‘અમે શાંતિના દૂત’: ઇઝરાયલની સંસદમાં પીએમ મોદીનું સંબોધન, ગાઝા શાંતિ પહેલને ભારતનો ટેકો

લગભગ 9 વર્ષ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાતે ઇઝરાયલ પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ એ પ્રોટોકોલ તોડી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ ઇઝરાયલની સંસદને સંબોધિત કરતા કહ્યું કે, “હું 140 કરોડ ભારતીયોની મિત્રતાનો સંદેશ લઈને આવ્યો છું. ભારત શાંતિ, સંવાદ અને સ્થિરતાના માર્ગ પર વિશ્વ સાથે ઉભું છે.” ‘નિર્દોષોની હત્યા કોઈપણ કિંમતે સ્વીકાર્ય નથી’ પીએમ મોદીએ 7 ઓક્ટોબરના હુમલાની કડક નિંદા કરી અને કહ્યું કે ભારત આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ પર અડગ છે. તેમણે 26/11 મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ભારત પણ આતંકવાદનો ભોગ બન્યું છે અને નિર્દોષ નાગરિકોની હત્યા કોઈપણ સંજોગોમાં યોગ્ય ઠરી શકતી નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગાઝા શાંતિ પહેલને ભારત મજબૂત સમર્થન…