PM મોદી અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પૂર્ણ થઈ. વેપારથી લઈ ટેકનોલોજી સુધીના મુદ્દાઓ પર ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બહુપ્રતિક્ષિત દ્વિપક્ષીય વાટાઘાટો આજે સવારે પૂર્ણ થઈ. આ વાતચીતમાં બંને દેશો વચ્ચે વેપારથી લઈને ટેકનોલોજી સુધીના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. સંરક્ષણ સહિત દરેક વિભાગમાં પરસ્પર સહયોગ વધારવા અંગે પણ ઘણા નક્કર નિર્ણયો લેવામાં આવ્યા. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે બંને નેતાઓએ સંરક્ષણ, સુરક્ષા, ઉર્જા, વેપાર અને ટેકનોલોજી સંબંધિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે એમ પણ લખ્યું કે આ વાતચીતમાં ભારત અને અમેરિકા વચ્ચે દરેક ક્ષેત્રમાં ભાગીદારીને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. -> કયા કરારો થયા? :- ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવા માટે સાથે મળીને કામ કરવાનો નિર્ણય. આનો અર્થ એ થયો કે ચીનનો સામનો કરવા…







