સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન, જાણો શું કહ્યું…..

સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન સામે આવ્યું છે. સમગ્ર બાબતે તેઓ જણાવ્યું હતું કે, શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી હતી, જેમાં તમામ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પોહોંચીને કામગીરી શરૂ કરી હતી. આગની ઘટનાને લઇ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત વિગતો મેળવી રહ્યા છે. અને તેઓ લોકોને મદદ કરી શકાય તેના માટે ચર્ચા કરી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં ગઇકાલે આગ લાગવાની ઘટના બની હતી. જે આગ 24 કલાક બાદ પણ બેકાબૂ જોવા મળી છે. આ ઘટનાના કારણે માર્કેટના વેપારીઓને હાલાકી વેઠવાની વારી આવી હતી. ત્યારે શિવશક્તિ ટેક્સટાઈલ બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનું સામે આવ્યું છે.

મહત્વની વાત એ છે કે, આજદિન સુધી અધિકારીઓને ગેરકાયદેસર બાંધકામ નજરે પડ્યું ન હતું. જેને લઇ આગની ઘટનામાં ફાયર બ્રિગેડને પરેશાન થવાની વારી આવી હતી.

Related Posts

ગુજરાતમાં એકસાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય, 2થી 4 જુલાઈ વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ…

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ગ્રીન લેઝર લાઇટ, પાઇલટના એલર્ટ બાદ તપાસ શરૂ

સુરત એરપોર્ટ પર શનિવારે રાત્રે વિમાન સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન અજાણ્યા શખ્સે વિમાન તરફ ગ્રીન લેઝર લાઇટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *