રશિયા–યુક્રેન વચ્ચે મોટો કરાર શક્ય : 1,200 યુક્રેન કેદીઓની મુક્તિ માટે વાટાઘાટો તેજ, ઝેલેન્સ્કીનું એલાન

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનાં તણાવ વચ્ચે હવે એક મહત્વપૂર્ણ માનવતાવાદી કરાર બનવાની શક્યતા દેખાઈ રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ જાહેરાત કરી છે કે બંને દેશો વચ્ચે યુદ્ધ કેદીઓની આપ–લે પ્રક્રિયા ફરી શરૂ કરવા માટે વાટાઘાટો ઝડપથી આગળ વધી રહી છે. આ પ્રક્રિયા સફળ થાય તો આશરે 1,200 યુક્રેનિયન કેદીઓની મુક્તિ શક્ય છે. આ નિવેદન યુક્રેનના રાષ્ટ્રીય સુરક્ષા વડા રુસ્તમ ઉમેરોવે વાટાઘાટોમાં પ્રગતિ જાહેર કર્યા બાદ આવ્યું છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે અનેક બેઠકો, ચર્ચાઓ અને ફોન કૉલ દ્વારા આપ–લે પ્રક્રિયાને ફરી શરૂ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ યુક્રેનિયન સૈનિકો અને નાગરિકોની વતન વાપસી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તુર્કી અને UAE મધ્યસ્થ ઉમેરોવે જણાવ્યું કે આ વાટાઘાટોમાં…