બિશ્નોઈ ગેંગના સાગરીત પર SMCનું ફાયરિંગ, આસામથી પકડાયેલા આરોપીએ પોલીસ પર હુમલો કરતા કાર્યવાહી

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લિકર માફિયા અશોક બિશ્નોઈ પર ફાયરિંગ કર્યું છે. દાહોદ નજીક બનેલી આ ઘટનામાં આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના જવાબમાં SMC ટીમે સ્વબચાવમાં ગોળી ચલાવી હતી. ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગી છે.

આસામથી પકડાયો હતો આરોપી
લિકર કિંગ તરીકે ઓળખાતા અશોક બિશ્નોઈને SMCની ટીમે આસામમાંથી ઝડપી પાડ્યો હતો. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીને ખાનગી વાહનમાં આસામથી ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન દાહોદ નજીક તેણે ફિલ્મી ઢબે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

સીટ બેલ્ટથી પોલીસકર્મી પર હુમલો
આરોપીએ ચાલતી ગાડીમાં અચાનક હિંસક હુમલો કર્યો હતો. તેણે ગાડીની સીટ બેલ્ટ વડે પોલીસકર્મીના ગળે ફાંસો મારી દેવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસકર્મીનું જીવ જોખમમાં મુકાઈ ગયું હતું. હુમલાના કારણે વાહન કાબૂ બહાર જાય અને ગંભીર અકસ્માત સર્જાય તેવી સ્થિતિ પણ ઊભી થઈ હતી.

સ્વબચાવમાં SMCનું ફાયરિંગ
પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતા અને પોલીસકર્મીના જીવની સુરક્ષા માટે SMCની ટીમે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. એક ગોળી આરોપી અશોક બિશ્નોઈના પગમાં વાગતા તે અશક્ત બની ગયો અને ભાગવામાં નિષ્ફળ રહ્યો. બાદમાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતના 17 અધિકારીઓને IAS કેડરમાં બઢતી, કેન્દ્ર સરકારે નિમણૂકને આપી મંજૂરી

ગુજરાત રાજ્યની વહીવટી સેવાના 17 અધિકારીઓને ભારતીય વહીવટી સેવા (IAS)માં બઢતી આપવાના મહત્વપૂર્ણ નિર્ણયને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. વર્ષ 2025ની પસંદગી યાદી અંતર્ગત આ અધિકારીઓની IAS કેડરમાં નિમણૂક કરવામાં…

અયોધ્યાના રામ મંદિર દાન કૌભાંડ મામલે 8 લોકો સામે FIR, SIT તપાસ બાદ કાર્યવાહી

અયોધ્યામાં આવેલા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ અને કૌભાંડના મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિશેષ તપાસ ટીમ (SIT)ની ભલામણ બાદ આ કેસમાં આઠ લોકો સામે FIR નોંધવામાં આવી…