Gandhinagar : ગાંધીનગરમાં આજે વિધાનસભા ગૃહની બેઠક મળશે, વિવિધ વિભાગના પ્રશ્નોની કરાશે ગહન ચર્ચા

ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહની બેઠક મળનાર છે. જેમાં પ્રશ્નોત્તરીકાળથી બેઠકની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણના વિભાગના પ્રશ્નોની ગહન ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક

આ બેઠક આદિજાતિ વિકાસ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન બિન સરકારી સભ્યોના કામકાજ માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જેમાં બિન સરકારી સભ્યોના કામકાજ પાંચમા અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, અંદાજ પત્રક સામાન્ય ચર્ચાનો આજે બીજો દિવસ છે. ગત રોજ સરકાર દ્વારા વિજળીના ભાવ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2024માં અદાણી પાવર ને રાજ્ય સરકારે 1403 કરોડ ફિક્સ ચાર્જ પેટે ચૂકવ્યા હતા.

આ પણ વાંચો :- surat : સુરતમાં વડાપ્રધાન મોદીનાં આગમનને લઈને તૈયારી શરુ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

વધુ મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે વર્ષ 2007 માં રૂપિયા 2.89 થી 2.35 ના રેટ પર કરાર કર્યા હતા. સમગ્ર બાબત બહાર આવતા રાજ્ય સરકારે કરાર કરતાં વધુ રેટ મોંઘી વીજળી ખરીદી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વધુ ભાવે વીજળીની ખરીદી અને યુનિટના ચાર્જ સહિતની વિગતો સરકાર ગૃહમાં રજૂ કરવામાં આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *