વલસાડમાં ધર્માંતરણને લઈ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ગઇકાલે ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન મોહન ભાગવત વલસાડમાં આવેલા ભાવેશ્વર મહાદેવ મંદિરના રજત જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં તેમણે ધર્માંતરણને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે લોકોને કોઈ પણ લાલચ કે ડરના કારણે ધર્મ ના બદલવા જણાવ્યું છે. વલસાડમાં ધર્માંતરણ મામલે મોહન ભાગવતે જણાવ્યું કે, રોજિંદા જીવનના લોભ અને લાલચનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આપણે ધર્મથી દૂર થઈ શકીએ છીએ. આપણે યાદ રાખવું જોઈએ કે, ધર્મ જ દરેકને ખુશી તરફ લઈ જઈ શકે છે.લોકોએ કોઈ પણ સંજોગોમાં લોભ કે ભયના પ્રભાવ હેઠળ પોતાનો ધર્મ બદલવો જોઈએ નહીં. આ પણ વાંચો: સાબરકાંઠા: વડાલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ પીધી ઝેરી દવા મહાભારતનો…
BJP અને AIDMKના ગઠબંધનથી બદલાયુ રાજ્યસભાનું સમીકરણ, જાણો શું છે સ્થિતિ
ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને રાજ્યસભામાં નામાંકિત સભ્યો વિના બહુમતી મેળવી લીધી છે અને આ મોટો ફેરફાર એક દિવસ પહેલા AIADMKના NDAમાં ગઠબંધનને કારણે થયો છે. ભાજપ અને AIADMKના આ ગઠબંધનથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર થયો છે. ચાર AIADMK સાંસદોના સમર્થનથી NDA ની તાકાત વધુ વધી છે , જ્યારે વિપક્ષની સ્થિતિ નબળી પડી છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે ભાજપ શાસિત સરકારે રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ રજૂ કર્યું ત્યારે AIADMK એ બિલની વિરુદ્ધ મતદાન કર્યું હતું. હાલમાં રાજ્યસભામાં કુલ 236 સભ્યો છે, જેમાંથી નવ બેઠકો ખાલી છે. રાજ્યસભામાં NDAના 119 સભ્યો છે, જેમાં હરિયાણાના અપક્ષ સાંસદ કાર્તિકેય શર્માનો પણ સમાવેશ થાય છે, જેમણે ભાજપના સમર્થનથી ચૂંટણી જીતી હતી. હવે, ચાર AIADMK સાંસદોના સમર્થનથી, ભાજપની આગેવાની…
અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ માટે નવો નિયમ લાગુ, H-1B વિઝા હોય કે ગ્રીન કાર્ડ આ ડોક્યુમેન્ટ રાખવા પડશે સાથે
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે એક નવો નિયમ લાગુ કર્યો છે જે મુજબ દરેક ઇમિગ્રન્ટ, ભલે તે કાયદેસર વિઝા (જેમ કે H-1B અથવા વિદ્યાર્થી વિઝા) પર હોય, તેણે હવે પોતાના કાનૂની દસ્તાવેજો 24 કલાક પોતાની પાસે રાખવા પડશે. આ નિયમ 11 એપ્રિલથી અમલમાં આવ્યો છે. આ નિયમ ટ્રમ્પના આદેશ ‘પ્રોટેક્ટિંગ ધ અમેરિકન પીપલ અગેઇન્સ્ટ ઇન્વેઝન’ હેઠળ લાગુ કરવામાં આવ્યો છે, જેનો હેતુ અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી કરવાનો છે. યુએસ કોર્ટે સરકારને આ વિવાદાસ્પદ નિયમ લાગુ કરવાની મંજૂરી આપી છે. આ નિયમ હેઠળ, અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સને સરકારમાં નોંધણી કરાવવાની રહેશે અને દસ્તાવેજો પોતાની પાસે રાખવા પડશે. અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલા ઝડપી અને કઠોર નિર્ણયોમાં આ બીજું…
કોંગ્રેસનું ફોકસ ગુજરાત પર, રાહુલ ગાંધીએ તૈયાર કરી આ રણનીતિ
વડાપ્રધાનના હોમ સ્ટેટમાં કોંગ્રેસ હવે 2027ની ચૂંટણી માટે રણનીતિ ઘડી રહી છે. હવે અમદાવાદમાં કોંગ્રેસના તાજેતરના બે દિવસીય અધિવેશનબાદ, કોંગ્રેસ તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જિલ્લા પ્રમુખ સશક્તિકરણ કાર્યક્રમની શરૂઆત ગુજરાતમાંથી જ કરવા જઈ રહી છે. કોંગ્રેસ દ્વારા જિલ્લા એકમોને સશક્ત બનાવીને જમીન પર પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલું અભિયાન 15 એપ્રિલથી ગુજરાતમાં શરૂ થઈ રહ્યું છે. જેને લઈને કોંગ્રેસે ઔપચારિક રીતે કેન્દ્રીય અને રાજ્ય નિરીક્ષકોની યાદી બહાર પાડી છે. આમાં, 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ હવે ગ્રાઉન્ડ લેવલે ઉતરવા માટે રણનીતિ ઘડી રહી છે. ત્યારે હવે જિલ્લા અધ્યક્ષોની નિમણૂક માટે કમર કસી છે અને 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની…
ટ્રમ્પનો વધુ એક યુ-ટર્ન… સ્માર્ટફોન, લેપટોપ અને ચિપ્સ પર કોઈ ટેરિફ નહીં !
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈને વધુ એક વખત યુ ટર્ન લીધો છે. ટ્રમ્પે થોડા દિવસ પહેલા ચીન સિવાયના તમામ દેશો પર 90 દિવસ માટે ટેરિફ પર રોક લગાવી હતી. ત્યારે હવે અમેરિકાએ સ્માર્ટફોન, લેપટોપ અને ચિપ્સ જેવા ઇલેક્ટ્રોનિક સામાનને ટેરિફ કેટેગરીમાંથી બાકાત રાખ્યા છે. આનો અર્થ એ થયો કે હવે અમેરિકા આ માલ પર પારસ્પરિક ટેરિફ લાદશે નહીં. અમેરિકાના આ નિર્ણયથી એપલ અને સેમસંગ જેવી કંપનીઓને ફાયદો થશે. અમેરિકામાં સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર ટેરિફ લાદવામાં આવતાં તેમના ભાવમાં વધારો થવાની શક્યતા હતી. આના કારણે ઇલેક્ટ્રોનિક કંપનીઓને કેટલું નુકસાન થયું હશે. અમેરિકાને પણ આ જ ફટકો પડ્યો હોત. તેથી, અમેરિકાએ સ્માર્ટફોન, લેપટોપ અને સેમિકન્ડક્ટર પરના બદલો ટેરિફ દૂર કરવાનો નિર્ણય લીધો છે એવું માનવામાં આવી…
અંક જ્યોતિષ/13 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કૅલૅરીયુક્ત આહાર ટાળો. પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટે ની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય. દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મુકશે. તેને આ બીમારીમાંથી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા…
Panchang : 13 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ તિથી પ્રથમા (એકમ) પૂર્ણ રાત્રિ નક્ષત્ર ચિત્રા 09:11 PM કરણ બાલવ 07:11 PM પક્ષ કૃષ્ણ યોગ હર્ષણ 09:37 PM દિવસ રવિવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:58 AM ચંદ્રોદય 07:11 PM ચંદ્ર રાશિ કન્યા સૂર્યાસ્ત 06:45 PM ચંદ્રાસ્ત ચંદ્રાસ્ત નહીં ઋતું વસંત હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5126 દિન અવધિ 12:47 PM વિક્રમ સંવત 2082 અમાન્ત મહિનો ચૈત્ર પૌર્ણિમાન્ત મહિનો વૈશાખ શુભ/ અશુભ સમય શુભ સમય અભિજિત 11:56:26 – 12:47:34 અશુભ સમય દુષ્ટ મુહૂર્ત 05:03 PM – 05:54 PM કંટક/ મૃત્યુ 10:14 AM – 11:05 AM યમઘંટ 01:38 PM – 02:29 PM રાહુ કાળ 05:09 PM – 06:45 PM કુલિકા 05:03 PM – 05:54 PM કાલવેલા 11:56 AM – 12:47…
Gandhinagar: સેક્ટર 4માં ગેસનો બાટલો થયો બ્લાસ્ટ, આગ પર કાબૂ મેળવવા જતાં 4 ફાયર વિભાગના કર્મચારી ઇજાગ્રસ્ત
રાજ્યમાં આગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન આગની વધુ કે ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં સેક્ટર 4માં અચાનક આગની ઘટના સામે આવી હતી. જેમાં આગ પર કાબૂ મેળવવા જતાં જોરદાર બ્લાસ્ટ થતાં 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. આ બ્લાસ્ટમાં 4 ફાયર વિભાગના કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે ફાયર ફાઈટર્સ વિભાગના અધિકારીએ કહ્યું કે અમને ગાંધીનગરના સેક્ટર 4 માં જાહેર શૌચાલયની પાછળ આવેલા ઝુંપડામાં આગ લાગી હોવાની જાણકારી આપતો એક કોલ આવ્યો હતો જેના પર ત્વરિત કાર્યવાહી કરતાં ટીમને રવાના કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચતા જ ટીમ દ્વારા આગ ઓલવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવતા જ શૌચાલયની પાછળ આવેલા આગમાં લપેટાયેલા ઝુંપડામાં ગેસના બાટલામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેની લપેટમાં ફાયર…
















