રાહુલ ગાંધી 2 દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને આયોજનની સમીક્ષા કરશે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં અમદાવાદ રાજીવ ગાંધી ભવન પર બેઠક મળશે. બેઠકમાં તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પ્રમુખ અને પૂર્વ પ્રમુખ હાજર રહેશે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશન અને 2027ની ચૂંટણીને લઈને બેઠકમાં મંથન કરશે. બેઠક પછી રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.
આ પણ વાંચો :- surat : સુરતમાં વડાપ્રધાન મોદીનાં આગમનને લઈને તૈયારી શરુ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું
કોંગ્રેસ પાર્ટીનું 8 અને 9 એપ્રિલ 2025 ના રોજ રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ પછી ગુજરાતમાં યોજાવવા જઈ રહ્યું છે. તેની તૈયારીઓ માટે એઆઈસીસી સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ અમદાવાદ આવ્યા હતા. અને અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કમિટી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી.આ દરમ્યાન એવી જાહેરાત કરવામાં આવી હતી કે, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રાહુલ ગાંધી 7, 8 માર્ચે ગુજરાતના બે દિવસ પ્રવાસે આવવાના છે.
આ પણ વાંચો :- gandhinagar : સરકારી નોકરી આપતા ઉમેદવારો રાખે ખાસ ધ્યાન, GPSC એ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીને લઈને નવા નિયમો જાહેર
છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી રાજ્યમાં ભાજપ સત્તામાં છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપના વિજય રથને 99 બેઠકો પર અટકાવ્યો હતો. 2022માં ભાજપને 53 ટકા વોટ મળ્યા હતા અને 148 બેઠકો જીતી હતી. કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શકી હતી. હાલમાં રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ ખુબજ નબળી છે ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા માટે આગામી દિવસોમાં શું નિર્ણયો લે છે તે જોવુ મહત્વનું બની રહેશે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







