સુરેન્દ્રનગરના થાનગઢમાં 8 રાઉન્ડ ફાયરિંગ, જૂથ અથડામણમાં 4 લોકો ઇજાગ્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના અમરાપરા ગામમાં ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ગામમાં બે જૂથ વચ્ચે સામાન્ય ઝઘડો થતાં પરિસ્થિતિ બેકાબૂ બની અને 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત આ અથડામણમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ફાયરિંગ દરમિયાન કેટલાક લોકોએ કાર પર પણ પથ્થરમારો કરીને કાચ તોડી નાખ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળી રહી છે. જાણકારોના જણાવ્યા મુજબ, થાન વિસ્તારમાં આ ત્રીજી ફાયરિંગની ઘટના છે જે થોડા જ દિવસોમાં બની છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી અંગે સવાલો ઊભા કર્યા છે. નગણ્ય…







