ત થનારા કે. બી. ઠક્કરનું સ્થાન લેશે. 2. જી. એચ. સોલંકી…

ગુજરાત વિધાનસભામાં GUJCTOC સુધારા વિધેયક પાસ: આતંકવાદી ગુનાઓ હવે BNS હેઠળ

ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક-2026’ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ સુધારા સાથે રાજ્યના GUJCTOC કાયદામાંથી આતંકવાદ સંબંધિત જોગવાઈઓ દૂર કરવામાં આવી છે. હવે આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત તમામ ગુનાઓની તપાસ અને કાર્યવાહી કેન્દ્ર સરકારના નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કરવામાં આવશે. કાયદાકીય ફેરફાર પાછળનું કારણ રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, વર્ષ 2015માં અમલમાં આવેલા GUJCTOC Actમાં આતંકવાદ અને સંગઠિત ગુનાઓ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ભારતીય ન્યાય સંહિતાની કલમ 113માં આતંકવાદ વિરોધી કડક જોગવાઈઓ પહેલેથી જ સમાવાઈ ગઈ છે. એક જ પ્રકારના ગુનામાં બે અલગ કાયદા હેઠળ કાર્યવાહી ન થાય તે માટે આ સુધારો લાવવામાં આવ્યો છે. હવે સંગઠિત ગુનાઓ પર વધુ ફોકસ આ સુધારા બાદ GUJCTOC…

રાજકોટ સહિત ગુજરાતમાં મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદીનો ટ્રેન્ડ વધ્યો, છતાં હિસ્સો હજુ ઓછો

ગુજરાતમાં મિલકત માલિકીના ક્ષેત્રમાં મહિલાઓનો હિસ્સો ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે. વિધાનસભામાં રજૂ થયેલા સત્તાવાર આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ 16.52 લાખથી વધુ વેચાણ દસ્તાવેજો નોંધાયા છે, જેમાંથી આશરે 4.68 લાખ દસ્તાવેજો મહિલાઓના નામે નોંધાયા છે. એટલે કે મહિલાઓનો હિસ્સો માત્ર 28.33 ટકા રહ્યો છે, જ્યારે પુરુષોનો હિસ્સો હજુ પણ 71.66 ટકા છે. જિલ્લાવાર તફાવત સ્પષ્ટ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહિલાઓના નામે મિલકત ખરીદવાના વલણમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. બોટાદ જિલ્લામાં મહિલાઓનો હિસ્સો સૌથી વધુ 41.23 ટકા રહ્યો છે. આ ઉપરાંત છોટા ઉદેપુરમાં 38.63 ટકા અને ગીર સોમનાથમાં 35.07 ટકા દસ્તાવેજો મહિલાઓના નામે નોંધાયા છે. સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં પણ સ્થિતિ સરેરાશથી સારી જોવા મળી છે, જ્યાં 34.60 ટકા મિલકત નોંધણી મહિલાઓના…

ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની ચર્ચા બાદ બહુમતિથી મંજૂરી

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આજે મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ 7.30 કલાકની સઘન ચર્ચા બાદ બહુમતિથી પસાર કરવામાં આવ્યું. ઉત્તરાખંડ પછી ગુજરાત દેશમાં આ કાયદો પસાર કરનાર બીજું રાજ્ય બની ગયું છે. CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું – “ગુજરાત માટે સુવર્ણ અક્ષર” બિલ પરના અંતિમ પ્રતિસાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગૃહને સંબોધતાં કહ્યું, “આ કાયદા દ્વારા રાજ્યના તમામ નાગરિકોને સમાન અધિકાર અને સમાન ન્યાય મળશે. આ બિલ કોઈ ધર્મ કે સંપ્રદાયના વિરોધમાં નથી, પરંતુ બંધારણીય સમાનતા સ્થાપિત કરવા માટેનું ક્રાંતિકારી પગલું છે.” 7.30 કલાકની ચર્ચામાં મુખ્ય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા બપોરે ૩ વાગ્યે શરૂ થયેલી ચર્ચા રાત્રે મોડે સુધી ચાલી, જેમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ ભાગ લીધો. આ દરમિયાન લગ્ન, છૂટાછેડા, વારસા હક…

CM ભૂપેન્દ્ર પટેલે ઇંધણ પુરવઠાની કરી સમીક્ષા, અફવાઓથી દૂર રહેવા અપીલ

ગાંધીનગર ખાતે ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં ઇંધણની ઉપલબ્ધતા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ જિલ્લાનાં કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, LPG અને PNGના જથ્થાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં હાલમાં તમામ પ્રકારના ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈપણ પ્રકારની અછત નથી. મુખ્યમંત્રીએ આ અંગે સંતોષ વ્યક્ત કર્યો અને પુરવઠો સતત જાળવવા સૂચનાઓ આપી. મુખ્યમંત્રીએ નાગરિકોને ખાસ અપીલ કરતાં જણાવ્યું કે તેઓ અફવાઓ પર વિશ્વાસ ન કરે. કેટલાક વિસ્તારોમાં ખોટી માહિતીના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જેના કારણે પેટ્રોલ પંપ અને ગેસ સિલિન્ડરની માંગમાં અચાનક વધારો નોંધાયો હતો. તેમણે વધુમાં ખાતરી આપી કે રાજ્ય સરકાર દ્વારા સમયસર અને પૂરતો પુરવઠો સુનિશ્ચિત…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે: પવનની દિશા બદલાતા તાપમાનમાં 2–3 ડિગ્રીનો ઉછાળો

ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં બદલાવને કારણે રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાશે. રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન પહેલેથી જ ઊંચું નોંધાઈ રહ્યું છે. રાજકોટ, પોરબંદર અને કંડલામાં 37 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 36 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન ઉપર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે. માર્ચના અંતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે, જ્યારે 4 થી 8 એપ્રિલ દરમિયાન ભારે પવન સાથે વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં આટલી ગરમી અનુભવાતી નથી, પરંતુ આ વર્ષે સરેરાશ કરતાં વધુ તાપમાન નોંધાઈ…

પેટ્રોલ-ડીઝલ અછતની અફવા: વેરાવળ અને આસપાસના પંપો પર લાંબી લાઈનો, લોકોમાં ભયનું માહોલ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સહિતના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછતની ખોટી અફવાઓ ફેલાતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો. સાંજ પડતાની સાથે જ શહેર અને હાઇવે પરના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી લાઈનો લગાવી જોવા મળી. કેટલાક પંપ પર તાત્કાલિક ‘નો સ્ટોક’ અથવા ‘ડ્રાય’ સ્થિતિ સર્જાતા વાહનચાલકોમાં પેનિક વધી ગઈ હતી. આ વચ્ચે, ઓઈલ કંપનીઓની ડેબિટ સુવિધા બંધ થવાથી સપ્લાય ચેઈન પર આંશિક અસર પડી છે. કન્ઝ્યુમર રેટમાં વધારાને કારણે પણ જથ્થાબંધ ખરીદદારો રિટેલ પંપ તરફ વળ્યા, જેનાથી સામાન્ય જનતા માટે ઘસારો વધારે થયો. વહીવટી તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી અને જણાવ્યું કે સમગ્ર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલ પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે. અધિકારીઓએ નાગરિકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અને માત્ર જરૂરિયાત મુજબ જ ખરીદી કરવા અપીલ કરી છે.…