Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક

રાહુલ ગાંધી 2 દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને આયોજનની સમીક્ષા કરશે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં અમદાવાદ રાજીવ ગાંધી ભવન પર બેઠક મળશે. બેઠકમાં તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પ્રમુખ અને પૂર્વ પ્રમુખ હાજર રહેશે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશન અને 2027ની ચૂંટણીને લઈને બેઠકમાં મંથન કરશે. બેઠક પછી રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.

આ પણ વાંચો :- surat : સુરતમાં વડાપ્રધાન મોદીનાં આગમનને લઈને તૈયારી શરુ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

કોંગ્રેસ પાર્ટીનું 8 અને 9 એપ્રિલ 2025 ના રોજ રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ પછી ગુજરાતમાં યોજાવવા જઈ રહ્યું છે. તેની તૈયારીઓ માટે એઆઈસીસી સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ અમદાવાદ આવ્યા હતા. અને અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કમિટી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી.આ દરમ્યાન એવી જાહેરાત કરવામાં આવી હતી કે, કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રાહુલ ગાંધી 7, 8 માર્ચે ગુજરાતના બે દિવસ પ્રવાસે આવવાના છે.

આ પણ વાંચો :- gandhinagar : સરકારી નોકરી આપતા ઉમેદવારો રાખે ખાસ ધ્યાન, GPSC એ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીને લઈને નવા નિયમો જાહેર

છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી રાજ્યમાં ભાજપ સત્તામાં છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપના વિજય રથને 99 બેઠકો પર અટકાવ્યો હતો. 2022માં ભાજપને 53 ટકા વોટ મળ્યા હતા અને 148 બેઠકો જીતી હતી. કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શકી હતી. હાલમાં રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ ખુબજ નબળી છે ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા માટે આગામી દિવસોમાં શું નિર્ણયો લે છે તે જોવુ મહત્વનું બની રહેશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

CM ભુપેન્દ્ર પટેલ ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. જવા રવાના….

CM ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત ડેલિગેશન સાન ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. રવાના -> ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત ડેલિગેશન અમેરિકાના પ્રવાસના મહત્વપૂર્ણ તબક્કા તરીકે સાન ફ્રાન્સિસ્કોનો પ્રવાસ પૂર્ણ કરીને બુધવાર, 19 ઓગસ્ટ 2026ના રોજ વોશિંગ્ટન D.C. જવા રવાના થયું છે. સાન ફ્રાન્સિસ્કોમાં વિવિધ ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠકો બાદ હવે ગુજરાત ડેલિગેશનનો આગળનો તબક્કો વોશિંગ્ટન D.C.માં શરૂ થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વિદેશ પ્રવાસે છે. તેમણે પોતાના અમેરિકા પ્રવાસના મહત્વના ચરણ રૂપે સેન ફ્રાન્સિસ્કો (San Francisco) ખાતેનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધો છે અને હવે તેઓ આગામી બેઠકો અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે વોશિંગ્ટન ડી.સી. (Washington D.C.) જવા રવાના થયા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત અને અમેરિકા વચ્ચે ટેક્નોલોજી,…

IAS તુકારામ મુંઢે છે કોણ ? હાલ માં તેઓ ખુબ ચર્ચા માં છે જાણો…

IAS તુકારામ મુંઢે કોણ છે? ‘સિંઘમ’ તરીકે જાણીતા અધિકારીની કહાની, 21 વર્ષમાં અનેક ટ્રાન્સફર છતાં કામ કરવાની અલગ ઓળખ -> IAS : ભારતીય વહીવટી સેવાના અધિકારી તુકારામ હરીભાઉ મુંઢે (Tukaram Mundhe) ફરી એકવાર ચર્ચામાં છે. મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષા અને ભેળસેળ સામે ચાલી રહેલી કડક કાર્યવાહીને કારણે તેઓ હાલ સમાચારોમાં છવાયેલા છે. કડક નિર્ણયો, નિયમોના પાલન પર ભાર અને નિડર વહીવટી શૈલીને કારણે તેમને ઘણીવાર ‘સિંઘમ IAS’ તરીકે ઓળખવામાં આવે છે. દેશના સૌથી ચર્ચિત, ઈમાનદાર અને પોતાના કડક નિર્ણયો માટે જાણીતા IAS ઓફિસર તુકારામ મુંઢે (Tukaram Mundhe) ફરી એકવાર સોશિયલ મીડિયા અને મીડિયાની હેડલાઇન્સમાં છવાયેલા છે. જ્યારે પણ કોઈ સિનિયર IAS ઓફિસરની વાત આવે અને તેમાં ‘પ્રામાણિકતા’, ‘જનહિત’ અને ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ’ જેવા શબ્દો જોડાય, ત્યારે તુકારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *