ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની મોટી કાર્યવાહી, વધુ એક આરોપી ઝડપાયો; કુલ 28 આરોપી જેલહવાલે

ભાવનગરમાં સામે આવેલા ચર્ચિત લઠ્ઠાકાંડ મામલે પોલીસ તપાસનો ધમધમાટ યથાવત્ છે. કેસની તપાસ કરી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા વધીને 28 થઈ ગઈ છે. SMCની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે ટીમે ભચાઉ ખાતે દરોડો પાડ્યો હતો. અહીંથી કેસમાં સંડોવાયેલા હોવાના આરોપસર ઇશ્વરભા દેવરાજભા ગઢવીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ભચાઉથી આરોપીની ધરપકડ SMCને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે ભચાઉમાં કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ઇશ્વરભા દેવરાજભા ગઢવી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ધરપકડ બાદ આરોપીને જરૂરી કાયદાકીય પ્રક્રિયા માટે ભાવનગર ખાતે લાવવામાં આવ્યો છે. પોલીસ હવે આરોપીની પૂછપરછ દ્વારા…

ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો, 61 અસરગ્રસ્ત; 10ની હાલત ગંભીર

ભાવનગર જિલ્લાના ખારકડી ગામમાં સામે આવેલા નકલી દારૂકાંડની ગંભીરતા સતત વધી રહી છે. ઝેરી દારૂ પીધા બાદ સારવાર લઈ રહેલા વધુ બે દર્દીઓના મોત થતાં 23 ઓગસ્ટ 2026 સુધીમાં મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે. મૃતકોમાં મૂળ મહીસાગર જિલ્લાના મુકેશ ડામોર અને ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં આશરે 61 લોકોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 10 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે. વધુ બે દર્દીઓએ સારવાર દરમિયાન દમ તોડ્યો મળતી માહિતી પ્રમાણે મૂળ મહીસાગર જિલ્લાના મુકેશ ડામોરની ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તબિયત વધુ ગંભીર બનતા તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.…

છોટાઉદેપુરના નસવાડીમાં નકલી જાતિના પ્રમાણપત્રનું કૌભાંડ: માત્ર ₹500માં ST સર્ટિફિકેટ બનાવાતું હોવાનો આરોપ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નકલી જાતિના પ્રમાણપત્ર બનાવવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થતાં વહીવટી તંત્રમાં ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ માત્ર ₹500માં નકલી જાતિનો દાખલો બનાવી આપવામાં આવતો હોવાનો આરોપ સામે આવ્યો છે. મામલતદાર કચેરી સુધી મામલો પહોંચ્યા બાદ નસવાડી મામલતદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. હવે પોલીસ તપાસમાં આ કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ કેટલા લોકો સંડોવાયેલા છે અને અત્યાર સુધીમાં કેટલા પ્રમાણપત્રો તૈયાર કરાયા છે તે બહાર આવવાની શક્યતા છે. નસવાડીમાં સામે આવેલા આ બનાવે સરકારી દસ્તાવેજોની વિશ્વસનીયતા અને પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને અનુસૂચિત જનજાતિ (ST)ના પ્રમાણપત્રો શિક્ષણ, સરકારી નોકરી અને વિવિધ સરકારી યોજનાઓમાં અનામતના લાભ સાથે જોડાયેલા હોવાથી આવા દસ્તાવેજોની નકલી બનાવટ ગંભીર બાબત…

GIR વન વિભાગની લાલ આંખ! અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી…

B india અમરેલી : GIR એશિયાટિક Lion સહિતના વન્યજીવોના સંરક્ષણ અને GIR વિસ્તારની વનસંપત્તિનું જતન કરવા માટે વન વિભાગે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની સૂચનાથી GIR પૂર્વ વન વિભાગે છેલ્લા ચાર મહિનામાં કુલ 75 ગુના નોંધ્યા છે અને રૂ.13.30 લાખથી વધુનો દંડ વસૂલ્યો છે. વન વિભાગની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ વન્યજીવોની પજવણી, ગેરકાયદેસર પ્રવેશ, શિકાર, લાકડાની ગેરકાયદેસર હેરફેર અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનો છે. -> GIR વન્યજીવ સંરક્ષણના ભંગ સામે લાલ આંખ :- GIR વિસ્તાર એશિયાટિક Lion માટે વિશ્વપ્રસિદ્ધ કુદરતી વસવાટનું સ્થળ છે. સિંહો ઉપરાંત અહીં વિવિધ પ્રકારના વન્યજીવો અને પક્ષીઓનું પણ મહત્વપૂર્ણ અસ્તિત્વ છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં માનવ હસ્તક્ષેપ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા…

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

ગુજરાતમાં હવે ‘એક જ નંબર’ પર મળશે તમામ ઈમરજન્સી સહાય: 112 ડાયલ કરો અને 24 નહી માત્ર 12 મિનિટમાં મદદ મેળવો!

પંકજ મકવાણા – અમદાવાદ/ગાંધીનગર, ગુજરાત સરકારે રાજ્યની સુરક્ષા અને આપત્કાલીન સેવાઓના માળખામાં એક ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. અમેરિકામાં જે રીતે ‘911’ નંબર ઈમરજન્સી સેવાઓ માટે રામબાણ સાબિત થયો છે, બરાબર તે જ તર્જ પર હવે ગુજરાતમાં ‘112’ (જનરક્ષા નંબર) સંપૂર્ણપણે કાર્યરત કરી દેવામાં આવ્યો છે. આ સેવાનો સૌથી મોટો આકર્ષક પાસું તેનો ‘રિસ્પોન્સ ટાઈમ’ છે, જે 24 મિનિટથી ઘટાડીને માત્ર 12 મિનિટ કરી દેવાયો છે. એક જ કોલ પર ત્રિવેણી સંગમ: પોલીસ, ફાયર અને મેડિકલ અત્યાર સુધી નાગરિકોને પોલીસ માટે 100, મેડિકલ સહાય માટે 108 અને આગ જેવી દુર્ઘટનામાં 101 નંબર અલગ-અલગ ડાયલ કરવા પડતા હતા. આ મૂંઝવણ દૂર કરતા હવે માત્ર ‘112’ ડાયલ કરવાથી એક જ પ્લેટફોર્મ પર તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ભલે તે લૂંટ-ફાટની…

પોલીસ ભરતીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, હવે લેખિત પરીક્ષા તરફ નજર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરિક કસોટી (Physical Test)નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. PSI (પી.એસ.આઈ.) કેડર અને લોકરક્ષક કેડર માટે રાજ્યભરના 15 અલગ-અલગ ગ્રાઉન્ડ પર વિશાળ સ્તરે પરીક્ષાઓ યોજાઈ હતી. જાહેરાત ક્રમાંક GPRB/202526/1 હેઠળ હાથ ધરાયેલી આ ભરતી પ્રક્રિયામાં 10 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો, જે રાજ્યમાં પોલીસ ભરતી પ્રત્યેનો ભારે ઉત્સાહ દર્શાવે છે. નોંધાયેલા કુલ 3,93,558 ઉમેદવારોમાંથી શારીરિક કસોટી માટે પસંદગી કરવામાં આવી હતી. 1.10 લાખથી વધુ ઉમેદવારો ક્વોલિફાય શારીરિક પરીક્ષા પૂર્ણ થયા બાદ કુલ 1,10,665 ઉમેદવારો સફળ જાહેર થયા છે. તેમાં 74,591 પુરુષ અને 36,074 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે મહિલાઓનો પણ નોંધપાત્ર પ્રમાણમાં ભાગ રહ્યો છે. રાજ્યભરમાંથી…

પોલીસને પડકાર ફેંકનાર સામે કડક કાર્યવાહી થશે: હર્ષ સંઘવી

ગાંધીનગર જિલ્લામાં પોલીસ આવાસ, જેલ અને અન્ય માળખાકીય સુવિધાઓના બાંધકામ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. દહેગામ ખાતે બનનારી નવી જેલનું ખાતમુહૂર્ત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ પ્રજાની સુરક્ષા માટે દિવસ-રાત કામગીરી કરે છે અને સરકાર પણ પોલીસ પરિવારની સુખાકારી માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગ હેઠળ અંદાજે રૂ. 273 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. બજેટમાં આગામી પાંચ વર્ષમાં પોલીસ પરિવાર માટે 20,400 મકાનો બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. “પ્રેશર કે ભલામણ કરનારાના હાથ ધ્રુજવા જોઈએ” કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ કડક સંદેશ આપતા જણાવ્યું કે પોલીસને પડકાર ફેંકનારાઓ સામે કાયદેસર અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર…

સુરક્ષિત ગુજરાત તરફ વધુ એક પગલું: ATSના નવા બિલ્ડિંગ સહિત ₹202 કરોડના પોલીસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત

ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 202.85 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા વિવિધ મહત્વના પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના છારોડી ખાતે 47.98 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક ATS બિલ્ડિંગ, બોડકદેવ ખાતે 33.49 કરોડના ખર્ચે બનનાર અર્બન પોલીસ સ્ટેશન, અમરાઈવાડી પોલીસ લાઈન ખાતે 74.62 કરોડના ખર્ચે પોલીસ આવાસ અને PSI ક્વાર્ટર્સ, કાગડાપીઠ ખાતે 39.68 કરોડના ખર્ચે પોલીસ આવાસ તેમજ સૈજપુર બોઘા ખાતે 5.74 કરોડના ખર્ચે ડૉગ કેનાલ તથા ટ્રેનિંગ ઓફિસ અને 1.34 કરોડના ખર્ચે SRP ગ્રુપ-2 ના બંગલાના કામોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પો સુવિધા સભર હશે જે પોલીસ પરિવારના જીવનધોરણમાં…

ગુજરાત પોલીસ PSI ભરતી: 472 બિનહથિયારી પદો માટે 1023 ઉમેદવાર ક્વોલિફાય

ગુજરાત પોલીસ બિનહથિયારી PSI ભરતી 2024-25 અંતર્ગત 472 પદો માટે 1023 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયા હોવાની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી છે. આ દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા ગાંધીનગર કરાઈ ખાતે આવેલી ગુજરાત પોલીસ અકાદમીમાં 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાશે. 1,02,935 ઉમેદવારોએ આપી હતી લેખિત પરીક્ષા આ ભરતી પ્રક્રિયામાં શારિરીક કસોટીમાં ક્વોલિફાય થયેલા કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. ભરતી બોર્ડના નિયમ મુજબ પેપર-1માં 40 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર 49,591 ઉમેદવારોના પેપર-2ની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી પેપર-2માં 40 કે તેથી વધુ ગુણ મેળવનાર 8,679 ઉમેદવાર ક્વોલિફાય થયા હતા. ભરતી બોર્ડના નિયમ મુજબ 1023 ઉમેદવાર પસંદ ભરતી બોર્ડના નિયમ અનુસાર કુલ જગ્યાઓના આશરે બે ગણાં ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવે…