રેલવેની નવી ક્રાંતિ: વંદે ભારત સ્લીપરમાં નહીં રહે VIP ક્વોટા, દરેક મુસાફરને મળશે કન્ફર્મ બર્થ

ભારત રેલવે મુસાફરીને વધુ આરામદાયક અને પારદર્શક બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું લઈને આવી છે. હવે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કોઈ પણ VIP ક્વોટા, ઈમરજન્સી ક્વોટા અથવા વરિષ્ઠ અધિકારીઓ માટેની ખાસ પરવાનગી નહીં હશે. માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો જ આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. ટ્રેનની વિશેષતાઓ વંદે ભારત સ્લીપર ટ્રેન ગુવાહાટી અને કોલકાતા વચ્ચે દોડશે. ટ્રેનમાં કુલ 16 કોચ અને 823 મુસાફરોની ક્ષમતા. દરેક મુસાફરને સંપૂર્ણ બર્થ ફાળવવામાં આવશે; RAC સિસ્ટમ નહીં. પ્રીમિયમ ક્વોલિટીના ગાદલા, ચાદર અને બ્લેન્કેટ કવર પૂરા પ્રમાણમાં ઉપલબ્ધ. પ્રાદેશિક સ્વાદ ધરાવતું ભોજન ભાડામાં સામેલ. ભાડાની વિગત (ગુરુવારથી ટ્રેન): AC 3-Tier: ₹2,300 AC 2-Tier: ₹3,000 AC First Class: ₹3,600 નોંધ: ભાડામાં ભોજનનો ખર્ચ સામેલ છે અને કોઈ ડાયનેમિક ફેર લાગુ નહીં પડશે.…

મુસાફરો માટે નવી સુવિધા: GSRTCની બસમાં હવે ઑનલાઇન ફૂડ ઓર્ડર કરી શકાશે

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા લાંબા રૂટની બસ મુસાફરીને વધુ સુખદ અને આરામદાયક બનાવવા માટે નવી સેવા શરૂ કરવામાં આવી રહી છે. હવે ટ્રેનની માફક મુસાફરો એસ.ટી. બસમાં પણ ઓનલાઇન ફૂડ ઑર્ડર કરી શકશે. કેવી રીતે કામ કરશે નવી સેવા GSRTC દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ઓન ડીમાન્ડ ફૂડ’ સેવા માટે એજન્સીની નિમણૂંક માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. હાલનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના રાણીપ, સરખેજ, પાલડી, CTM, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નહેરુનગર, અડાલજ અને જશોદાનગર જેવા પિકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરોને ફૂડ પહોંચાડવામાં આવશે. મુસાફરો ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ મારફતે જ ફૂડ માટે બુકિંગ કરી શકશે. મુસાફરી શરૂ થયા પછી જ્યાં ફૂડ મેળવવું હોય ત્યાં પહોંચતા ઓછામાં ઓછા ત્રણ કલાક…