સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન, જાણો શું કહ્યું…..

સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન સામે આવ્યું છે. સમગ્ર બાબતે તેઓ જણાવ્યું હતું કે, શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી હતી, જેમાં તમામ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પોહોંચીને કામગીરી શરૂ કરી હતી. આગની ઘટનાને લઇ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત વિગતો મેળવી રહ્યા છે. અને તેઓ લોકોને મદદ કરી શકાય તેના માટે ચર્ચા કરી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં ગઇકાલે આગ લાગવાની ઘટના બની હતી. જે આગ 24 કલાક બાદ પણ બેકાબૂ જોવા મળી છે. આ ઘટનાના કારણે માર્કેટના વેપારીઓને હાલાકી વેઠવાની વારી આવી હતી. ત્યારે શિવશક્તિ ટેક્સટાઈલ બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનું સામે આવ્યું છે.

મહત્વની વાત એ છે કે, આજદિન સુધી અધિકારીઓને ગેરકાયદેસર બાંધકામ નજરે પડ્યું ન હતું. જેને લઇ આગની ઘટનામાં ફાયર બ્રિગેડને પરેશાન થવાની વારી આવી હતી.

Related Posts

દીવ-મુંબઈ વચ્ચે ઈન્ડિગો ફ્લાઇટનો ભવ્ય પ્રારંભ, પ્રથમ ઉડાનમાં 59 મુસાફરો રવાના

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને મુંબઈ વચ્ચે નવા હવાઈ કનેક્શનથી મુસાફરો માટે રાહત વધારાઈ છે. દીવના નાગવા એરપોર્ટ પરથી આજે ઈન્ડિગો એરલાઈન્સની દીવ-મુંબઈ ફ્લાઇટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી હવાઈ…

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *