નવરાત્રીમાં મેઘરાજાની ખલેલ: બંગાળની ખાડીના ડિપ્રેશનને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર

ગુજરાતમાં નવરાત્રિની ધૂમજમાળી વચ્ચે મેઘરાજા પણ બિનમુલાકાતી મહેમાનની જેમ આવી ગયા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે બંગાળની ખાડી પર સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે નર્મદા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ ધ્યાને રહેવાની જરૂરિયાત છે. શું છે હવામાનમાં પરિવર્તનનું કારણ? હાલે દક્ષિણ બંગાળની ખાડી અને મધ્ય મ્યાનમાર વિસ્તારમાં અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે, જે 25 સપ્ટેમ્બરે નીચા દબાણ (Low Pressure) માં પરિવર્તિત થયું છે. આ સિસ્ટમ પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને 26 સપ્ટેમ્બરે ડિપ્રેશનનું સ્વરૂપ લેશે એવી શક્યતા છે. 27 સપ્ટેમ્બરના આસપાસ આ સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પાર કરી શકે છે, જેને કારણે ગુજરાત પર ચોમાસાની પાછલી જોરદાર અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં ક્યાં-ક્યાં વરસાદની શક્યતા છે? હવામાન વિભાગે આગામી દિવસોમાં અલગ-અલગ તબક્કે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ (Yellow Alert) જાહેર કર્યું છે: 25 સપ્ટેમ્બર – છૂટાછવાયા વરસાદ જિલ્લાઓ: આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ 26 સપ્ટેમ્બર – ગાજવીજ સાથે વરસાદ જિલ્લાઓ: ઉપરના તમામ જિલ્લામાં ફરીથી ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા. શહેરોમાં ટ્રાફિક જામ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. 27 સપ્ટેમ્બર – યલો એલર્ટ યલો એલર્ટ જાહેર થયેલા જિલ્લાઓ: – તાપી – નવસારી – વલસાડ – ડાંગ અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ: આણંદથી લઈને ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી સુધીના વિસ્તારોમાં છૂટાછવાયો પરંતુ ઝાપટાવાળો વરસાદ. 28 સપ્ટેમ્બર – દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યલો એલર્ટ: આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર 29 સપ્ટેમ્બર – વરસાદનું વધુ એક તીવ્ર તબક્કું યલો એલર્ટ: ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર 30 સપ્ટેમ્બર – વરસાદનું જોર ઘટશે જિલ્લાઓ: ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, નવસારી, વલસાડ પરંતુ: છૂટાછવાયા વિસ્તારોએ ભારે વરસાદની શક્યતા યથાવત નાગરિકોને સલાહ: હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા, ખાસ કરીને નવરાત્રિના આઉટડોર કાર્યક્રમો, યાત્રા, તથા પહાડીઓ/દૂરસ્થ વિસ્તારમાં રહેતા લોકોને આગાહી મુજબ સજાગ રહેવા સૂચવ્યા છે. શહેરો માટે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા રહે છે. ચોમાસાની વિદાય નથી થઇ હજી પણ! નૈઋત્ય ચોમાસાની વિદાય રેખા હજુ વેરાવળ, વલ્લભ વિદ્યાનગર, બાંસવાડા, ઇટાવા અને હરિદ્વાર સુધી જ પહોંચી છે. એટલે કે, ગુજરાતના મોટાભાગના ભાગોમાં ચોમાસું હજુ ચાલુ જ છે. નવરાત્રીના રંગમાં વરસાદનો ભંગ પડવાની શક્યતા છે. ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી મેઘરાજાની ઝપટાઓ વચ્ચે ગરબાના તાળ ઝૂમી શકશે નહીં. હવામાન વિભાગની અપડેટ પર નજર રાખો અને સાવચેતી સાથે તહેવાર ઉજવો.

Saurashtra : રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર! પોરબંદર, ભાવનગર સહિત આ જિલ્લાઓમાં જાહેર કર્યુ યેલો એલર્ટ

રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે. ઉનાળાની આકરી ગરમી માટે તૈયાર થઈ જાઓ. હવામાન વિભાગે કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીને લઇને અલર્ટ આપ્યું છે. કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ તૈયાર ! હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ હવામાન વિભાગે આ ત્રણ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ :- પોરબંદર, ભાવનગર, સાબરકાંઠામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા,ગાંધીનગર, અમદાવાદ, બોટાદ,દેવભૂમિ દ્વારકા, જામનગર,જૂનાગઢ, ગીર, સોમનાથ,અમરેલી,આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે. આ પણ વાંચો :- Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત! આ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર 24 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે :- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે, આ સાથે 43 ડિગ્રી ઉપર તાપમાન જઇ શકે છે. આ તરફ રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ ગરમીના એલર્ટને લઈ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરાઇ છે કે, બપોરના સમયે કામ વગર બહાર નિકળવાનું ટાળો. આરોગ્ય વિભાગે કહ્યું, બપોરના પીક અવર્સમાં લૂ લાગવાના કિસ્સા વધુ બને છે. આ સાથે અપીલ કરી છે કે, બપોરના સમયે બહાર નિકળવાનું થાય તો સુતરાઉ કપડા પહેરીને નિકળવું. આ સાથે દર કલાકે 1 થી દોઢ ગ્લાસ પાણી પીવા અપીલ કરાઇ છે. Follow us On Social Media 🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital📸 Instagram : https://www.instagram.com/bindiadigital/🌐 Website : https://bindia.co/TWITTER : https://x.com/buletin_indiaFOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

ગુજરાતમાં શિવરાત્રી બાદ વધશે ગરમી, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ કર્યું જાહેર

ગુજરાતમાં હાલ ઠંડા પવનો ધીમા પડતાં ધીરે ધીરે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે. અમદાવાદ સહિત વડોદરા અને સુરત જેવા તાપમાન 35-36 ડિગ્રીની આસપાસ રહેશે. મહાનગરોમાં તાપમાનમાં વધારો થતાં ઉનાળાની ઋતુનો આરંભ થઈ રહ્યો છે. પરંતુ હજુ પણ ઠંડીએ પૂર્ણ રીતે વિદાય લીધી નથી. સવારે વાદળછાયા વાતવારણના કારણે કારણે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. -> શિવરાત્રી બાદ વધશે ગરમી :- શિવરાત્રી બાદ ઠંડીનું પ્રમાણ ઘટવા લાગે છે અને ગરમી વધવા લાગે છે. મહા મહિનામાં આવતી શિવરાત્રીનું ખાસ મહત્વ હોય છે. શિવરાત્રી બાદ ગરમીનો પારો ધીરે ધીરે ઉચકાતા કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. શિવરાત્રી તહેવાર સાથે જ ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી વિદાય લેતા અને હાલમાં તાપમાનનો પારો ઉચકાતા ગરમીનું પ્રમાણ વધતાં લોકો અત્યારેથી જ ત્રાહિમામ પોકારવા લાગ્યા છે. આગામી દિવસોમાં કાળઝાળ ગરમીમાં લોકોને બહાર નીકળવાનું પણ મુશ્કેલ બનશે. -> ક્યાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફુંકાવાના કારણે ઉનાળા પહેલા જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. મહાનગરોમાં મહત્તમ તાપમાન 35-36 ડિગ્રી જોવા મળ્યું જ્યારે નલિયા 14.6 ડિગ્રી સૌથી નીચું તાપમાન નોંધાયું. ડીસામાં 17.2 ડિગ્રી , કેશોદમાં 15.6 ડિગ્રી, અમરેલીમાં 18.4 ડિગ્રી, રાજકોટમાં 19.5 ડિગ્રી અમદાવાદમાં 22.3 ડિગ્રી, ગાંધીનગરમાં 21.2 ડિગ્રી, વડોદરામાં 22.4 ડિગ્રી અને સુરતમાં 22.7 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.