PM મોદીએ માર્ક કાર્નેને કેનેડાના વડાપ્રધાન તરીકે ચૂંટાયા બદલ પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેનેડાના નવા ચૂંટાયેલા વડા પ્રધાન માર્ક જે. કાર્ને અને તેમની લિબરલ પાર્ટીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. પોતાના સત્તાવાર X હેન્ડલ પર એક ટ્વિટમાં, મોદીએ બંને દેશો વચ્ચે સહિયારા લોકશાહી મૂલ્યો, કાયદાના શાસન પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા અને જીવંત લોકો-થી-લોકોના સંબંધો પર ભાર મૂક્યો. મત ગણતરીના પ્રારંભિક વલણો આવ્યા બાદ કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને કાર્નેની જીતનો દાવો કર્યો છે. જોકે, લિબરલ પાર્ટીને સંપૂર્ણ બહુમતી મળશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘માર્ક જે. કાર્નેને કેનેડાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા અને લિબરલ પાર્ટીની જીત બદલ અભિનંદન.’ ભારત અને કેનેડા સહિયારા લોકશાહી મૂલ્યો, કાયદાના શાસન પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા અને લોકો વચ્ચેના જીવંત સંપર્કો દ્વારા જોડાયેલા છે. આપણી ભાગીદારીને મજબૂત…

PM મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાના, કહ્યું આ મુલાકાતથી બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબુત બનશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. પ્રધાનમંત્રીએ કુવૈતના શેખ મેશાલ અલ અહેમદ અલ જબર અલ સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાત લીધી છે. છેલ્લા 43 વર્ષમાં કોઇ ભારતીય વડાપ્રધાન દ્વારા કરાયેલી કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. કુવૈત જતા પહેલા સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું હતું કે ‘ભારત અને કુવૈત માત્ર વેપાર અને ઉર્જા ભાગીદારો નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં પણ તેમના સમાન હિત છે. અમે કુવૈત સાથેના અમારા ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ, જે પેઢીઓથી ચાલ્યા આવે છે. -> પીએમ મોદી કુવૈતના ટોચના નેતૃત્વને મળશે :- વડાપ્રધાને લખ્યું કે આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. વડાપ્રધાન કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને…