બાંગ્લાદેશમાં અલ-કાયદાના નેટવર્ક અંગે ચિંતા, ઇકરામુલ હકના દાવાથી ભારતની સુરક્ષા એજન્સીઓ સતર્ક

બાંગ્લાદેશમાં અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ એટલે કે AQISના નેટવર્કને લઈને ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદે દાવો કર્યો છે કે ભારતની સુરક્ષા એજન્સીઓ માટે વોન્ટેડ રહેલો AQIS સાથે જોડાયેલો આરોપી ઇકરામુલ હક ઉર્ફે અબુ તાલ્હા બાંગ્લાદેશમાં મુક્તપણે ફરી રહ્યો છે. આ દાવા બાદ ભારતની પૂર્વીય સરહદની સુરક્ષા અને બાંગ્લાદેશમાં આતંકવાદી નેટવર્કની સંભવિત ગતિવિધિઓ અંગે ચિંતા વધી છે. જોકે, ઇકરામુલ હક હાલમાં ક્યાં છે તે અંગેના દાવાની સ્વતંત્ર પુષ્ટિ હજુ થઈ નથી. સાજીબ વાજેદે શું દાવો કર્યો? શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદે તાજેતરમાં બાંગ્લાદેશની સુરક્ષા સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં ઇકરામુલ હકનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે AQIS સાથે જોડાયેલો આ આરોપી જામીન પર મુક્ત થયા બાદ…

દિલ્હીમાં 13–14 ડિસેમ્બરે આતંકી હુમલાનો અલર્ટ, સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશભરમાં સુરક્ષા એજન્સીઓને 13 અને 14 ડિસેમ્બર માટે હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. ગુપ્તચર સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ બંને દિવસોમાં આતંકવાદી હુમલાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શા માટે 13 અને 14 ડિસેમ્બર મહત્વપૂર્ણ? – 13 ડિસેમ્બર — સંસદ પર હુમલાની વર્ષગાંઠ 2001 ના સંસદ હુમલાની વર્ષગાંઠ હોવાથી સુરક્ષા એજન્સીઓ દર વર્ષે સતર્ક રહે છે. – 14 ડિસેમ્બર — યહૂદીઓનો હનુક્કાહ તહેવાર દિલ્હી સહિત દેશમાં આઠ દિવસીય હનુક્કાહ કાર્યક્રમો યોજાવાના હોવાથી સતર્કતા વધારવામાં આવી છે. લાલ કિલ્લા વિસ્ફોટ પછી સુરક્ષા વધુ કડક 10 નવેમ્બરને લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓ પહેલાથી જ એલર્ટ પર હતી. હવે મળેલી નવી ઈનપુટ્સ પછી સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. પન્નુની…