SIR પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: 3 રાજ્ય અને 1 સંઘપ્રદેશમાં 1 કરોડથી વધુ નામ કરાયા દૂર

ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા અને લક્ષદ્વીપમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સુધારા દરમિયાન કુલ 1 કરોડથી વધુ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ – SIR પ્રક્રિયા દરમિયાન 58,20,898 નામ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર થયા. – રાજ્યના કુલ મતદારો 7,66,37,529માંથી ઘટીને 7,08,16,630 થયા. – મોટાભાગના નામ દૂર થતા લોકોના મૃત્યુ પામવું અથવા સ્થળાંતર થયા હોવાનું કારણ છે. – આશરે 30 લાખ મતદારોની વિગતો જૂની યાદી સાથે મેળ ખાતી નથી; તેમને સુનાવણીમાં ભાગ લઇ દસ્તાવેજો દ્વારા પાત્રતા સાબિત કરવાની તક આપવામાં આવશે. રાજસ્થાન – કુલ મતદારો 5,46,56,215માંથી 42 લાખના નામ દૂર થયા. – ફોર્મ જમા કરાવનાર મતદારો: 5,04,71,396. – 8.75 લાખ લોકો મૃત્યુ પામેલા…

ગુજરાતમાં 2025ની મતદાર યાદી: 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ

ગુજરાતમાં 2025ની મતદાર યાદી માટેની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરીની ટીમ આ પ્રક્રિયાને વેગ આપી રહી છે. ઝુંબેશનો ગણતરીનો તબક્કો 4 ડિસેમ્બર સુધી ચાલવાના છે. ઝુંબેશના ભાગરૂપે, 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. મોટાભાગના જિલ્લાઓએ 100% ફોર્મ વિતરણનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે. વિતરણ કરાયેલા ફોર્મમાંથી પરત મળેલા ફોર્મના ડિજિટાઇઝેશનનું કાર્ય પણ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં 81%થી વધુ ફોર્મ ડિજિટાઇઝ થઈ ચૂક્યા છે. ડાંગ જિલ્લો 89.61% ડિજિટાઇઝેશન સાથે મોખરે છે. અન્ય ટોચના જિલ્લાઓમાં બનાસકાંઠા (84.99%) અને સાબરકાંઠા (84.18%)નો સમાવેશ થાય છે. ગણતરી દરમિયાન નોંધાયેલી મહત્વપૂર્ણ વિગતો: – 13.1 લાખથી વધુ અવસાન…

ગુજરાત : 99% મતદારોને SIR ફોર્મનું વિતરણ પૂર્ણ, આખરી યાદી ફેબ્રુઆરીમાં

ગુજરાતમાં ચાલી રહેલી સ્પેશ્યલ સમરી રીવિઝન (SSR) પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. રાજ્યમાં મતદાર યાદી સુધારણાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 99 ટકા મતદારોને ફોર્મનું વિતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લાના જણાવ્યા મુજબ, ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલ સમયમર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 4 ડિસેમ્બર સુધી ફોર્મ પરત, 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી ચૂંટણી અધિકારીઓ મુજબ મતદારોએ કરવામાં આવેલી નોંધણી અથવા સુધારણાં અંગેના ફોર્મ 4 ડિસેમ્બર સુધી પરત કરાવી શકાશે. રાજ્યમાં 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, જેથી મતદારોને પોતાના નામ, સરનામા અને અન્ય વિગતો ચકાસવાની તક મળશે. 8 જાન્યુઆરી સુધી નવો મતદાર બનવાની તક નવો મતદાર બનવા ઇચ્છુક નાગરિકો કે પોતાના નામમાં…

અમદાવાદ : મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત ખાસ કેમ્પ, જાણો વિગત

અમદાવાદ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR 2025) હેઠળ સમગ્ર જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેર અને જિલ્લા હેઠળ આવતાં 21 વિધાનસભા ક્ષેત્રોમાં BLO (Booth Level Officer) દ્વારા ઘર-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મનું વિતરણ અને ચકાસણીનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે એકપણ લાયક મતદારનું નામ મતદારયાદીમાંથી છૂટે નહીં અને દરેક નાગરિકને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળી રહે. સ્થળાંતર કરેલા મતદારો માટે ખાસ કેમ્પ શહેરના સાબરમતી (55), નારણપુરા (45) અને જમાલપુર-ખાડિયા (52) વિધાનસભા ક્ષેત્રોમાં રીડેવલપમેન્ટ અને પુનર્વિકાસના કારણે સ્થળાંતર કરનારા મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ નાગરિકોને એન્યુમરેશન ફોર્મ સરળતાથી મળી રહે અને તે ફોર્મ…