surat : સુરતમાં વડાપ્રધાન મોદીનાં આગમનને લઈને તૈયારી શરુ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

સુરતમાં વડાપ્રધાન મોદીનાં પ્રવાસને લઈને તૈયારીઓ શરુ થઈ ગઈ છે. વડાપ્રધાન મોદી આગામી તારીખ 7 માર્ચના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી સાથે અન્ય મહાનુભાવો પણ સુરત આવનાર છે. વડાપ્રધાન મોદી અને મહાનુભાવોની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચે તે હેતુથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પણ વાંચો :- gandhinagar : સરકારી નોકરી આપતા ઉમેદવારો રાખે ખાસ ધ્યાન, GPSC એ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીને લઈને નવા નિયમો જાહેર સુરત પોલીસનું જાહેરનામું :- વડાપ્રધાન મોદીની સુરત મુલાકાતને લઈને સુરત પોલીસના જાહેરનામાં અનુસાર, સુરતના શહેરી વિસ્તારને ‘નો ડ્રોન ફલાય ઝોન’ જાહેર કરાયો છે. આ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામા આવતા ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઇડર, પેરા…

Amreli : અમરેલીમાં લસણના ભાવમાં ઉછાળો, 50 રૂપિયા પ્રતિ કિલો સુધી મોંઘુ થવાના એંધાણ

અમરેલી જિલ્લામાં લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ દિવસમાં જ લસણના ભાવમાં 200થી 300 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. બજારના જાણકારોના મતે આવનારા સમયમાં લસણ 50 રૂપિયા પ્રતિ કિલો સુધી મોંઘુ થઈ શકે છે. જેને લઈને ખેડૂતોમાં આનંદનો માહોલ છે. આ પણ વાંચો :- અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ અમરેલી જિલ્લાના બગસરા સહિતના તાલુકાઓમાં લસણનું વાવેતર કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં, મધ્યપ્રદેશથી આવેલા નવા લસણની 400 કટ્ટાની આવક થઈ છે. બજારમાં 20 કિલો લસણનો ભાવ તેની ગુણવત્તા પ્રમાણે 400 થી 1400 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. આ પણ વાંચો :-…

gandhinagar : સરકારી નોકરી આપતા ઉમેદવારો રાખે ખાસ ધ્યાન, GPSC એ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીને લઈને નવા નિયમો જાહેર

GPSCએ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈને જાહેર કરેલ નિયમ મુજબ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પરીક્ષા લેવામાં આવશે. અગાઉ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ જાહેરાત વર્ગ 1 અને 2ની ભરતીની જાહેરાત કરાઈ હતી. જેને ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં રદ કરવામાં આવી હતી. અને હવે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ભરતીને લઈને નવા નિયમો જાહેર કરાયા છે. આ પણ વાંચો :- GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાની શરુઆત, ઉમેદવારો 15 માર્ચ સુધી ભરી શકશે ફોર્મ GPSC વર્ગ-1 અને 2ની ભરતી પરીક્ષામાં પ્રિલિમ અને મુખ્ય એમ બે ભાગમાં પરીક્ષા લેવાશે. ઉમેદવારે મુખ્ય પરીક્ષા આપતા પહેલા પ્રિલિમ પરિક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે. પ્રિલિમ…

Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટને લઈને બે દિવસ વીરપુર રહેશે સજ્જડ બંધ, ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

જ્ઞાનપ્રકાશ સ્વામીનાં વિવાદિત નિવેદન લઈને બે દિવસ વીરપુર સજ્જડ બંધ રહેશે. વીરપુર ગ્રામ પંચાયતની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. આજે-કાલે બે દિવસ વીરપુર સજ્જડ બંધ રહેશે. આવશ્યક વસ્તુઓને બાદ કરતાં શહેર બંધ રહેશે. દવા, હોસ્પિટલ, જરૂરી ચીજોની દુકાનો ચાલુ રહેશે. મહત્વનું છે કે, જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતનાં કાળઝાળ ગરમી, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું વીરપુરની બેઠકમાં આગેવાનોનું સ્વામીને અલ્ટીમેટમ, સ્વામી કાલે સાંજ સુધીમાં વીરપુર આવી રૂબરૂ માફી માગે. માફી નહીં તો આગામી રણનીતિ 6 માર્ચે જાહેર થશે. વિવાદિત નિવેદન બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી તેમ છતાં વિરોધ શમવાનું નામ નથી લેતો. સંત શિરોમણી જલારામ બાપા સામેની વિવાદિત ટિપ્પણી બાદ નારાજગી વધી છે. યાત્રાધામ વીરપુરમાં પણ વિરોધનો…

IND vs AUS: ભારતની જીત પાકિસ્તાનને કેમ અપાવશે મોટું દર્દ?

ભારતીય ટીમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાની છે. ભારતીય ટીમ જીત સાથે ફાઇનલમાં પહોંચશે. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ભારત બે વખત ટાઈટલ જીત્યું છે. ભારત 2002 અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળ રહ્યું હતું. ભારત અને શ્રીલંકા 2002માં સંયુક્ત વિજેતા હતા, જ્યારે ધોનીની કેપ્ટન્સીમાં ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. હવે રોહિતની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાથી માત્ર બે પગલાં દૂર છે. તમને જણાવી દઈએ કે આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન દુબઈ અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ પાકિસ્તાન માટે દિલ તોડનારી વાત એ છે કે યજમાન હોવા છતાં તેમની ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકી નથી. આ પણ વાંચો :- હોળી પહેલા ઘરે લાવો આ વસ્તુઓ, જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે ભારત સેમીફાઈનલ જીતશે…

નાસિર હુસૈનની ભવિષ્યવાણી, ભારત-ઓસ્ટ્રેલિયામાંથી આ ટીમને વિજેતા જાહેર કરી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે દુબઈમાં પેનન્ટ્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમીફાઈનલ મેચ રમાઈ રહી છે. આ પહેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈન આ મેચના વિજેતાની ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. પૂર્વ કેપ્ટને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે અને સ્વીકાર્યું છે કે આ મેચમાં ભારતીય ટીમ ચોક્કસપણે ફેવરિટ છે. ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું, “ભારતને એક જ સ્થળે રમવાની તક મળી રહી છે. તે દુબઈની દરેક પરિસ્થિતિને જાણે છે, તેથી તેમાં કોઈ શંકા નથી કે કોણ ફેવરિટ છે. હું ભારતને ફેવરિટ માનું છું.” ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસૈને સ્વીકાર્યું છે કે ભારતીય ખેલાડીઓ ફોર્મમાં છે અને ભારતીય ટીમ ક્યાંયથી નબળી દેખાતી નથી. ભારતને પણ માત્ર એક જ સ્થળનો ફાયદો મળી રહ્યો છે અને ટીમ પાસે 4…

Vadodara: વડોદરામાં 12 સાયન્સના વિદ્યાર્થીનો આપઘાત, પરિવારજનોમાં છવાયો શોકનો માહોલ

વડોદરા શહેરમાં ધોરણ 12ની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીએ મોડી રાત સુધી વાંચ્યા બાદ પરીક્ષાના તણાવથી સ્યુસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવ્યું છે. 12 સાયન્સના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ પણ વાંચો :- Dwarka : દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળશે દાદાનું બુલડોઝર, તંત્રએ વધુ 69 ધાર્મિક સ્થળોને પાઠવી નોટિસ સાયન્સ વિદ્યાર્થીનો આપઘાત :- હરણી વિસ્તારમાં વિદ્યાર્થીના આપઘાતનો કિસ્સો સામે આવતા પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનું નામ દેવ પાટીલ હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીના આપઘાતની તપાસ કરતા પોલીસે પરિવારના નિવેદન લીધા છે. પરિવારના લોકોએ જણાવ્યું કે, દેવ મોડી રાત સુધી વાંચતો હતો. 17 વર્ષીય દેવ 12 સાયન્સમાં અભ્યાસ કરે…

gandhinagar : અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો!

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં ઠંડક રહેશે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેશે. જેથી ઠંડા પવનો ફૂંકાશે અને ગરમીથી આંશિક રાહત મળશે. આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય. એટલે આજથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના સેવવામાં આવી રહી છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ, ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી ક્યાં કેટલું તાપમાન ? :- ગુજરાતના તાપમાનમાં ઘટાડાનું મુખ્ય કારણ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પસાર થઈ રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. પવનની દિશામાં થતા ફેરફારને કારણે ઉત્તર દિશાથી ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે ગાંધીનગર,…

બ્રેડ ચાટ: આ વખતે તમે બ્રેડ સેન્ડવિચને બદલે બનાવો બ્રેડ ચાટ, જે પણ ખાશે તે આંગળીઓ ચાટશે

બ્રેડ ચાટએ એક લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ છે જે બ્રેડના ટુકડાને મસાલેદાર, મીઠી અને ખાટી ચટણી અને મસાલા સાથે ભેળવીને બનાવવામાં આવે છે. તે સ્વાદમાં સ્વાદિષ્ટ તો છે જ, પણ બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. ચા સાથે અથવા હળવા સાંજના નાસ્તા તરીકે બ્રેડ ચાટ ખાવાનો ઉત્તમ વિકલ્પ છે. તે ઘરે અથવા મિત્રો અને પરિવાર સાથે પાર્ટી દરમિયાન પણ પીરસી શકાય છે. તેનો સ્વાદ દરેકને ગમે છે, પછી ભલે તે બાળકો હોય કે મોટા. બ્રેડ ચાટ બનાવવા માટે વપરાતી સામગ્રી સરળતાથી ઉપલબ્ધ હોય છે, અને તે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે. જ્યારે બ્રેડના ટુકડાને ક્રિસ્પી બનાવવામાં આવે છે અને દહીં, ચટણી અને મસાલાથી કોટ કરવામાં આવે છે, ત્યારે તે સ્વાદનું અદ્ભુત મિશ્રણ બનાવે…

કાચી હળદરના ફાયદા: વાત-પિત્ત-કફ માટે કાચી હળદર રામબાણ છે, જાણો તેના અદ્ભુત ફાયદા

હળદર, ભારતીય રસોડાનો એક અભિન્ન ભાગ હોવા ઉપરાંત, એક ખૂબ જ અસરકારક ઔષધીય વનસ્પતિ પણ છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ હજારો વર્ષોથી દવા તરીકે કરવામાં આવે છે. ખાસ કરીને કાચી હળદર, જેને હરિદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઘણા રોગોની સારવારમાં મદદરૂપ થાય છે. હળદરમાં કર્ક્યુમિન નામનું સક્રિય સંયોજન હોય છે, જે તેને અપાર ઔષધીય ગુણધર્મો આપે છે. આયુર્વેદ અનુસાર, હળદરમાં ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફને સંતુલિત કરવાની ક્ષમતા છે. શરીરના ત્રણેય દોષોને નિયંત્રિત કરી શકે તેવી બહુ ઓછી ઔષધિઓ છે, અને હળદર તેમાંથી એક છે. એટલા માટે હળદરને ‘ત્રિદોષ વિનાશક’ કહેવામાં આવે છે. હળદર એક ફાયદાકારક ઔષધિ છે, જે આપણા ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા ઉપરાંત, ઘણી બીમારીઓની સારવારમાં પણ અસરકારક છે. આ પણ વાંચો…