વડાપ્રધાનના આગમન પૂર્વે નર્મદા ઘાટ પાસે બની ગોજારી ઘટના, ભેખડ ધસતા 3 સ્થાનિક મજૂરો દટાયા

નર્મદામાં ભેખડ ધસતા ત્રણ સ્થાનિક મજૂરો દટાયા. આ દુર્ઘટના નર્મદા ઘાટના નવીનીકરણ દરમિયાન બની હતી. ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના ભારતી આશ્રમની બાજુમાં બની હતી, જ્યાં દિવાલ ધરાશાહી થતાં ત્રણ મજૂરો નીચે દટ્યા. સ્થાનિક લોકોને ઘટનાસ્થળે ટોળા થઈ પહોંચ્યા હતા, અને ગરુડેશ્વર મામલતદાર સહિત નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળ પર દોડ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક મજૂરો અંકતેશ્વર ગામના રહેવાસી છે. તેઓની ઓળખ આ પ્રમાણે છે: – શૈલેષભાઈ રણછોડભાઈ તડવી, 35 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – દિલિપભાઈ ભાણાભાઈ તડવી, 47 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – રોહિતભાઈ રણછોડભાઈ તડવી, 45 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) પરિવારજનો અત્યાર સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર…

જમ્મુ-કાશ્મીર: લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ, 22 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રવિવારે એક દુખદ ઘટના બની છે જ્યાં લગ્નની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ. ધન્નીધર કપ્પા ખા વિસ્તારમાં, લગ્ન સમારોહ દરમિયાન ઘરની દિવાલ ધરાશાયી થતા 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી બે બાળકોની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે. કેવી રીતે બન્યું દુર્ઘટનાનું ભયાનક દ્રશ્ય? પ્રાપ્ત માહિતી મુજબ, રાત્રે 8 વાગ્યે કપ્પા ખા વિસ્તારના રહેવાસી મોહમ્મદ આદ્રીસના ઘરેથી લગ્નની સરઘસ નીકળી હતી. સરઘસ પહેલાં સાંજે 6 વાગ્યાની આસપાસ તીવ્ર વરસાદ શરૂ થયો હતો. આ સમયે જ ઘરની એક દિવાલ, જેના પર પાઈપો અને તંબુ બાંધવામાં આવ્યા હતા, અચાનક ધરાશાયી થઈ. દિવાલ અને પાઈપો સીધા ત્યાં ઊભેલા મહિલાઓ અને બાળકો પર પડ્યા. કોને કેવી ઇજાઓ થઈ? હાથવગા સ્થાનિક લોકો અને પોલીસની ટીમે તરત…