વક્ફ સુધારા કાયદા પર પ્રથમ વખત PM મોદીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

વકફ પર નવા કાયદાની રચના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર જાહેર મંચ પરથી નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે અને ગરીબ મુસ્લિમોને તેનો લાભ મળશે. વડાપ્રધાન મોદીએ રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2025માં આ ટિપ્પણી કરી હતી, જ્યાં તેમણે આ કાયદાના સામાજિક અને રાજકીય મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રી મોદીએ આ નવા વકફ કાયદાને સામાજિક ન્યાય તરફ એક મોટું પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે આ કાયદો ખાસ કરીને ગરીબ માટે છે તુષ્ટિકરણની રાજનીતિને નિશાન બનાવવી પ્રધાનમંત્રીએ તુષ્ટિકરણની રાજનીતિ પર કડક નિવેદન આપ્યું અને કહ્યું કે ભારતને આ રાજનીતિનું પરિણામ ભોગવવું પડ્યું છે. તેમણે ખાસ કરીને ભાગલા સમયે રાજકારણનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રાજકારણ સત્તાની લાલસાને કારણે થયું હતું જે રાષ્ટ્રીય…