માઘ મેળામાં ફરી આગની ઘટના, સેક્ટર-4માં આશ્રમના તંબુઓ ભસ્મીભૂત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વપ્રસિદ્ધ માઘ મેળા દરમિયાન આગ લાગવાની ઘટનાઓથી હડકંપ મચી ગયો છે. સતત બીજા દિવસે આગ ફાટી નીકળતા શ્રદ્ધાળુઓ અને કલ્પવાસીઓમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બુધવારે સાંજે મેળાના સેક્ટર-૪માં આવેલા તુલસી માર્ગ પર સ્થિત ‘બડે બ્રહ્મા છોટે બ્રહ્મા’ આશ્રમમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ આગમાં આશ્રમના અડધો ડઝનથી વધુ રહેણાંક તંબુઓ જોતજોતામાં બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી. આશ્રમના સંચાલક કમલેશ્વર નાથ પાંડેએ જણાવ્યું હતું કે આગ લાગતી વખતે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ તંબુની અંદર પૂજા-પાઠ અને ધાર્મિક વિધિમાં વ્યસ્ત હતા. તંબુના પાછળના ભાગેથી અચાનક આગની જ્વાળાઓ દેખાતાં લોકો ગભરાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ રેતી…







