સુરત : પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન યુવકનું દુઃખદ અવસાન
સુરત જિલ્લામાં પોલીસ ભરતી માટે ચાલી રહેલી શારીરિક કસોટી દરમિયાન એક યુવકનું દુઃખદ અવસાન થયાની ઘટના સામે આવી છે. બનાવ કામરેજ તાલુકાના વાવ વિસ્તારમાં આવેલા SRP ગ્રુપ–11ના મેદાનમાં બન્યો હતો, જ્યાં ઉમેદવારોની દોડ સહિતની શારીરિક પરીક્ષાઓ લેવામાં આવી રહી હતી. શું છે સમગ્ર મામલો? મૃતક યુવકની ઓળખ વલસાડ જિલ્લાના રહેવાસી રવિન્દ્ર બારિયા તરીકે થઈ છે. માહિતી મુજબ, દોડની પરીક્ષા દરમિયાન અચાનક તે મેદાનમાં ઢળી પડ્યો હતો. સ્થળ પર હાજર સ્ટાફ અને અન્ય ઉમેદવારો દ્વારા તરત જ તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી અને તબિયત સ્થિર થયા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં કામરેજ ખાતે રોકાયેલા સમયે તેની તબિયત ફરી બગડતાં તે બેભાન થઈ ગયો. ફરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ…
ટંકારા નજીક ડેમી-2 ડેમમાં યુવાનનું દુર્ઘટનાત્મક મોત, ફાયર ટીમ અને પોલીસની સર્ચ ઓપરેશનથી મળ્યો મૃતદેહ
ટંકારા નજીક ડેમી-2 ડેમમાં એક યુવાને આજે સાંજે ડેમમાં ઝંપલાવવાનું ઘટનામાં પોતાના જીવનું અંતિમ પગલું લીધું હતું. સ્થાનિક લોકો અને મોરબી ફાયર બ્રિગેડ ટીમે તરત સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેમાં યુવાનનું મૃતદેહ રાત્રે મળી આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ-મોરબી હાઇવે પર આવેલ ડેમી-2 ડેમના 12 નાલેથી યુવાન ઝંપલાવ્યો હતો. ઘટના જાણ થતા જ પીઆઇ છાસિયાની ટિમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. મોરબી ફાયર ટીમે પણ યુવાનને શોધવા માટે પાણીમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું. યુવાનનો મૃતદેહ રાત્રે 10:30 વાગ્યાના આસપાસ મળ્યો. મૃત યુવાનની ઓળખ બંસી પ્રવીણભાઈ કટારીયા (ઉ.વ. 18) તરીકે કરવામાં આવી છે, જે લજાઈ ગામના રહીશ હતા. તે લજાઈ ચોકડીએ ચાની દુકાન ચલાવતા હતા. શનિવારે બપોરે ડેમમાં ઝંપલાવવાના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે,…
ઇટાલી: માટેરામાં કાર-ટ્રક અકસ્માતમાં 4 ભારતીયોના કરુણ મૃત્યુ, દૂતાવાસ દ્વારા કરાયો શોક વ્યક્ત
દક્ષિણ ઇટાલીના માટેરા જિલ્લામાં એક ભયંકર માર્ગ અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના સ્કેન્ઝાનો જોનિકો મ્યુનિસિપાલિટી વિસ્તારમાં ઘટી હતી, જ્યાં એક કાર અને ટ્રક વચ્ચે સામસામે અથડામણ થતાં ઘટનાસ્થળે જ ચાર લોકોનાં કરુણ મોત નિપજ્યાં હતાં. મૃતકોની ઓળખ મૃતકોની ઓળખ મનોજ કુમાર (ઉમર 34), સુરજીત સિંહ (33), હરવિંદર સિંહ (31) અને જસકરણ સિંહ (20) તરીકે થઈ છે. ચારેય જણા પંજાબના વતની હોવાનું પ્રાથમિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અને તેઓ ખેડૂતો તરીકે કામ કરતા હતા. ઘટનાની વિગતો ઇટાલીની સમાચાર એજન્સી ANSA અનુસાર, કારમાં સવાર તમામ ભારતીય નાગરિકો નજીકના ખેતીવાડી વિસ્તારમાંથી કામ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ટ્રક અને કાર વચ્ચે ગંભીર અથડામણ થતા કારમાં બેઠેલા તમામ લોકો ભારે અસરગ્રસ્ત…









