બિહારના કટિહારમાં ગંગા નદીમાં બોટ પલટી જતાં 3ના મોત, અનેક લોકો લાપતા

-> બિહારના કટિહાર જિલ્લામાં એક મોટી બોટ દુર્ઘટના સામે આવી છે.. કટિહારમાં ગંગા નદીમાં બોટ પલટી જતાં અનેક લોકો ડૂબી ગયા. બોટમાં કુલ 17 લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે : -> ઘણા લોકોનો કોઇ પત્તો નથી :- હજુ પણ ઘણા લોકો ગુમ હોવાના અહેવાલ છે.ચાર લોકોએ તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. તમામ લોકો દક્ષિણ કરીમુલ્લાપુરના મેઘુ ઘાટથી બોટમાં સવાર થઈને ગદ્દાઈ ડાયરા જઈ રહ્યા હતા. બોટ દુર્ઘટનાની માહિતી મળતાં જ SDRF અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે ગ્રામજનોની પણ મોટી ભીડ ઉમટી પડી છે. જે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે તેમાં 60 વર્ષીય પવન કુમાર, 70 વર્ષીય સુધીર મંડલ અને…