PM મોદીના નિવેદન બાદ ઝેલેન્સકીના પેટમાં તેલ રેડાયું ! આપ્યું આ નિવેદન
PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ હવે આ માટે ભારતની ટીકા કરી છે. યુક્રેને આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેણે આવો કોઈ હુમલો કર્યો નથી. આ દરમિયાન, યુક્રેનિયન રાષ્ટ્રપતિએ ભારત પર બેવડા ધોરણનો આરોપ લગાવ્યો. ઝેલેન્સકીએ કહ્યું કે ભારત સહિત કેટલાક દેશો, જે પુતિનના નિવાસસ્થાન પર હુમલાની નિંદા કરી રહ્યા છે, તેમણે ક્યારેય અમારા બાળકો પરના હુમલા વિશે કંઈ કહ્યું નથી. ઝેલેન્સકીએ ભારત વિશે શું કહ્યું: એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં, ઝેલેન્સકીએ કહ્યું, “સાચું કહું તો, તે મૂંઝવણભર્યું અને ખરાબ છે કે ભારત, યુએઈ અને કેટલાક અન્ય દેશોએ પુતિનના નિવાસસ્થાન પર અમારા કથિત ડ્રોન હુમલાની નિંદા કરી, જે ક્યારેય થયું…
યુક્રેન સાથે યુદ્ધને લઇને પુતિને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાત, કહ્યું સમાધાન માટે છે તૈયાર
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી. આ દરમિયાન તેમણે યુક્રેન યુદ્ધ પર સમાધાન કરવાની વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચર્ચા માટે કોઈ પૂર્વશરતો નથી પરંતુ કોઈપણ સોદામાં કાયદેસર યુક્રેનિયન સત્તાવાળાઓનો સમાવેશ થવો જોઈએ.રોઇટર્સના અહેવાલ મુજબ, પુતિને કહ્યું કે રશિયા રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સહિત કોઈપણ સાથે વાત કરવા તૈયાર છે. પુતિને એક અમેરિકન ન્યૂઝ ચેનલના પત્રકારને કહ્યું કે તેમણે ટ્રમ્પ સાથે વર્ષોથી વાત કરી નથી, પરંતુ સંઘર્ષ અંગે ચર્ચા કરવા માટે તેમની સાથે મળવા માટે તૈયાર છે. -> અસ્થાયી યુદ્ધવિરામ પર પુતિને શું કહ્યું? :- પુતિને એવા દાવાઓને ફગાવી દીધા હતા કે રશિયા નબળી સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે 2022માં યુક્રેન પર થયેલા હુમલા બાદ દેશ…








