પાકિસ્તાને UNમાં પાણી માટે માંગી ભીખ, ભારતના સખ્ત વલણ સામે થયું લાચાર
પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહેમદે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારત પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે, ભારત દ્વારા સિંધુ જળ સંધિનું એકપક્ષીય સસ્પેન્શન “લાખો લોકોના જીવન અને પર્યાવરણને જોખમમાં મુકતું” પગલું છે. પાકિસ્તાનની અપીલ: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના તરત પછી ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિનું નિષ્ફળ કરવા અને પાણી વહેંચણને સસ્પેન્ડ કરવા નિર્ણય લીધો હતો. આ પગલાથી પાકિસ્તાનમાં વહેતી નદીઓ સુકાઈ ગઈ હોવાનું નોંધાયું છે. શાહબાઝ શરીફના દેશના નેતાઓનો દાવો છે કે, દેશમાં પાણીની દરેક ટીપા માટે તરસ અનુભવાઇ રહી છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને સિંધુ જળ સંધિ પુનઃસ્થાપિત કરવાની અપીલ કરી છે. લોકો અને પર્યાવરણ જોખમમાં: અસીમ ઇફ્તિખાર અહેમદે જણાવ્યું કે, ભારતનું આ પગલું માત્ર સંધિના અક્ષર અને ભાવનાનું ઉલ્લંઘન નથી, પરંતુ…
મેડાગાસ્કરમાં Gen-Z યુવાનોના હિંસક વિરોધ પ્રદર્શનથી રાષ્ટ્રપતિ રાજોએલિનાનું દેશ છોડીને ફારાર
હિંદ મહાસાગરના પૂર્વ કિનારે આવેલા આફ્રિકાના ટાપુ રાષ્ટ્ર મેડાગાસ્કરમાં Gen-Z યુવાનોના અઠવાડિયા લાંબા હિંસક વિરોધ પ્રદર્શનોએ રાજકીય તણાવની નવી સીમા પાર કરી છે. રાષ્ટ્રપતિ આન્દ્રે રાજોએલિનાએ રવિવારે દેશ છોડીને ફરાર થવાનો નિર્ણય લીધો છે. તેમણે દાવો કર્યો કે દેશમાં સૈન્ય દ્વારા બળવો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ ઘટના Gen-Z બળવો અને ઉચ્ચ કક્ષાના અધિકારીના રાજીનામાનું તાજુ ઉદાહરણ બની છે. નોંધનીય છે કે ગયા મહિને નેપાળમાં પણ આવા જ Gen-Z વિરોધોના કારણે વડા પ્રધાનને રાજીનામું આપવું પડ્યું હતું. ફ્રેન્ચ સૈનિકોએ રાષ્ટ્રપતિને સલામત બહાર કાઢ્યું રેડિયો ફ્રાન્સ ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ, ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની વિનંતી પર એક ફ્રેન્ચ લશ્કરી વિમાને રાષ્ટ્રપતિ રાજોએલિનાને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો. આ પહેલાં ફ્રેન્ચ દૂતાવાસે મેડાગાસ્કરમાં કોઈ પણ પ્રકારના લશ્કરી હસ્તક્ષેપનું…
ગાંધીનગર: નભોઈ પંપિંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક ફોલ્ટ, 5 મેના રોજ સેક્ટર 1થી 30માં પાણી કાપ જાહેર
ગુજરાતના પાટનગર ગાંધીનગરના વાસીઓ માટે ભારે ગરમી વચ્ચે મુશ્કેલીજનક સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે, 5 મે 2025ના રોજ, શહેરના સેક્ટર 1થી 30 સુધીના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. નભોઈ પંપિંગ સ્ટેશનમાં થયેલો ઇલેક્ટ્રિક ફોલ્ટ, જેના કારણે સમગ્ર પાટનગરના મહત્વના વિસ્તારોમાં પાણીની અછત જોવા મળી શકે છે. ઇલેક્ટ્રિક ફોલ્ટના કારણે પાણી પુરવઠો ખોરવાયો શાસન તંત્રના જણાવ્યા અનુસાર, નભોઈ પંપિંગ સ્ટેશનમાં વિજળીની લાઈનમાં તકલીફ સર્જાઈ છે. આ કારણે પંપિંગ સિસ્ટમ કામ કરતી રોકાઈ ગઈ છે અને આગામી 24 કલાક માટે પાણી પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો છે. કયા વિસ્તારો પર પડશે અસર? ગાંધીનગરના સેક્ટર 1થી 30 સુધીના તમામ રહેણાંક અને વ્યવસાયિક વિસ્તારો આ પાણી કાપની અસર હેઠળ આવશે. તેમાંથી ઘણા વિસ્તારોમાં મોટા હોસ્પિટલો, સરકારી કચેરીઓ અને શાળાઓ પણ આવે…









