હિંમતનગર હાઇવે પર ડમ્પરે મચાવ્યો કહેર, કરણપુર પાટીયા પાસે અકસ્માતમાં ગાડીઓનો કચ્ચરઘાણ

હિંમતનગરના કરણપુર પાટીયા નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવી રહેલા ડમ્પરે રોડ ક્રોસ કરીને હાઇવેની સાઈડમાં પાર્ક કરેલી ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આઠથી વધુ લક્ઝરી ગાડીઓને ભારે નુકસાન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, નજીકમાં સમૂહ લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેના કારણે મહેમાનોએ પોતાની ગાડીઓ હાઇવેના પટ્ટામાં પાર્ક કરી હતી. સદનસીબે અકસ્માત સમયે કોઈ વ્યક્તિ ગાડીમાં હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જોકે આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે હિંમતનગર–ગાંભોઈ હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લાંબી વાહન કતારો જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ ગાંભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક હળવો કર્યો…

Pune-Mumbai એક્સપ્રેસવે પર 24 કલાકથી લાંબો ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો ફસાયા

મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર ટ્રાફિક જામની સમસ્યા 24 કલાકથી વધુ સમયથી જારી છે. ખંડાલા ઘાટની આડોશી સુરંગ નજીક મંગળવારે સાંજે આશરે 5 વાગ્યે કેમિકલ ભરેલું ગેસ ટેન્કર પલટી ગયું હતું. અકસ્માત બાદ ટેન્કરમાંથી ગેસ લીક થઈને સમગ્ર વિસ્તાર જોખમી સ્થિતિમાં આવી ગયો છે. 20 થી 22 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો આ દુર્ઘટનાના કારણે મુંબઈ તરફના ટ્રાફિકને સુરક્ષાના કારણે પુરી રીતે બંધ કરવામાં આવ્યું છે. અસર બંને દિશામાં જોવા મળી રહી છે. એક્સપ્રેસવે પર લગભગ 20 થી 22 કિ.મી. સુધી વાહનોની લાંબી લાઈનો ઉભી થઈ છે. ડ્રોન દ્વારા લીધેલા દ્રશ્યોમાં હજારો વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળે છે. મુસાફરોને મળી રહી છે મોટી મુશ્કેલી ઘણા લોકો સવારના 4 વાગ્યાથી એક જ જગ્યાએ અટકાયેલા છે. આ ભારે ટ્રાફિકજામના કારણે ઘણા…

નેશનલ હાઇવે નં. 48 પર બસનો ભીષણ અકસ્માત : ડ્રાઇવરનું મોત; ચાર ગંભીર

અમરેલીથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ નેશનલ હાઇવે નં. 48 પર નડિયાદ નજીક ભીષણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસના ડ્રાઇવરનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ચાર મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. ઉપરાંત 15 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે નજીકની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસમાં મુસાફરી કરી રહેલા લોકોના જણાવ્યા અનુસાર ડ્રાઇવરને અનેક વખત ગાડી ધીમી અને સાવચેતીપૂર્વક ચલાવવા માટે ટોકવામાં આવ્યો હતો, પરંતુ ડ્રાઇવરે તેમની વાત ધ્યાનમાં લીધી ન હતી. પરિણામે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનો દાવો મુસાફરો દ્વારા કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ ડ્રાઇવરનો મૃતદેહ બસની કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા ફાયર બ્રિગેડની…

યુપી બોર્ડર પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: ચંદ્રશેખર આઝાદ અને પોલીસ વચ્ચે ઝપાઝપી, જાણો મામલો

ઉત્તર પ્રદેશની સરહદ આજે રાજકીય અખાડો બની, જ્યાં એઝાદ સમાજ પાર્ટીના સાંસદ ચંદ્રશેખર આઝાદ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપી જોવા મળી. મેરઠમાં તાજેતરમાં થયેલી દલિત મહિલાની હત્યાના પીડિત પરિવારમાં મુલાકાત માટે આવતા સાંસદને ગાઝિયાબાદ પોલીસે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે (DME) પર રોકી દીધા. પોલીસના પ્રયાસોના બાવજૂડ, ચંદ્રશેખર આઝાદ રસ્તા પર જ બેસી ગયા હતા, જેની કારણે NH-9 અને DME પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો. એમ્બ્યુલન્સ, બસો અને સામાન્ય વાહનો પણ બંધ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. ટ્રાફિકને હાપુડ તરફ ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્થિતિ ગંભીરતા જોઇને ડીસીપી રૂરલ અને ડીસીપી ટ્રાન્સ હિંડન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા છે. મેરઠમાં કાશી ટોલ પ્લાઝા પણ સીલ કરવામાં આવ્યો છે. પોલીસનો કહેવું છે કે સુરક્ષાના કારણોસર…

દેવગઢ બારીયા નજીક સર્જાયો ગંભીર અકસ્માત, પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા

વલસાડ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઇવે પર આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. દેવગઢ બારીયાની રતનદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને દમણ પ્રવાસેથી પરત ફરી રહેલી લક્ઝરી બસ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં એકસાથે પાંચ જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા, જેમાં લક્ઝરી બસનો પણ સમાવેશ થાય છે. ડમ્પરે અચાનક બ્રેક મારતાં સર્જાયો અકસ્માત પ્રાપ્ત માહિતી મુજબ, હાઇવે પર આગળ ચાલી રહેલા એક ડમ્પરે અચાનક બ્રેક મારતાં પાછળથી આવી રહેલા વાહનો નિયંત્રણ ગુમાવી બેઠા હતા. પરિણામે એક પછી એક વાહનો અથડાતા ચેઇન અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ સહિત કુલ પાંચ વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. 10થી વધુ વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ અકસ્માત સમયે લક્ઝરી બસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં…

AMTS બસની વધુ એક બેદરકારી આવી સામે, બે રાહદારીને અડફેટે લીધા

અમદાવાદના કાંકરિયા દીવાન બલ્લુભાઈ સ્કૂલ રોડ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની બસે એક યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતના કારણે સ્થાનિક વિસ્તારમાં થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી, અને લોકો એકઠા થઈ ગયા હતા. AMTS બસના ચાલકે પુરપાટ ઝડપે યુવકને અડફેટે લીધો ઘટનાની માહિતી મુજબ, અકસ્માતમાં ઘવાયેલો યુવક હિંમતનગરથી છૂટક મજૂરી માટે અમદાવાદ આવ્યો હતો. તે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે AMTS બસના ચાલકે તેને પૂરપાટ ઝડપે અડફેટે લીધો. આ ટક્કર એટલી જોરદાર હતી કે, યુવક જમીન પર પટકાયો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર…

અમદાવાદમાં સુભાષ બ્રિજ અચાનક બંધ, વાહનચાલકો માટે વિકલ્પ માર્ગ સૂચવાયા

અમદાવાદના વ્યસ્ત સુભાષ બ્રિજને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અચાનક બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામી સ્થિતિ સર્જાઈ છે. બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ જોવા મળતા, AMCની ટીમે સુરક્ષાને પગલે તાત્કાલિક રિપેરિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો. તાત્કાલિક પગલાં અને ટ્રાફિક પર અસર – બ્રિજ બંધ થતાં નારણઘાટ, સુભાષબ્રિજ સર્કલ અને આસપાસના વિસ્તારોમાં વાહનોની લાઈનો કિલોમીટર્સ સુધી લાગી ગઈ. – ટ્રાફિક પોલીસ અને AMCના સ્ટાફ તાત્કાલિક માર્ગ પર ઉતરીને વાહનચાલકોને માર્ગદર્શન આપી રહ્યા છે. – ઘણા વાહનચાલકોને રસ્તા ફેરવવા અને વિકલ્પ માર્ગો અપનાવવા માટે મંજુર થવું પડ્યું. AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે જણાવ્યું કે તિરાડની પ્રાથમિક તપાસમાં બ્રિજના મધ્ય ભાગમાં સ્પાન નીચે સરકવાનો ખતરનાક સંકેત જોવા મળ્યો. આ સ્થિતિને કારણે સાંજે છ વાગ્યે બ્રિજ સંપૂર્ણપણે…