જૂનાગઢમાં 20 લાખની ખંડણી કેસમાં કીર્તિ પટેલને જામીન, ભવનાથ પોલીસે હાજર થવા ફરમાન
જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા 20 લાખ રૂપિયાની ખંડણીના કેસમાં આરોપી Kirti Patelને અદાલતે જામીન મંજૂર કર્યો છે. કોર્ટ દ્વારા 1 દિવસના પોલીસ રિમાન્ડ પછી તેમની જામીન અરજી સ્વીકારવામાં આવી. કીર્તિ પટેલ વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં એક યુવક પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે. જામીનની શરતો કોર્ટ દ્વારા કીર્તિ પટેલને જામીન મળ્યા બાદ કેટલીક શરતો આપવામાં આવી છે: – આવતીકાલે સવારે 11 વાગ્યે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થવું ફરજિયાત. – કોર્ટની અન્ય શરતોનું પાલન કરવું આવશ્યક. – પોલીસે જણાવ્યું છે કે કેસની તપાસ ચાલુ છે અને જરૂરી હોવાનું જણાશે તો વધુ પૂછપરછ માટે આરોપીને બોલાવવામાં આવી શકે છે. મામલાની પાછળની ઘટનાક્રમ કીર્તિ પટેલને રાજસ્થાનના ઉદયપુર શહેરથી પકડવામાં આવ્યો. પ્રથમ રિમાન્ડ દરમિયાન પોલીસએ…







