દિવાળીમાં ધોધમાર વરસાદનો ખતરો!, અંબાલાલ પટેલની ભયાનક આગાહી

ગુજરાતમાં દિવાળીની તયારી જોમશોખથી ચાલી રહી છે ત્યારે હવામાનવિદ અંબાલાલ પટેલે આવી આગાહી કરી છે કે, આ વર્ષે દિવાળીમાં વરસાદ ખાબકી શકે છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં મોસમ સતત બદલાતા રહે છે અને ચોમાસા બાદ પણ એક પછી એક સિસ્ટમ સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે. દિવાળીના આસપાસ વાદળછાયું વાતાવરણ અને માવઠાની શક્યતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 13 ઓક્ટોબરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારે 17 ઓક્ટોબરથી દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે. સૌથી મહત્વની વાત એ છે કે, 18થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે, જે ગુજરાતના વાતાવરણને સીધી અસર કરશે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ, દિવાળી દરમિયાન વરસાદ? અગાઉ ચોમાસુ વિદાય લઈ ચૂક્યું હોવા છતાં અંબાલાલ પટેલે આગાહી કરી…

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની કરાઈ આગાહી, 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા

રાજ્યમાં ચોમાસા વિદાયની વેળાએ હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. ખાસ કરીને 27 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદ પણ થઈ શકે છે. વરસાદની વિસ્તૃત આગાહી હવામાન વિભાગના તાજેતરના આંકડાઓ મુજબ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સિવાયના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની સંભાવના છે. આ સાથે, કેટલાક વિસ્તારોમાં મેઘમહેરના દ્રશ્યો પણ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય બંગાળની ખાડીમાં એક લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી તેની અસર ગુજરાતમાં પણ પડી રહી છે. આ સિસ્ટમના કારણે હવામાન વધારે અસ્થિર બને છે અને તે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદને પ્રોત્સાહન આપતી…

કુદરતી આફતનો કેર: આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 6 લોકોના મોત અને પાકને નુકસાનનો ભય

રાજ્યમાં ફરી એકવાર કુદરતનો કહેર સર્જાયો છે. હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. સોમવાર સાંજથી જ રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન અને ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે કેટલાય શહેરોમાં તબાહી સર્જાઈ હતી. વરસાદ અને પવનના કારણે કુલ 6 લોકોના મોત થયા છે, જ્યારે વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થવાને કારણે કેટલાય વિસ્તારમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. છ લોકોના જીવ ગયા, સૌથી વધુ નુકસાન વડોદરામાં સોમવારે સાંજે અને રાત્રે પવન સાથે પડેલા ભારે વરસાદમાં વડોદરાના 3 લોકોના મોત, અરવલ્લીમાં 2 લોકોના મોત અને અમદાવાદમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ તમામ દુર્ઘટનાઓ પવનના કારણે વૃક્ષો પડવાને કારણે અથવા…