વલસાડના ધરમપુરમાં ચિંતન શિબિરનો પ્રારંભ: મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વંદે ભારત દ્વારા પહોંચ્યા
ગુજરાત સરકારની વહીવટી ગંભીરતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ મનાતા “ચિંતન શિબિર”નું આયોજન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ આજે વહેલી સવારે અમદાવાદથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સામૂહિક પ્રવાસ કરીને વલસાડ માટે પ્રસ્થાન કર્યું. વંદે ભારત દ્વારા સામૂહિક મુસાફરી – સંદેશામાં સાદગી અને સંકલ્પ ચિંતન શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્યસચિવ મનોજ કુમાર દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ એકસાથે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી પહોંચ્યા. આ પગલાથી સરકારનો એક સ્પષ્ટ સંદેશ આપવાનો હેતુ હતો. પરંપરાગત પ્રોટોકોલથી વધી ‘સાદગી, સમય અને સંસાધનોના યોગ્ય ઉપયોગ’ તરફ વળવું. ચિંતન શિબિર: વર્ષ 2003થી શરૂ થયેલી પરંપરાનો 12મો સંસ્કરણ વર્ષ 2003માં…
Valsad : વલસાડમાં યુવતીએ નંદીમાં ઝંપલાવીને કર્યો આપઘાતનો પ્રયાસ, પોલીસે તપાસ હાથ ધરી
વલસાડનાં પારડીમાં નદીમાં એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતી દ્વારા પુલ પર થોડો સમય ઉભા રહ્યા બાદ અચાનક જ નદીમાં છલાંગ લગાવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક તરવૈયાઓને થતા તેઓ તાત્કાલીક દોડી આવ્યા હતા. અને યુવતીને બચાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. મહામહેનતે તરવૈયાઓ દ્વારા યુવતીને બહાર કાઢવામાં આવી હતી. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતી કલાકારની નારાજગીને લઈ કીર્તિદાન ગઢવીનું નિવેદન, કહ્યું- વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે ચંદ્રપુરનાં તરવૈયાઓએ સાડીની મદદથી યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ યુવતી દ્વારા સાડીનો છેડો પકડી લીધો હતો. જે બાદ મહા મહેનતે યુવતીને નદીમાંથી બહાર કાઢી તેનાં ઘરે સલામત રીતે મોકલવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો કોઈએ વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ વીડિયો બે દિવસ બાદ…








