મણિપુરમાં આસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર આતંકી હુમલો
મણિપુરમાં ફરી એકવાર સુરક્ષા પરિસ્થિતિ તંગ બની છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ, શુક્રવારે તેંગનોપાલ જિલ્લામાં અજાણ્યા આતંકવાદીઓએ અાસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો ભારત–મ્યાનમાર સરહદની નજીક આવેલા સંવેદનશીલ વિસ્તારમાં થયો હતો. પ્રવક્તાએ જણાવ્યું કે હુમલા બાદ સુરક્ષા દળોએ નાગરિકોની સુરક્ષા અને સ્થળની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને નિયંત્રિત અને સાવધાનીપૂર્વક જવાબી કાર્યવાહી કરી હતી. હુમલા બાદ આસપાસના વિસ્તારમાં તાત્કાલિક કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તંગનોપાલ જિલ્લો મ્યાનમારની નજીક હોવાને કારણે અહીં આ પ્રકારની આતંકી પ્રવૃત્તિઓની શક્યતા વધુ રહેતી હોય છે. હાલ સુધી હુમલાખોરોના જૂથની ઓળખ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. સુરક્ષા એજન્સીઓ વિસ્તારની સ્થિતિ પર નજર રાખીને આગળની કાર્યવાહી કરી રહી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital…







