અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, પથ્થરમારો કરીને બારીઓ તોડી
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસના ઓહાયો સ્થિત નિવાસસ્થાન પર હુમલો થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ અમેરિકાની રાજકીય સુરક્ષા વ્યવસ્થાને લઈને ચકચાર મચાવી છે. ન્યૂઝ અહેવાલ મુજબ એક શંકાસ્પદ વ્યક્તિ અચાનક વેંસના ઘરમાં ઘૂસી ગયો હતો અને તોડફોડ શરૂ કરી હતી. મળતી માહિતી પ્રમાણે હુમલાખોરે પથ્થરમારો કરીને ઘરની બારીઓ તોડી હતી. સદનસીબે આ સમયે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસ ઘરમાં હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે. હાલ તપાસ એજન્સીઓ એ બાબતની તપાસ કરી રહી છે કે હુમલો પાછળ શું કારણ હતું અને શું હુમલાખોરનો ઉદ્દેશ જે.ડી. વેંસ અથવા…
ઓવૈસીનો દેવેન્દ્ર ફડણવીસને સવાલ, શું આ તોડફોડ કરનારાઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવશે ?
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ કથિત ટિપ્પણી કર્યા બાદ તેમની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. હવે આ અંગે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સીએમ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું છે કે શું હવે આ તોડફોડ કરનારાઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવશે ? આ પણ વાંચો :- મદ્રાસ હાઇકોર્ટે કૃણાલ કામરાના વચગાળાના જામીન મંજુર કર્યા, ધરપકડમાંથી મળી રાહત એક સભાને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “જ્યારે હાસ્ય કલાકાર કુણાલ કામરાએ કોઈને દેશદ્રોહી કહ્યા, ત્યારે એકનાથ શિંદેની પાર્ટીના સભ્યોએ કહ્યું કે અમારા નેતાને દેશદ્રોહી કહેવામાં આવ્યા અને તેમનું કાર્યાલય તોડી પાડવામાં આવ્યું. હવે અમે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને યોગી આદિત્યનાથને પૂછીએ છીએ કે શું આ તોડફોડ કરનારાઓના ઘર તોડી પાડવામાં આવશે કે…
સપા સાંસદના ઘર પર તોડફોડનો મામલો, ઓવૈસીએ કહ્યું તોડફોડ કરનારા મુસ્લિમ હોત તો…..
સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત નિવાસસ્થાનમાં બુધવારે તોડફોડ કરવામાં આવી હતી. રામજીલાલે રાણા સાંગા પર આપેલા નિવેદનને કારણે કરણી સેનાએ આ તોડફોડ કરી હતી. સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો છે જેમાં જોઈ શકાય છે કે જ્યારે કરણી સેના આ બધું કરી રહી હતી, ત્યારે પોલીસકર્મીઓ ચૂપચાપ ઉભા રહીને જોઈ રહ્યા હતા. હવે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ તસવીરો પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો તોડફોડ કરનારા મુસ્લિમ હોત, તો તેમની સામે રાજદ્રોહનો કેસ દાખલ થયો હોત અને બુલડોઝરનો તાત્કાલિક ઉપયોગ થયો હોત. તોડફોડ કેમ થઈ?:- સાંસદ રામજી લાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગાને દેશદ્રોહી કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘ભાજપના લોકો કહેતા રહે છે કે મુસ્લિમોમાં બાબરનો…
તોડફોડનું સમર્થન કરતો નથી, પરંતુ દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય છેઃ એકનાથ શિંદે
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે કુણાલ કામરાની ટિપ્પણીના વિરોધમાં મુંબઈના એક સ્ટુડિયોમાં પાર્ટી કાર્યકરો દ્વારા કરવામાં આવેલી તોડફોડનું તેઓ સમર્થન કરતા નથી, પરંતુ દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે. તમને જણાવી દઈએ કે કુણાલ કામરાએ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગવાનો ઇનકાર કરી દીધો છે.તેમણે કહ્યું છે કે તેઓ કોઈપણ કાનૂની કાર્યવાહી માટે પોલીસ અને કોર્ટને સહકાર આપવા તૈયાર છે. એક ઇન્ટરવ્યુમાં એકનાથ શિંદેએ કહ્યું કે કુણાલ કામરાએ ફક્ત તેમના વિશે જ નહીં પરંતુ ઘણા મોટા નેતાઓ વિશે પણ અપમાનજનક અને કટાક્ષપૂર્ણ…










