દેશમાં US એમ્બેસી ત્રણ દિવસ માટે બંધ, વિઝા અને પાસપોર્ટ સેવાઓ કરાઈ સ્થગિત

ભારતમાં યુએસ એમ્બેસી અને તમામ કોન્સ્યુલેટ્સ 24 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી સતત ત્રણ દિવસ માટે બંધ રહેશે. આ નિર્ણય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક એક્ઝિક્યુટિવ ઓર્ડરના પગલે લેવામાં આવ્યો છે. નાતાલના પર્વને ધ્યાનમાં રાખીને લેવાયેલ આ પગલાથી તમામ વિઝા, પાસપોર્ટ અને કોન્સ્યુલર સેવાઓ આ ત્રણ દિવસ માટે અટકી જશે. દેશના મુખ્ય શહેરોમાં આવેલી યુએસ દૂતાવાસો (દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદ)માં નિયમિત વિઝા ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ પ્રક્રિયા નહીં ચાલે. જે અરજદારોની એપોઇન્ટમેન્ટ આ સમયગાળામાં હતી, તેમને ઇમેઇલ મારફતે નવી તારીખોની જાણ કરવામાં આવશે. જો કે, મેડિકલ ઇમરજન્સી અથવા ગંભીર કિસ્સાઓ માટે હેલ્પલાઇન કાર્યરત રહેશે. એમ્બેસીએ સ્પષ્ટ કર્યું છે કે 27 ડિસેમ્બરથી તમામ સેવાઓ ફરી શરૂ થશે. અરજદારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર સત્તાવાર પોર્ટલ…

“મારી પીએમ મોદી સાથે સારી વાતચીત થઈ રહી છે, ટૂંક સમયમાં ભારત આવીશ” – યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત ખૂબ સકારાત્મક રહી હોવાનું જણાવ્યું છે. ટ્રમ્પના નિવેદન મુજબ, તેઓ ટૂંક સમયમાં ભારતની મુલાકાત કરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું, “મોદી મારા મિત્ર છે. અમે વારંવાર વાત કરીએ છીએ અને તેમણે મને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. અમે તારીખ નક્કી કરીશું.” જ્યારે તેમને પૂછાયું કે તેઓ આવતા વર્ષે ભારત આવી શકે છે કે નહીં, તો ટ્રમ્પ હસતાં જવાબ આપ્યા, “કદાચ, હા.” તેમણે ઉમેર્યું કે ભારત અને અમેરિકાના વચ્ચે વેપાર કરારો અને વાટાઘાટો હજુ ચાલુ છે. ટ્રમ્પએ કહ્યું કે કેટલાક વેપાર મુદ્દાઓ પર મતભેદ છે, પરંતુ તેમની ટીમ તે મુદ્દાઓ પર કાર્યરત છે. ભારત-અમેરિકા વેપાર અને રાજકીય સંબંધો: ટ્રમ્પએ જણાવ્યું કે ભારત-અમેરિકા વચ્ચે વ્યાપાર કરાર અંગે ચર્ચા…